By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અમદાવાદના ૨૪ સ્મશાનની સફાઈ માટે મહિને ૧૨.૨૦ લાખ ખર્ચ કરાશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > અમદાવાદના ૨૪ સ્મશાનની સફાઈ માટે મહિને ૧૨.૨૦ લાખ ખર્ચ કરાશે
AhmedabadGeneral

અમદાવાદના ૨૪ સ્મશાનની સફાઈ માટે મહિને ૧૨.૨૦ લાખ ખર્ચ કરાશે

HM News
Last updated: 02/06/2022 5:24 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ : બુધવાર,1 જુન,2022 : મ્યુનિ.ની હેલ્થ કમિટીની મળેલી બેઠકમાં અમદાવાદના ૨૪ સ્મશાનોની સફાઈ માટે મહિને ૧૨.૨૦ લાખની રકમનો ખર્ચ કરવા માટેની દરખાસ્તને મંજુરી આપવામાં આવી છે.સ્મશાનની નાની જગ્યા સાફ કરવા પાછળ દર મહિને પચાસ હજારનો ખર્ચ કરવામાં આવશે.૨૪ સ્મશાનની સફાઈ પાછળ વર્ષે ૩ કરોડથી વધુની રકમનો ખર્ચ કરાશે.

શહેરમાં વાડજ,ચાંદખેડા,એલિસબ્રીજ ઉપરાંત વાસણા અને સાબરમતી સ્મશાનગૃહ પશ્ચિમ ઝોનમાં આવેલા છે.સરખેજ અને વેજલપુર સ્મશાન દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા છે.ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ગોતા,થલતેજ સ્મશાન ઉપરાંત મધ્યઝોનમાં દૂધેશ્વર ઉપરાંત દક્ષિણ ઝોનમાં ખોખરા,વટવા અને ઈસનપુર,સપ્ત ઋષિ અને નારોલ સ્મશાનગૃહ આવેલા છે.ઉત્તરઝોનમાં ચામુંડા ઉપરાંત નરોડા,નરોડા-મુઠીયા તથા પૂર્વઝોનમાં વસ્ત્રાલ,ઓઢવ,રામોલ તેમજ રખિયાલ અને ઠકકરનગર એમ કુલ ૨૪ સ્મશાનગૃહોની સફાઈ માટે મંજુર કરાયેલી દરખાસ્તમાં ૮૫થી વધુ કર્મચારીઓ સફાઈ માટે મુકવાની વાત કરવામાં આવી છે.જે કર્મચારીઓને સફાઈકામ માટે મુકવામાં આવશે એમને સરકારે નકકી કરેલા લઘુત્તમ વેતન જેટલી રકમ પણ ના મળે એવી જોગવાઈ ટેન્ડરની રકમ ઉપરથી જોવા મળી શકે છે.ઉપરાંત જેમને કામગીરી સોંપવામાં આવી છે એ કલીન ઈન્ડિયા સંસ્થાને બીજા વર્ષે દસ ટકા ભાવ વધારો આપવાની જોગવાઈ પણ ઠરાવમાં કરવા સાથે કુલ ત્રણ કરોડ સાત લાખથી વધુની રકમથી કામ આપવા મંજુરી અપાઈ છે..

કેનેડા વિઝા સસ્પેન્ડ માત્ર અફવા? BLSએ નોટિસ હટાવી
સૌરાષ્ટ્રમાં પાનના ગલ્લાવાળાએ મહિલા PSIને કહ્યું, તારા પટ્ટા અને ટોપી ઉતરાવી દઇશ
ભાજપ યુવા મોરચામાં ૩૫થી વધારે વયના હોદ્દેદારોના રાજીનામાં લેવા C.Rનો આદેશ
આ વર્ષે નવરાત્રિમાં ૧૬૫ વર્ષ પછી રચાશે અજબ સંયોગ, શ્રાદ્ધપક્ષ અને દૂર્ગાપૂજા વચ્ચે એક મહિનાનું અંતર
મુંબઈના પૂર્વ કમિશનર પરમબીરસિંહ સામે છેતરપીંડી સહિતની IPC હેઠળ ચોથી ફરિયાદ દાખલ,કરોડોની વસુલીનો આરોપ
Share This Article
Facebook Email Print
Previous Article સંક્રમણમાં સામાન્ય ઘટાડો, સતત બીજા દિવસે ગુજરાતમાં કોરોનાના ૪૦ નવા કેસ નોંધાયા
Next Article સ્માર્ટ સિટીમાં ઘટતી જતી વાંચનભૂખ, મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના પુસ્તકાલયોમાં ઘટતી જતી વાંચકોની સંખ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up