અદાણી ગ્રુપ દ્વારા કરાયેલ માનહાની કેસના મોટા સમાચાર સામે આવ્યા છે.વરિષ્ઠ પત્રકાર પરંજોય ગુહા ઠાકુરતાને હાઈકોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે.પરંજોય ઠાકુરતાની ધરપકડ પર હાઈકોર્ટ વચગાળાની રોક લગાવી દીધી છે.
કચ્છની કોર્ટે કરેલા આદેશ પર હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. વર્ષ 2017માં અદાણી ગ્રુપે પરંજોય ઠાકુરતા સામે માનહાનિનો દાવો કર્યો હતો.કચ્છની કોર્ટે પરંજોય ઠાકુરતાની ધરપકડનો આદેશ કર્યો હતો. ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વિકલીમાં અદાણી સામે લેખ લખાયો હતો.સરકારે અદાણીને રૂ 500 કરોડનો લાભ કરાયો હોવાનો લેખમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.


