અમદાવાદઃ ગુજરાતમાં આજે અમદાવાદ ,આણંદ અને રાજકોટમાં કોરોનાના કેસ નોંધાયા છે,અમદાવાદમાં કોરોનાના નવા 23 કેસ નોંધાયા છે, આણંદના આંકલાવ અને ખંભાતમાં 1-1 કેસ સામે આવ્યાં છે, બપોર પછી વડોદરાના નાગરવાડામાં વધુ 4 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે,કુલ 498 દર્દીઓમાંથી અમદાવાદનાં ઘોડાસરમાં 75 વર્ષના વૃદ્ધનું મોત થઇ ગયું છે,રાજ્યમાં મોતનો આંકડો 23 થયો છે,જ્યારે 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે.અમદાવાદમાં જમાલપુર, દાણીલીમડા, બહેરામપુરા, મણિનગર, ઘોડાસર, રાણીપ, કાલુપુર વિસ્તારમાં નવા કેસ નોંધાયા છે.
આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે કે 24 કલાકમાં 2663 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે,રાજ્યમાં અત્યાર સુધી 10994 લોકોના ટેસ્ટ કરાયા છે,જેમાંથી 498 લોકો કોરોના પોઝિટિવ આવ્યાં છે, કડીના રાંચરડા ગામમાં 6 વર્ષનો બાળક કોરોના પોઝિટિવ આવ્યો છે,જેથી આ ગામને ક્વોરોન્ટાઇન કરાયું છે,લોકડાઉનનો કડક અમલ કરાઇ રહ્યો છે.