મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર 100 કરોડ રૂપિયાની ઉચાપતના આરોપોની તપાસ કરતી BCIએ ગુરુવારે રાજ્યના મુખ્ય સચિવ સીતારામ કુંટે અને DGP સંજય પાંડેને સમન્સ પાઠવ્યા છે. અનિલ દેશમુખ છેલ્લા ત્રણ મહિનાથી ફરાર છે. CBIની સાથે ED પણ મની લોન્ડરિંગની તપાસ કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે તેમના એક પત્રમાં આરોપ લગાવ્યો હતો કે, અનિલ દેશમુખ ખંડણીમાં સામેલ છે.તેમણે મુંબઈ પોલીસના અધિકારી વાજે પર દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલવા દબાણ કર્યું હતું. પરમબીર સિંહે આ પત્ર રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખ્યો હતો.
આ પત્ર સામે આવ્યા બાદ હંગામો મચી ગયો હતો.આ કેસમાં 11 મેના રોજ અનિલ દેશમુખ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. CBIએ દેશમુખના ચાર સ્થળો પર પણ દરોડા પાડ્યા હતા. અનિલ દેશમુખ સામે ભ્રષ્ટાચારની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.