By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અમદાવાદનાં ૬૦૯માં સ્થાપના દિન નિમિત્તે મેયર બીજલ પટેલે માણેક બુર્જની પૂજા કરી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > અમદાવાદનાં ૬૦૯માં સ્થાપના દિન નિમિત્તે મેયર બીજલ પટેલે માણેક બુર્જની પૂજા કરી
AhmedabadBreaking NewsGujarat NowPolitics

અમદાવાદનાં ૬૦૯માં સ્થાપના દિન નિમિત્તે મેયર બીજલ પટેલે માણેક બુર્જની પૂજા કરી

HM News
Last updated: 26/02/2020 3:23 PM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ,તા.૨૬
ગુજરાતના બે પનોતા પુત્રો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની અમદાવાદ કર્મભૂમિ રહ્યું છે. સરદાર પટેલે ધીકતો વકીલાતનો વ્યવસાય છોડીને તારીખ ૫મી જાન્યુઆરી ૧૯૧૭થી જાહેર જીવનમાં પ્રવેશ કર્યો હતો. તેઓ દરિયાપુર વોર્ડમાંથી ચૂંટાયા હતા. સરદાર પટેલ તારીખ ૯ ફેબ્રુઆરી ૧૯૨૪થી ૧૩ એપ્રિલ ૧૯૨૮ સુધી અમદાવાદ મ્યુનિસિપાલીટીના પ્રમુખ પદ પર રહ્યા હતા. તે વેળાએ કોટ વિસ્તારમાં શહેર ધબકતું હતુ પણ શહેરને કોટ વિસ્તાર બહાર વિકાસનું કામ સરદારે કર્યું હતું. તેમણે એલિસબ્રિજ અને મણિનગરનું ટાઉન પ્લાનિંગ કર્યું હતું તે માટે તેમણે કોટ વિસ્તારને ફરતે આવેલી દિવાલને તોડાવી હતી. તેનો સુનેહરો ઇતિહાસ છે. બીજી તરફ મહાત્મા ગાંધીએ પણ આઝાદી લડાઇમાં અમદાવાદને કર્મભૂમિ બનાવી હતી. આ પહેલા તેઓએ તારીખ ૨૦મી મે ૧૯૧૫ના રોજ કોચરબ ખાતે સત્યાગ્રહ આશ્રમ કર્યો હતો. તારીખ ૧૭મી જુન ૧૯૧૭ના રોજ વાડજની સીમમાં સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી.
માણેકચોકના ગુરૂ માણેકનાથના મંદિરે શ્રધ્ધાંજલી આપીને તથા વર્ષ ૧૪૧૧માં જ્યાં અમદાવાદનો પાયો નખાયો હતો. તે માણેક બુર્જ ખાતે ધ્વજ પૂજા કરીને અમદાવાદ શહેરનો ૬૦૯મો સ્થાપના દિન આજરોજ મનાવવામાં આવ્યો. નાથ પંથના ૮૪ સિધ્ધ ગુરૂઓમાં સ્થાન ધરાવતા ગુરૂ માણેકનાથજીના આશિર્વાદ મેળવીને એહમદશાહ બાદશાહે તારીખ ૨૬મી ફેબ્રુઆરી, ૧૪૧૧ના રોજ માણેક બુર્જ ખાતે શહેરનુ નિર્માણ ચાલુ કર્યુ હતું. ગુરૂના આશિર્વાદથી અમદાવાદ શહેર વિકસતુ જાય છે અને સમૃધ્ધ બનતુ જાય છે. અમદાવાદનાં મેયર બીજલબેન પટેલ અને માણેકનાથજીની ગાદી અને નાથ પરિવારના ૧૩મા મહંત ચંદનનાથજી ધ્વજ પૂજા કરીને તથા ફૂલહાર કરીને ગુરૂ માણેકનાથજીના આશિર્વાદ લીધા. ગુરૂ માણેકનાથજીના મંદિરે સવારે ૮-૧૫ કલાકે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે અને એ પછી ૯-૦૦ કલાકે ધ્વજ પૂજા કરી. અમદાવાદ એક અનોખું શહેર છે. કારણ કે મોટા ભાગના શહેરોમાં લોકોને એ પણ ખબર નથી કયા સ્થળે શહેરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. એવાં પણ ખૂબ ઓછાં શહેર છે કે જેના વારસો પોતાના પૂર્વજોના તહેવારો અને પરંપરાને જાળવી રહ્યા છે.

બારડોલીમાં શાકભાજી માર્કેટ વિભાજન : અલગ અલગ ૧૩ સ્થળોએ માર્કેટ શરૂ કરાશે
ભાજપના નેતાઓએ જ ઉડાવ્યાં દારુબંધીના લીરેલીરા, સુરતમાં બીજેપીના આ નેતાઓએ માણી મહેફીલ
Gujarat Budget 2023 : નાણામંત્રીએ બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂ. 15,182 કરોડની જાહેરાત કરી
મારૂ પેજ કોરોનામુક્ત, વેક્સિન યુક્ત સૂત્ર સાર્થક બનાવશે ભાજપના કાર્યકરો : CR પાટીલ
ઔદ્યોગિક વિકાસ સાથે પર્યાવરણનું સંતુલન જળવાઇ રહે તે માટે કોઇ બાંધછોડ નહિ થાય : CM
TAGGED:બીજલ પટેલે માણેક બુર્જની પૂજા
Share This Article
Facebook Email Print
Previous Article વીર નર્મદ સાઉથ ગુજ. યુનિ.ના ૫૧માં પદવીદાન સમારોહમાં કપિલ દેવ હાજર રહ્યા
Next Article એસટી વોલ્વો ભાડે રાખી સરકારે છેલ્લા ૨ વર્ષમાં ૭૯ કરોડ ચૂકવ્યાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up