ગાંધીનગર : આજે અમદાવાદ, વડોદરા અને ભાવનગરના મહાનગરપાલિકાના મેયર સહિત નવા હોદેદારોની જાહેરાત કરવામાં આવી છે.ગુજરાતમાં મહાપાલિકાની ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવ્યા બાદ હવે ભાજપે આજથી શરૂ કરેલી હોદેદારોની નિયુક્તિની પ્રક્રિયામાં અમદાવાદ-વડોદરા અને ભાવનગરના નવા મેયર,ડે.મેયર તથા સ્ટેન્ડીંગ ચેરમેન સહિતના પદાધિકારીઓની નિયુક્તિ જાહેર કરી છે. જેમાં અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમારની વરણી થઈ છે.જયારે ડેપ્યુટી મેયર તરીકે ગીતાબેન પટેલની વરણી કરવામાં આવી છે. સ્ટેન્ડીંગ ચેરમેન તરીકે હિતેષ બારોટ અને મહાપાલિકામાં ભાજપના નેતા તરીકે ભાસ્કર ભટ્ટની નિયુક્તી થઈ છે.
આજે અમદાવાદના પાલડી, ટાગોર હોલ ખાતે ભાજપના નવા ચૂંટાયેલા કોર્પોરેટરની બેઠક મળી હતી જેમાં આ વરણી જાહેર કરાઈ હતી.જયારે વડોદરામાં મહાપાલિકાના નવા મેયર તરીકે યુવા કોર્પોરેટર કેયુરભાઈ રોકડીયા તથા ડે.મેયર તરીકે નંદાબેન જોષીની વરણી થઈ છે અને સ્ટે.ચેરમેન તરીકે ડો. હિતેન્દ્ર પટેલ અને પક્ષના નેતા તરીકે અલ્પેશભાઈ લીંબાસીયાની વરણી થઈ છે જયારે દંડક તરીકે ચીરાગ બારોટની નિયુક્તિ કરવામાં આવી છે.હવે બીજા તબકકામાં તા.12 ના રોજ રાજકોટ,સુરત અને જામનગરના નવા મેયર અને ડે.મેયરની જાહેરાત થશે.
અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમારની વરણી
– ડેપ્યુટી મેયર તરીકે ગીતાબેન પટેલના નામની જેહેરાત
– સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હિતેશ બારોટની વરણી
– દંડક તરીકે અરુણસિંહ રાજપૂતની વરણી
– શાસક પક્ષના નેતા તરીકે ભાસ્કર ભટ્ટની નિમણૂંક
ભાવનગરના 21માં નવા મેયર તરીકે કીર્તિબેન દાણીધરીયાની નિયુક્તિ
– ડે. મેયર તરીકે કૃણાલ શાહની પસંદગી
– મનપામાં ભાજપ પક્ષના નેતા તરીકે બુધાભાઈ ગોહિલની વરણી
– સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન તરીકે ધીરુભાઈ ધામેલીયાની પસંદગી
વડોદરાનાં નવા મેયર તરીકે કેયુરભાઇ રોકડીયાની વરણી
– ડેપ્યુટી મેયર તરીકે નંદાબેન જોશીનાં નામની જાહેરાત
– સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હિતેન્દ્રભાઇ પટેલની વરણી
– દંડક તરીકે ચિરાગભાઇ બારોટની નિમણૂંક
– શાસક પક્ષ નેતા તરીકે અલ્પેશભાઇ લિંબાચિયાની વરણી