-કાબુલની એક હોસ્પિટલમાં પણ આતંકવાદીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું, 5 લોકોના મોત
કાબુલ : અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં સ્થિત એક પ્રસૂતિ હોસ્પિટલમાં આતંકવાદીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું અને ગ્રેનેડ હુમલો કર્યો છે.સ્થાનિક મીડિયાના રિપોર્ટ્સ મુજબ,આ હુમલામાં 5 લોકોના મોત થયા છે અને અન્ય કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે.ત્યાંજ નંગરહાર પ્રાંતમાં અંતિમ સંસ્કાર દરમિયાન થયેલા આત્મઘાતી હુમલામાં 24 લોકોના મોત થયા છે.સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ,માર્યા ગયેલા લોકોમાં ત્રણ મહિલાઓ,એક બાળક અને એક અફઘાન સુરક્ષાદળનો સભ્ય પણ સામેલ છે.સ્થાનિક સાંસદ મેંહદી રસેખે પણ આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે,કેટલાક ડોક્ટર્સ પણ હોસ્પિટલમાં ફસાયેલા છે.
હોસ્પિટલમાં ફસાયેલા સ્થાનિક અને વિદેશી નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે કાબુલમાં હાજર વિદેશી સુરક્ષાદળ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે.જણાવવામાં આવી રહ્યું છે કે,આતંકવાદી અફઘાન સેનાના ડ્રેસમાં પહોંચ્યા હતા.કાબુલના દશ્ત-એ-બારચી વિસ્તારમાં સ્થિત હોસ્પિટલના એક ડોક્ટરે જણાવ્યું કે, હુમલાની સમયે 140 લોકો બિલ્ડિંગની અંદર હાજર હતા. આંતરિક બાબતોના મંત્રાલયે જણાવ્યું છે કે,કાબુલના પશ્ચિમમાં સ્થિત હોસ્પિટલમાં થયેલા હુમલામાં ત્રણ હુમલાખોર સામેલ છે.તેમાંથી એક હુમલાખોરને ઠાર મારવામાં આવ્યો છે.અફઘાનિસ્તાનના આંતરિક મંત્રાલયના એક પ્રવક્તાના જણાવ્યા મુજબ,સુરક્ષાદળોએ હોસ્પિટલમાંથી 40 લોકોના સુરક્ષિત બહાર નિકાળ્યા છે.આ સિવાય નંગરહાર પ્રાંતમાં અંતિમ સંસ્કાર દરમિયાન થયેલા આત્મઘાતી હુમલામા્ં 24 લોકોના મોત થયા છે.આ ઉપરાંત અન્ય 68 લોકો ઈજાગ્રસ્ત થયા છે.