By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અભય ભારદ્વાજને રાજ્યસભાની ટિકિટ એટલે વિજય રૂપાણી સરકારને અભય વચન!
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અભય ભારદ્વાજને રાજ્યસભાની ટિકિટ એટલે વિજય રૂપાણી સરકારને અભય વચન!
General

અભય ભારદ્વાજને રાજ્યસભાની ટિકિટ એટલે વિજય રૂપાણી સરકારને અભય વચન!

HM News
Last updated: 14/03/2020 12:51 PM
HM News
5 years ago
Share
SHARE

અભય ભારદ્વાજ ભાજપના ઉમેદવાર કરતાં તેઓ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પસંદ કરેલા ઉમેદવાર છે. ગુજરાતમાં હવે અમિત શાહ અને રૂપાણી ભાજપના તમામ નિર્ણયો લઈ રહ્યાં છે. તે વારંવાર સાબિત થયું છે.બીજી બાજુ વારંવાર એવી અફવા વારંવાર ફેલાતી રહી છે કે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પ્રજાની સાથે રહેવામાં નિષ્ફળ રહ્યા છે, તેથી તેમને બદલવામાં આવશે. જોકે, અભય ભારદ્વાજની પસંદગીથી એવો મેસેજ આપવામાં આવી રહ્યો છે કે તેઓ બળવાન બની રહ્યાં છે.

રાજકોટના અભય ભારદ્વાજ પોતે વિજય રૂપાણીના માણસ છે. તેથી તેમને ટિકિટ અપાવવા માટે સફળ રહ્યાં છે. ભાજપના સૂત્રો એવું કહે છે કે ભારદ્વાજ બ્રાહ્મણ હોવાથી તેમને ટિકિટ આપી છે. જો કે તેની સામે એવી દલીલ કરાઇ રહી છે કે બ્રાહ્મણને જ ટિકિટ આપવી હોય તો ભારદ્વાજ કરતાં ઘણાં મોટા બ્રાહ્મણ નેતાઓ ભાજપ પાસે હતા. રાજકોટના કમલેશ જોષીપુરા, જયનારાયણ વ્યાસ, મહેન્દ્ર ત્રિવેદી અને હરિન પાઠકને કેમ ટિકિટ ન આપી ? એટલે પાર્ટી સીધો મેસેજ આપવા માગે છે કે હાલમાં ગુજરાતમાં વિજય રૂપાણી જે નિર્ણય લેશે તે જ માન્ય રખાશે. આ ઉપરાંત બીજા બ્રાહ્રણ નેતાઓને પાર્ટીએ ઘણું આપ્યું છે એટલે નવાને ચાન્સ આપી રહ્યા છે.

આ ઉપરાંત એવી પણ વાત આવી હતી કે આ વખતે સૌરાષ્ટ્રમાંથી ઠક્કર અને રાજપુતને ટિકિટ આપવાનું નક્કી હતું.મહેન્દ્ર મશરૂ, પ્રવિણ કોટક કે સૌરાષ્ટ્રમાંથી કિરીટ રાણાને ટિકિટ નક્કી હતી.મુખ્ય પ્રધાને તો કિરીટસિંહને ટિકિટ આપવાનું વચન પણ આપ્યું હતું.પરંતુ અભય ભારદ્વાજ જેવા ઓછા જાણીતા વ્યક્તિને ટિકિટ આપીને પાર્ટીએ સાબિત કર્યું છે કે હાલ પૂરતું તો વિજય રૂપાણી વિરોધી જૂથ ભલે કેટલાય ધમપછાડા કરે પરંતુ રૂપાણી ઉપર દિલ્હીનો હાથ આજેય છે.તેમને હાલ પૂરતી કોઇ તકલીફ નથી.જોકે, રાજકારણમાં ક્યારે પાસા પલટાઇ જાય તે પણ એક સત્ય છે.

2024 ચૂંટણીમાં ભાજપ માટે મત માંગવા આવીશ ત્યારે પાંચ વર્ષનો હિસાબ પણ આપીશ : અમિતભાઈ શાહ
દીવમાં બ્યુટીફિકેશન પ્રોજેકટનો સામાન ચોરનાર ૯ની ધરપકડ
શિવસેનાએ બળવાખોર ધારાસભ્યોને કહ્યું પહેલા મુંબઈ પરત ફરો પછી અમે…
નમસ્તે ટ્રમ્પ : ગુજરાતના આકાશમાં પહેલીવાર ચાર અમેરિકન ચોપર ઉડશે
ભારતના રિટેલ વેપારીઓને ૭.૫૦ લાખ કરોડનું જંગી નુકસાન
Share This Article
Facebook Email Print
Previous Article ભારતે કોરોના વાયરસના લક્ષણો શોધ્યા, દવા બનાવવામાં અંદાજે એક વર્ષનો સમય લાગશે
Next Article કોંગ્રેસના MLA જે.વી.કાકડિયાના રાજીનામા પછી વધુ આ પાંચ MLA સંપર્ક વિહોણા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up