By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અદાણી-હિંડેનબર્ગ મામલે સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ વાત, મીડિયાને રિપોર્ટિંગ કરતા રોકી ના શકાય
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અદાણી-હિંડેનબર્ગ મામલે સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ વાત, મીડિયાને રિપોર્ટિંગ કરતા રોકી ના શકાય
GeneralNational

અદાણી-હિંડેનબર્ગ મામલે સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ વાત, મીડિયાને રિપોર્ટિંગ કરતા રોકી ના શકાય

HM News
Last updated: 24/02/2023 9:16 AM
HM News
2 years ago
Share
SHARE

– આ મામલે તપાસ કરવા સમિતિની રચના માટે ચુકાદો અનામત રાખ્યો
– તાજેતરની અરજી એડવોકેટ મનોહર લાલ શર્મા દ્વારા દાખલ કરાઈ હતી

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી 2023, શુક્રવાર : સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડેનબર્ગ મામલે મીડિયા કવરેજ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરતી અરજી ફગાવતા કહ્યું કે મીડિયાને રિપોર્ટિંગ કરતા રોકી ન શકાય.કોર્ટે કહ્યું કે આ મામલાની તપાસ કરવા માટે અમે સમિતિની રચના અંગે નિર્ણય અનામત રાખ્યો છે અને આ મામલે ટૂંક સમયમાં ચુકાદો આપીશું.આ અરજી એડવોકેટ મનોહર લાલ શર્મા દ્વારા દાખલ કરવામાં આવી હતી.

આ મામલે કુલ 4થી વધુ અરજી કરાઈ

અદાણી-હિંડેનબર્ગ મામલે અત્યાર સુધી 4 પીઆઈએલ ફાઈલ કરાઈ છે.એટવોકેટ એમ.એલ. શર્મા,વિશાલ તિવારી,કોંગ્રેસ નેતા જયા ઠાકુર અને સામાજિક કાર્યકર મુકેશ કુમાર મારફતે આ અરજીઓ કરવામાં આવી હતી.આ મામલે પહેલી સુનાવણી સીજેઆઈ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ પી.એસ.નરસિમ્હા તથા જસ્ટિસ જે.બી. પારડીવાલાએ 10 ફેબ્રુઆરીએ કરી હતી.

અરજીઓમાં કરાઈ વિવિધ માગ

તાજેતરની અરજીમાં મનોહર લાલ શર્માએ ભારતમાં હિંડેનબર્ગ રિસર્ચના સંસ્થાપક નાથન એન્ડરસન અને તેમના સહયોગીઓ વિરુદ્ધ તપાસ અને એફઆઈઆર નોંધવાની માંગણી કરી હતી.તેની સાથે આ મામલે મીડિયા કવરેજ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરાઈ હતી.જ્યારે વિશાલ તિવારીએ સુપ્રીમકોર્ટના નિવૃત્ત જજના નેતૃત્વમાં એક સમિતિની રચના કરીને હિંડેનબર્ગના રિપોર્ટની તપાસની માંગ કરી હતી.

જયા ઠાકુરે એલઆઈસી અને એસબીઆઈની ભૂમિકા સામે સવાલો ઊઠાવ્યાં

જયા ઠાકુરે આ મામલે એલઆઈસી અને એસબીઆઈની ભૂમિકા સામે સવાલો ઊઠાવતા શંકા વ્યક્ત કરી હતી.તેમણે અદાણી એન્ટરપ્રાઈઝમાં જાહેર નાણાંનું જંગી રોકાણ કરવામાં LIC અને SBIની ભૂમિકાની તપાસની માંગણી કરી હતી.જ્યારે મુકેશ કુમારે પોતાની અરજીમાં સેબી અને ઈડી તથા આવકવેરા વિભાગ,ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ પાસે તપાસ કરાવા માટે નિર્દેશ આપવાની માંગ કરી છે.મુકેશ કુમારે આ અરજી પોતાના વકીલો રૂપેશ સિંહ ભદૌરિયા અને મહેશ પ્રવીર સહાય દ્વારા દાખલ કરી છે.

શિવસેનાએ કોંગ્રેસ પર સાધ્યો નિશાનો, કોંગ્રેસને NGO ગણાવી અને રાહુલ ગાંધીના નેતૃત્વ પર આંગળી ઉઠાવતા કહ્યું કે…
તળાજામાં મેઘરાજાનું દે ધનાધન : દોઢ કલાકમાં પોણા બે ઈંચ વર્ષા
ભારે વરસાદને કારણે કેદારનાથ યાત્રા રોકવામાં આવી
દાદાગીરી:સુરતની વ્હાઇટ લોટસ સ્કૂલ દ્વારા પૂરી ફી ભરવા દબાણ,વાલીઓએ DEO અને કલેક્ટરને રજૂઆત કરી
ઉત્તર કોરિયામાં કોરોના વાયરસનો કોઈ કેસ નોંધાયો નથી: કિમ જોંગ
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાત બજેટ 2023-24 : ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ રુ. 8589 કરોડની જોગવાઇ
Next Article GST ઇન્ટેલિજન્સ પુણેના ડેપ્યુટી ડાયરેક્ટર અને ઇન્ટેલિજન્સ ઓફિસરને ત્યાં CBIના દરોડા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up