By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અમદાવાદના ઈસનપુરમાં હિંદુ સોસાયટી સામે ગૌવંશનું કપાયેલું માથું અને શિવમંદિર સામે ધડ નખાયું : હિંદુઓ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > અમદાવાદના ઈસનપુરમાં હિંદુ સોસાયટી સામે ગૌવંશનું કપાયેલું માથું અને શિવમંદિર સામે ધડ નખાયું : હિંદુઓ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન
AhmedabadGeneral

અમદાવાદના ઈસનપુરમાં હિંદુ સોસાયટી સામે ગૌવંશનું કપાયેલું માથું અને શિવમંદિર સામે ધડ નખાયું : હિંદુઓ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન

HM News
Last updated: 05/08/2022 9:37 AM
HM News
3 years ago
Share
SHARE

– આ દરમિયાન ઘટનાસ્થળે પહોંચેલ કેટલાક હિન્દૂ સંગઠનોએ ચીમકી આપી હતી કે જો 24 કલાકમાં આરોપીને પકડી પાડવામાં નહિ આવે તો વિસ્તારમાં સ્થાનિક હિંદુઓ ઉગ્ર આંદોલન કરશે.

અમદાવાદ : શુક્રવારે (5 ઓગસ્ટ 2022) સવારે અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં આવેલ ગોવિંદવાડી ખાતે અજાણ્યાં તોફાની તત્વોએ હિન્દૂઓની ધાર્મિક લાગણી દુભાવવાનું ખુબ જ દુષ્ટ કૃત્ય કર્યું હતું.શ્રાવણના પવિત્ર મહિનામાં ગોવિંદવાડી પાસેના શિવમંદિર સામે ગૌવંશના કાપાયેલા ટુકડા ફેંકવામાં આવ્યા હતા અને પાસેની ભગવાનનગર સોસાયટીના દરવાજા સામે જ ગાયનું કપાયેલુ માથું ફેંકવામાં આવ્યું હતું.શ્રાવણ મહિનો ચાલતો હોવાથી લોકો વહેલી સવારે શિવમંદિર ખાતે પૂજા આરાધના કરવા જતા હોય છે.એ જ રીતે આજે સવારે જયારે ગોવિંદવાડી આસપાસના હિન્દૂ ભક્તો નજીકના મનસાપૂર્ણ મહાદેવના મંદિરે દર્શન માટે જઈ રહ્યા હતા ત્યારે તેમની નજર મંદિર સામે સમાચારપત્રના કાગળમાં લપેટીને ફેંકવામાં આવેલ ગૌમાંસના ટુકડાઓ પર પડી હતી.સાથે જ લોકોનું ધ્યાન ભગવાનનગર સોસાયટીના દરવાજા સામે પડે ગાયના કપાયેલા માથા પર પડ્યું હતું અને વિસ્તારમાં ઉશ્કેરાટ વ્યાપ્યો હતો.પવિત્ર શ્રાવણ માસમાં હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવી ઉશ્કેરવાનો પ્રયાસ થયો હતો.

બનાવની જાણ થતાં હિન્દૂ સંગઠનોના આગેવાનો અને કાર્યકરો સ્થળ પર એકત્ર થયા હતા.ઈસનપુર ગોવિંદવાડી પાસે બનેલા આ બનાવને પગલે મામલો ગરમાયો હતો.સ્થાનિકોએ એક્ટિવા પર આવેલા બે શખ્સે આ કૃત્ય આચર્યાનો દાવો કર્યો છે.

આ ખબર ઝડપથી સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી અને મોટી સંખ્યામાં હિંદુઓ તે ઘટનાસ્થળે એકઠા થવા માંડ્યા હતા.થોડી જ વારમાં ઘટનાસ્થળે વિશ્વ હિન્દૂ પરિષદ સમેત ઘણા હિન્દૂ સંગઠનોના અધિકારીઓ અને કાર્યકર્તાઓ પણ પહોંચી ગયા હતા. શિવમંદિર સામે ગૌવંશના માંસને જોઈને સ્થાનિકોમાં અતિશય રોષની લાગણી જોવા મળી હતી.સ્થાનિકોએ પોલીસમાં જાણ કરતા સ્થાનિક પોલીસના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

https://twitter.com/RWGujarat/status/1555422660829786117?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1555422660829786117%7Ctwgr%5E5404b3bf2ad30f5d898854f67c1524413cc9a6b0%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Fquery%3Dhttps3A2F2Ftwitter.com2FRWGujarat2Fstatus2F1555422660829786117widget%3DTweet

મીડિયા સાથેની વાતચીત દરમિયાન વિશ્વ હિન્દૂ પરિષદના કર્ણાવતી મહાનગર પૂર્વ વિભાગના અધ્યક્ષ ઉદ્ધવ પાંડેએ જણાવ્યું કે ઇસનપુરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવમંદિર પાસે કોઈ તોફાની તત્વો ગૌમાંસ નાખી જવાના સમાચાર મળતા જ અમે ઘણા
કાર્યકર્તાઓ સાથે ત્યાં પહોંચી ગયા હતા.ત્યાં પહોંચીને સ્થાનિક લોકો સાથે વાત કરીને તમામ હકીકત જાણીને પછી પોલીસને પણ બોલાવવામાં આવી હતી.સમગ્ર હિન્દૂ સમાજે એકસૂર જલ્દીથી જલ્દી તાપસ કરીને આરોપીઓને પકડી પાડી તેમને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી.જે બાદ પોલીસ પ્રશાસને પણ ત્વરિત કાર્યવાહીની બાંહેધરી આપી હતી.આ દરમિયાન ઘટનાસ્થળે પહોંચેલ કેટલાક હિન્દૂ સંગઠનોએ ચીમકી આપી હતી કે જો 24 કલાકમાં આરોપીઓને પકડી પાડવામાં નહિ આવે તો વિસ્તારમાં સ્થાનિક હિંદુઓ ઉગ્ર આંદોલન કરશે.

https://twitter.com/RWGujarat/status/1555423328386838529?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1555423328386838529%7Ctwgr%5E740912a1d0c57ac6110663360ecf0d16a53ade37%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Fquery%3Dhttps3A2F2Ftwitter.com2FRWGujarat2Fstatus2F1555423328386838529widget%3DTweet

ઈસનપુર ગોવિંદવાડી પાસે મહાદેવજી મંદિર પાસે આજે વહેલી સવારે એક્ટિવા પર આવેલા શખસો ગાયના વાછરડાના કપાયેલા અંગો ફેંકી ફરાર થયા હતા.પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોય મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ વધુ પ્રમાણમાં રહેતી હોય છે.આ ઘટનાને પગલે લોકોના ટોળા સ્થળ પર એકત્ર થવા લાગ્યા હતા. બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી.હિન્દૂ સંગઠનોએ ઘટનાને પગલે ઇસનપુર બંધના એલાન સાથે ધરણા પ્રદર્શન કરતા રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.પોલીસની પાંચ ગાડીઓ સ્થળ પર પહોંચી હતી

અત્રે નોંધનીય છે કે ઈસનપૂરના આ હિન્દૂ વિસ્તારને અડીને જ દાણીલીમડા,શાહઆલમ અને ચંડોળા જેવા મુસ્લિમ બહુમતીવાળા ક્ષેત્રો આવેલા છે.આવામાં આ દુષ્કૃત્ય કોઈ કટ્ટરપંથી દ્વારા કરવામાં આવ્યું હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વિસ્તારોમાં આવી ઘટનાઓ અવારનવાર બનતી આવી છે.સવારની આ ઘટના બાદ સ્થાનિકોએ સ્વયંભૂ ઇસનપુર બંધ પાળતા પોતાની દુકાનો બંધ રાખી હતી.વિશ્વ હિન્દૂ પરિષદ અને તમામ હિન્દૂ સંગઠનો દ્વારા આ બંધનું સમર્થન કરાયું હતું.

યસ બેન્ક પ્રકરણે અનિલ અંબાણીની નવ કલાક ઈડી કાર્યાલયમાં પૂછપરછ
નૂપુર શર્માની હત્યા કરવા માંગતો હતો જૈશનો આતંકવાદી નદીમ, યુપીના સહારનપુરથી ધરપકડ
ગુજરાત ભાજપ : બંધ કવર’ ફોર્મ્યુલા નેતાઓ માટે ‘લેટર બૉમ્બ’- નારાજ પાટીદાર નેતાઓની કોંગ્રેસ તરફ મીટ
CAAને લઈને સંસદમાં ગૃહ મંત્રાલયએ આપ્યો જવાબ, જણાવ્યું આખરે કેટલા સમયમાં બનશે નિયમો
પંજાબ ચૂંટણી પહેલા ED સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી શકે છે : અરવિંદ કેજરીવાલનો દાવો
Share This Article
Facebook Email Print
Previous Article મદ્રેસાઓ બની આતંકી ગતિવિધિઓનું કેન્દ્ર : સરહદી જિલ્લાઓમાં મુસ્લિમ વસ્તીનું પ્રમાણ વધ્યું, ઇન્ટેલિજન્સ વધુ મજબૂત બનાવાશે : CM હેમંત બિશ્વા
Next Article આસારામે કોર્ટ સમક્ષ કોણે અને શા માટે તેના પર રેપના આરોપો લગાવ્યા તે જણાવ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up