કહેવાય છે ને ‘લોભિયા હોય ત્યાં ધૂતરા ભૂખે ના મરે’ આ કહેવતને સાર્થક કરતો કિસ્સો હાલ અમદાવાદમાં સામે આવ્યો છે.એટલું જ નહીં, વારંવાર અંધશ્રદ્ધામાં અનેક લોકો છેતરાયા હોવાની ઘટનાઓ પણ પ્રકાશિત થતી રહે છે,તેમ છતાં લોકો તેમાંથી કોઈ બોધપાઠ લેતા નથી અને આવા ભૂવા કે ધૂતારાઓના ચુંગાલમાં ફસાય છે.અમદાવાદમાં પણ આજે અંધશ્રદ્ધામાં રૂપિયા 43.65 લાખની છેતરપિંડી આચરાઈ હોવાની ઘટના સામે આવી છે.તાંત્રિક વિધીના બહાને 3 શખ્સોએ આવડી મોટી રકમની છેતરપિંડી કરી છે.આ ઘટનાને લઈને ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખીને ગર્લફ્રેન્ડ સાથે મનદુ:ખ હોવાથી લેભાગૂ તત્વો પાસે તાંત્રિક વિધી કરવાનું નક્કી થયું હતું.જેમાં ત્રણ શખ્સો દ્વારા 43.65 લાખ રૂપિયા પડાવીને છેતરપિંડી કરાઈ હતી.આ ત્રણ શખ્સોએ ફરિયાદીના ઘરે અને ગર્લફ્રેન્ડ સાથે સારા સંબંધ થઈ જશે તેવું જણાવ્યું હતું.પરંતુ સમય જતાં ફરિયાદીને છેતરાયા હોવાનો અહેસાસ થતાં તેને ઘાટલોડિયા પોલીસ સ્ટેશને ગુનો નોંધાવ્યો હતો.હાલ ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં અજીબો ગરીબ અંધશ્રદ્ધાનો એક આશ્ચર્યજનક ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.પહેલાં તો આ કિસ્સો સાંભળીને પોલીસ પણ ચોંકી હતી.ગલફ્રેન્ડ સાથે મનદુઃખ હોવાથી અરજીદારે અંધશ્રદ્ધાનો સહારો લીધો હતો.જેમાં ગલફ્રેન્ડ સાથે મનદુઃખ દૂર થઈને પહેલાંની જેમ બધું સારું થઈ જશે તેવું માનીને ત્રણ શખ્સો પાસે તાંત્રિક વિધી કરાવી હતી.પરંતુ લેભાગૂ તત્વો તાંત્રિક વિધિના નામે 03 શખસોએ ભોળા અરજદાર પાસે ધીમે ધીમે લાખોની છેતરપિંડી કરી હતી. 03 શખસોએ ભેગા મળીને તાંત્રિક વિધિના નામે રૂપિયા 43,65,900ની છેતરપિંડી કરી હતી.
આટલા રૂપિયા ખર્ચ્યા પછી પણ ગર્લફ્રેન્ડ સાથેના સંબંધ ન સુધરતા અરજદારને છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો.તાંત્રિક વિધિ બાદ ફરિયાદીના ઘરમાં અને ગલફ્રેન્ડ જોડે સારા સંબંધો થઈ જશે તેવું તાંત્રિક વારંવાર પૈસા પડાવતા હતા.પરંતુ પોતાની પાસે છેતરપિંડી થઈ હોવાનું લાગતા અરજદારે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘાટલોડિયા પોલીસે 03 શખસો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.