અમદાવાદ ના જુહાપુરા માં 15 દુકાનો આગ માં સ્વાહા,સમગ્ર વિસ્તાર ફાયર ની સાયરન થી ગાજી ઉઠ્યો

HM News
1 Min Read

અમદાવાદ ના જુહાપુરા માં આજે વહેલીસવારે આઠ જેટલી દુકાનોમા આગ લાગતા ભારે દોડધામ મચી હતી.જોકે,ઘટના અંગે ની જાણ થતાં જ ફાયર ફાયટરો સાથે નો કાફલો દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવી લીધો છે.પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.સદનસીબે કોઈ જાનહાની ના અહેવાલ નથી.અમદાવાદ માં આગ ની ઉપરા ઉપરી ઘટનાઓ બની રહી છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે.આગ એટલી ભીષણ હતી કે જોતજોતામાં 15 દુકાનો આગ ની ઝપેટમાં આવી ગઈ હતી જેમાં સામાન બળીને રાખ થઇ ગયો છે.વાયુવેગે આગ ની ખબર ફેલાતા મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા.જોકે,ફાયર વિભાગની કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવતા આગ આગળ પ્રસરતી અટકી હતી.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *