કેન્દ્ર સરકાર દ્વારા ઉત્કૃષ્ટ અને સારી કામગીરી બદલ પ્રજાસતાક પર્વ પર રાજ્યના 19 પોલીસ અધિકારી અને જવાનોને મેડલ આપવાની જાહેરાત થઇ છે.જેના નામની જાહેરાત કરવામાં આવી છે બે જવાનોને પ્રેસિડેન્શિયલ પોલીસ મેડલ તો 17 જવાનોને પોલીસ મેડલ આપવામાં આવશે.પ્રજાસત્તાક દિવસ નિમિતે ગુજરાતના પોલીસ અધિકારીઓનું રાષ્ટ્રપતિનાં હસ્તે સન્માન કરવામાં આવશે.પ્રજાસત્તાક દિન પર,ગુજરાતના 19 પોલીસ અધિકારીઓને ઉત્તમ અને પ્રશંસનીય કાર્ય કરવા બદલ પ્રજાસત્તાક દિન પર મેડલ આપવામાં આવશે.બે પોલીસ કર્મીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને 17 સૈનિકોને પોલીસ મેડલ આપવામાં આવશે.રાષ્ટ્રપતિ પોલીસ મેડલ માટે જેના નામ છે તેમાં પીઆઇ બિન્દેશ શાહ અમદાવાદ,કુમાર રાય, જગદીશરાય ચંદ્ર વાયરલેસ પીઆઈ કમિશનર કચેરી અમદાવાદનો સમાવેશ થાય છે.
આઇજી ડો.અર્ચના શિવહરે,આઇજી જેઆર આર મોથાલિયા,ડીવાયએસપી રમેશ કે પટેલ,એસીપી આર.આર. સરવૈયા,ડીવાયએસપી ભારત માલી,સશસ્ત્ર ડીવાયએસપી વિક્રમ ઉલવા,ડીવાયએસપી રાજેશ બરાડ,ડીવાયએસપી કિરણ પટેલ,વાયરલેસ પીઆઈ કુમોદચંદ્ર પટેલ,પીઆઇ હિતેન્દ્રસિંહ ગઢવી,એએસઆઈ જીતેન્દ્ર પટેલ,એએસઆઈ બળવંત ગોહેલ,એએસઆઈ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ,હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્ર સિંહ કોસડા,એએસઆઈ કિરીટ જયસ્વાલ અને પોલીસ કોન્સ્ટેબલ નારણભાઇ પાપનિયાના નામ સામેલ છે.