અનિરુદ્ધ સિંહની ‘ડબલ રાજનીતિ’! ગોંડલમાં કોંગ્રેસને ટેકો,તો ગુજરાતમાં ભાજપને સમર્થન જાહેર કર્યું..

HM News
4 Min Read

ગોંડલ : રાજકોટ જિલ્લાની ગોંડલ વિધાનસભા બેઠક ઉપર બે જૂથો વચ્ચે જંગ જામ્યો છે.અનેક વખત વાકયુદ્ધ સામે આવ્યા બાદ રીબડા જૂથે તેમના સ્વમાન માટે ગોંડલ તાલુકા પુરતો કોંગ્રેસને ટેકો આપવાની જાહેરાત કરી છે.જ્યારે જયરાજસિંહ જૂથ સામે આકરા પ્રહાર કર્યા હતા અને ગોંડલની પ્રજા સ્વમાનની લડાઇમાં અમારી સાથે હોવાનું જણાવ્યું છે.

રીબડામાં અનિરૂદ્ધસિંહ જાડેજા જણાવ્યું હતું કે, ભાજપ સરકાર સાથે હું જોડાયેલો છું વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ગૃહમંત્રી અમિત શાહની માફી માગુ છું.ગોંડલમાં જયરાજસિંહ જાડેજાનો અત્યાચાર અને તાનાશાહી છે અને મારા કુંટુબને ટાર્ગેટ બનાવીને જે અમારા સ્વામાનની વાત આવીને ઉભી છે.આથી મારે ગોંડલ પુરતું ભાજપમાંથી કોંગ્રેસ સાથે જવું પડ્યું છે,પણ માત્રને માત્ર ગોંડલ પુરતું હું કોંગ્રેસ સાથે જ છું.ગુજરાતમાં પણ ગોંડલ પુરતું જ હું ભાજપ સાથે નથી.એટલે માટે આ પત્રકાર પરિષદ સંબોધવી પડી છે અને મારી વાત ભાજપ પક્ષ સુધી પહોંચાડવા આયોજન કર્યુ છે.અહીં રાજકોટ જિલ્લાના ભાજપના જે હોદ્દેદારો છે અને નેતાઓ તે સારી રીતે જાણે છે કે, અત્યારે ગોંડલમાં મારૂ કુંટુંબ ચૂંટણી લડી રહ્યું નથી.આ લોકશાહી છે લોકશાહીમાં કોઇ પણ વ્યક્તિને ટિકિટ માંગવાનો અધિકારી છે આપવી ન આપવીએ પાર્ટીનો અધિકાર છે,પરંતુ મારા દીકરાની ટિકિટ માંગી તે ટિકિટની વાત પુરી થઇ ગઇ.અમે પક્ષને એવું પણ કીધેલુ કે, આ તાનાશાહી અને જયરાજસિંહના પાપમાંથી ગોંડલની પ્રજાને મુકત કરવી હોય તો તમે કોઇપણ પાટીદારના દીકરાને ટિકિટ આપી દો.અમે તેનો ખભે બેસાડી ચૂંટણી જીતાડી દેશું.

ચૂંટણીનો ખર્ચ પણ હું આપીશે.આવું અમે સાંસદ રમેશભાઇ ધડુકને અને તેની સાથે બેસલા ભાજપના પાંચ નેતાને કહ્યું હતું.મારા દીકરાને ટિકિટ આપો કે ન આપો તેની સાથે મતબલ નથી.ગોંડલની પ્રજા પીસાય છે.તે અંગેની વાત કરી હતી.આમ છતા જે વાત કરી તેની કિન્નાખોરી રાખીને અત્યારે જયરાજસિંહ જાડેજા રીબડા અને રીબડાના મહિપતસિંહનો પરિવાર બસ એક જ ટાર્ગેટ બનાવીને ગામડે ગામડે અમારા નામનો જ સભામાં ચર્ચાાને વિષય કરે છે.તો શું કામે ને ભાઈ ? અમે કયાં ચુંટણી લડી રહ્યાં છીએ.મારા બાપુજી પિતાની ઉંમર 90 વર્ષની છે.જયરાજસિંહ કે જયરાજનું કુટુંબ મારા બાપુજીના નામથી ‘તું’ કારાથી વાત કરે તો મારો બાપ શાંતિથી એમની પથારીએ પડયા છે અને આનંદથી જીવે છે જિંદગી.

રહી વાત જયરાજનો છોકરો તો એ મારા નામથી અપશબ્દો બોલે છે.તો જયરાજે એને એ સંસ્કાર આપ્યા છે તો તો મારા દીકરાને પણ અપશબ્દો બોલતા આવડે છે પણ એ અમારા સંસ્કાર નથી.હવે તો આ સ્વમાનની લડાઈ આવી છે.હવે અમે બોલીએ નહીં તો ગોંડલની પ્રજા અમારી સાથે છે.એને એવું થઈ ગયું છે કે, આ લોકો રીબડાવાળા ડરી ગયા અને તે વારંવાર અમને ટાર્ગેટ બનાવીને એ વાત લાવે છે કે ગોંડલની પ્રજાને ડરાવી ધમકાવીને તેને ખોટા મત નાંખવા છે અને પ્રજા ઘરમાં રહે.આ એના માટેની તાનાશાહી છે.મને ગોંડલની પ્રજા ઉપર લેઉવા પટેલ સમાજ,કડવા પટેલ સમાજ તેમજ તમામ સમાજન લોકો ઉપર વિશ્વાસ છે પરિવર્તન સામે બધા સાથે મળીને લાવીશું અને જયરાજને હરાવીશું.અત્યારે તમે જતા હશો કે, ગોંડલ તાલુકામાં ઘરે ઘરે લોકો લાપસીના આંધણ મૂકતા હશે.

આજે પણ જયંતિ ઢોલ સહિતના અમારી સાથે છે.તેમને ઈનફેકશન થયું હોવાથી તે હોસ્પિટલમાં સારવારમાં છે.મારે કોઈ કોંગ્રેસના નેતા સાથે વાત થઈ નથી.હું કોંગ્રેસમાં ભળ્યો નથી.ગોંડલ તાલુકામાં મેં કોંગ્રેસને સમર્થન આપ્યું છે.આ જયરાજસિંહના તાનાશાહી સામે મારી પાસે કોઈ કોંગ્રેસના નેતા આવ્યા નથી.હું યતીશ દેસાઈની મદદ માટે ગયો છું.યતિશ દેસાઈના પિતા ગોવિંદભાઈ પવિત્ર વ્યક્તિ છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *