By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અજિત દોવાલ રાતે બે વાગ્યે મરકાઝ ખાલી કરાવવા પહોંચ્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અજિત દોવાલ રાતે બે વાગ્યે મરકાઝ ખાલી કરાવવા પહોંચ્યા
GeneralNational

અજિત દોવાલ રાતે બે વાગ્યે મરકાઝ ખાલી કરાવવા પહોંચ્યા

HM News
Last updated: 01/04/2020 7:29 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી , બુધવાર

દિલ્હીની નિઝામુદ્દિન મરકાઝમાં તબલીગ જમાતના અધિવેશનના કારણે સંખ્યાબંધ રાજ્યોમાં કોરોનાનો ચેપ પ્રસર્યો છે. દિલ્હી પોલીસ તથા સલામતી એજન્સીઓએ વારંવાર મરકાઝના અગ્રણીઓને આ અધિવેશનમાં આવેલા લોકોને રવાના કરવા ચેતવણી આપી હતી પરંતુ મરકાઝના અગ્રણીઓ ટસના મસ થયા ન હતા. આખરે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજિત દોવાલે રાતે બે વાગ્યે મરકાઝ પહોંચી તેના વડા મૌલાના સાદ તથા અન્ય અગ્રણીઓને સમજાવવા પડયા હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના વર્તુળોના જણાવ્યા અનુસાર તા. 28મી માર્ચની રાતે બે વાગ્યે દોવાલ મરકાઝ પહોંચ્યા હતા. તેમણે મૌલાના સાદને જણાવ્યું હતું કે આ અધિવેશનમાં ભાગ લેનારા સંખ્યાબંધ લોકો કોવિદ-19નો ચેપ ધરાવતા હોવાનું જણાયું છે આથી બહેતર છે કે અહીં હજુ પણ જમા થયેલા લોકો પણ ટેસ્ટ કરાવી લે અને કોરોન્ટાઇનમાં રહેવાનું કબૂલી લે.
તબલીગી અધિવેશનમાં ભાગ લેનારા ઇન્ડોનેશિયાના 10 લોકો તેલંગણાના કરીમનગર પહોંચ્યા બાદ કોરોના પોઝિટિવ જણાયા હતા ત્યારથી જ કેન્દ્રીય ગૃહ મંત્રાલય સહિત સિક્યુરિટી એજન્સીઓ મરકાઝમાં જમા થયેલા અને ત્યાંથી દેશનાવિવિધ રાજ્યોમાં પહોંચેલા લોકો વિશે સચેત થઇ ગયાં હતાં. તમામ રાજ્યોના પોલીસ વડાઓને આ અધિવેશનમાં ભાગ લેનારાઓની ભાળ મેળવવા અને તેમના તત્કાળ ટેસ્ટ કરાવી કોરોન્ટાઇનમાં મોકલવા જણાવી દેવાયું હતું.
પોલીસની ચેતવણી બાદ મરકાઝમાંથી 167 તબલીગી સદસ્યોને હોસ્પિટલમાં ખસેડવા તૈયાર થયા હતા. પરંતુ તે પછી પણ જમાતના અગ્રણીઓ મસ્જિદ સંકુલ ખાલી કરવા તૈયાર ન હતા.
હિન્દુસ્તાન ટાઇમ્સ અખબારના અહેવાલ મુજબ આ તબક્કે લગભગ તમામ મુસ્લિમ ધર્મગુરૂઓ સાથે વ્યક્તિગત સંપર્કો ધરાવતા દોવાલને મેદાનમાં ઉતારાયા હતા. દોવાલે રાતે બે વાગ્યે ત્યાં પહોંચી જમાતના નેતાઓની સમજાવટ આદરી હતી.

વિદેશમાં મેડીકલનો અભ્યાસ કરનારા 90% ભારતમાં ક્વોલિફાયર પાસ નથી કરી શકતાઃ કેન્દ્રીય મંત્રી
દિલ્હીમાં 12 વર્ષના છોકરા સાથે નિર્ભયા જેવી ક્રૂરતા, ICUમાં દાખલ
TCSનો બાયબેક રેશિયો જાહેર, જાણો ટેન્ડર કરેલ શેરમાંથી કેટલા શેર કંપની સ્વીકારશે ?
સુરત: 8 માર્ચે દુબઈથી આવેલો પરિવાર બીજાને ચેપ ના લાગે તે માટે ઘરની બહાર નથી નીકળતો
MPમાં ધર્મનું રાજકારણ: ‘હર હર મોદી, ઘર ઘર તુલસી’ના જવાબમાં કોંગ્રેસનું ‘હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ’ કેમ્પેઈન
Share This Article
Facebook Email Print
Previous Article મરવા માટે મસ્જિદથી વધારે સારી જગ્યા ન હોઈ શકેઃ નિઝામુદ્દીન જમાતના મૌલાના
Next Article મરકઝના યોજાયેલા કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના 39થી વધુ લોકો ગયા હોવાનું બહાર આવ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up