– લંડનના મ્યુઝિયમ તથા મહારાષ્ટ્ર સરકાર વચ્ચે એમઓયુ થશે
– આ એમઓયુને પગલે શિવાજીની જગદંબા તલવાર સહિતની અન્ય અમૂલ્ય ચીજો પાછી લાવવાનો માર્ગ પણ મોકળો થશે
મુંબઇ : શિવાજીના પ્રસિદ્ધ વાઘનખ ભારત પરત મોકલવા યુકે.સંમત થયું છે.આ વાઘનખ હાલ લંડનના રોયલ વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં છે.શિવાજીએ ઈ.સ. ૧૬૫૯માં અફઝલ ખાનનું આ વાઘનખથી પેટ ચીરીને તેનો વધ કર્યો હતો. મહારાષ્ટ્ર સરકાર આ વાઘનખ સહિતની ચીજો પાછી મેળવવા માટે લંડનનાં મ્યુઝિયમ સાથે એમઓયુ કરવાની છે.આ માટે મહારાષ્ટ્ર સરકારનું એક પ્રતિનિધિમંડળ યુકે જવાનું છે.
ઇ.સ. ૧૬૫૯મા અફઝલ ખાન બીજાપૂરનો સૂબો હતો ત્યારે શિવાજીએ આ વાઘનખ પહેરી તેનો વધ કર્યો હતો.વાઘ નખ પોલીદના બનેલા છે.તેની આગળ ચાર ખંજર જેવા પંજા છે.હિંદુ પંચાગ પ્રમાણે જે તિથિએ શિવાજી મહારાજે અફઝલ ખાનને વધ કર્યો હતો તે જ તિથિએ વાઘ નખ પાછા મળે તેવું આયોજન ચાલી રહ્યું છે.જો કે સુધીર મુનગંટીવારે જણાવ્યું હતું કે કેટલીક અન્ય તારીખો પર પણ વિચારણા થઇ રહી છે.અત્યારે આ વાઘ નખ ખંજર પાછુ ભારતમાં લાવવા માટે યુદ્ધના ધોરણે પ્રક્રિયા હાથ ધરી છે. આ ખંજર માટે એમ.ઓ.યુ થતા શિવાજીની જગદંબા તલવાર સહિતની અન્ય વસ્તુઓ પણ યુકેથી પરત લાવવાનો માર્ગ મોકળો થશે.
અફઝલખાનનો વધુ અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ૧૦મી નવેમ્બરે થયો હતો.પરંતુ અમે હિન્દુ પંચાગ પ્રમાણે તિથી નક્કી કરી રહ્યા છીએ એમ તેમણે જણાવ્યું હતું.આ વાઘ નખ અંગે એલઓયુ માટે મંત્રી મુનગંટીવાર,મુખ્ય સચિવ સાંસ્કૃતિક ડો.વિકાસ ખડગે, અને ડો.તેજસ ગર્ગે,રાજ્યના પુરાતત્વ અને સંગ્રહાલયના ડીરેક્ટર લંડનના વિક્ટોરિયા અને આલબર્ટ મ્યુઝિયમની મુલાકાત લેશે.૨૯ સપ્ટેમ્બરથી ૪ ઓક્ટોબર સુધી ત્રણ સભ્યોની મહારાષ્ટ્ર સરકારની ટીમ ઉપરોક્ત મ્યુધિયમની મુલાકાતે જશે.આ માટે લગભગ ૫૦ લાખ રૃપિયા ફાળવવામાં આવ્યા છે.