આજથી અમદાવાદમાં વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવશે.અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં વેક્સિન માટેની તૈયારી શરૂ થઈ ગઈ છે.આજે 100 લોકોને વેક્સિન આપવામાં આવશે.સિવિલના ટ્રોમાં વોર્ડમાં સવારથી જ સ્ટાફને એલર્ટ રાખવામાં આવ્યો છે.હાલ પેરા સિવિલ હોસ્પિટલમાં સ્ટાફને વેક્સિન આપવામાં આવશે.ત્યારબાદ અન્ય લોકો માટેની વ્યવસ્થા કરવામાં આવશે. તે ઉપરાંત તે ઉપરાંત મેડિકલ કાઉન્સિલના ભૂતપૂર્વ ચેરમેન કેતન દેસાઈ, જોઇન્ટ રીપ્લેસમેન્ટ સર્જન ડૉ..એચ.પી.ભાલોડિયા એચ પી ભલોડિયા અને રાકેશ જોશી પણ વેક્સિન લેશે. સિવિલ હોસ્પિટલ ખાતે સી.એમના કાર્યક્રમમાં પ્રેસ આયોજનમાં અવ્યવસ્થા સર્જાતા હોબાળો થયો હતો.તમામ મીડિયા કર્મીઓ પ્રેસ કોન્ફરન્સ છોડીને બહાર નિકળી ગયાં હતાં.રસીકરણના પ્રારંભે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતાં.તે ઉપરાંત આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવી પણ પહોંચ્યાં હતાં.
SVP હોસ્પિટલમાં વેકસીનેશન રજિસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.પેરામેડીકલ સ્ટાફને લિસ્ટ મુજબ વેક્સિન રૂમમાં પ્રવેશ આપવામાં આવ્યો છે.એક ચિઠ્ઠીમાં નંબર,નામ, પ્રવેશનો સમય,રજિસ્ટ્રેશન વેરિફિકેશન સમય,વેક્સીન આપ્યાનો સમય,ઓબ્ઝર્વેશન પૂરો થયાનો સમય લખી અને ચિઠ્ઠી જે પણ વ્યક્તિ અંદર જાય છે તેને આપવામા આવે છે.
સુપ્રિટેન્ડન્ટ, એડિશનલ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ સહીત 11 ડૉક્ટરો રસી લેશે
અમદાવાદ સિવિલના સુપ્રિટેન્ટેન્ડ જે.પી મોદી,એડિશનલ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ સહીત 11 ડૉક્ટરો રસી લેશે.તે ઉપરાંત હેલ્થ વર્કરોને પણ વેક્સિન આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં વેક્સિન આપ્યા બાદ તેમને અડધો કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. હાલ પેરા સિવિલ હોસ્પિટલમાં સ્ટાફને વેકસીન આપવામાં આવશે.ત્યાર બાદ અન્ય લોકો માટેની વ્યવસ્યા કરવામાં આવશે.
એક સેન્ટરમાં વધુમાં વધુ 100 જેટલા આરોગ્યકર્મીઓને વેક્સિન અપાશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશનર ડો. ઓમપ્રકાશે સાથેની વાતચીતમાં કહ્યું હતું કે શહેરમાં 20 હોસ્પિટલમાં વેક્સિનેશન કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે જેમાં એક સેન્ટરમાં વધુમાં વધુ 100 જેટલા આરોગ્યકર્મીઓને વેક્સિન આપવામા આવશે.જે પણ સ્વસ્થ અને નિરોગી હોય એવા તમામ આરોગ્યકર્મીને વેક્સિનેશન આપવામા આવનાર છે અને તેની તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે.
આડઅસર થાય તો તાત્કાલિક ફોન કરી જાણ કરવી
જો લાભાર્થીને વેક્સિનેશન બાદ કોઈ પણ પ્રકારની આડઅસર જોવા મળે તો તેઓને તુરંત સારવાર મળી રહે તે માટે 104 અથવા 14499 નંબર પર કોલ કરી જાણ કરશે. જેથી તેને તાત્કાલિક સારવાર મળી રહે.આ ઉપરાંત તે અંગર્ગત યોગ્ય કાર્યવાહી પણ કરી શકાય.જો લાભાર્થીને વધુ સારવારની જરૂર પડશે તો નજીકના મ્યુનિસિપલ સંચાલિત હોસ્પિટલમાં લઇ જવામાં આવશે.
SVP હોસ્પિટલમા કોરોના વેક્સીનેશનની તૈયારીઓ પુર્ણ
અમદાવાદની SVP હોસ્પિટલમા કોરોના વેક્સીનેશનની તૈયારીઓ પુર્ણ કરવામા આવી હતી.4 જેટલા અલગ અલગ વેકસીનેશન રૂમમાં વેક્સીન આપવામાં આવશે.એક રૂમમાં 100 જેટલા લોકોને આપવામા આવશે.રોજના 400 લોકોને રસી આપી શકાશે.સૌથી પહેલા SVP હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડો.એસ.ટી મલ્હાન,આસી.સુપરિટેન્ડન્ટ ભાગ્યેશ દવે,NHL કોલેજના ડિન પંકજ પટેલ વેકસીન લેશે.જે પણ વ્યક્તિ રસી લેવા આવશે તેમનુ વેકસીન કેન્દ્ર બહાર રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે.ત્યારબાદ વેક્સીન રૂમ નંબર પર વ્યક્તિને મોકલવામાં આવ્યા છે.
વેક્સિન આવવાથી ડોક્ટરોનો આત્મવિશ્વાસ વધ્યો
AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર ઓમ પ્રકાશ મચ્છરાએ જણાવ્યું હતું કે SVP હોસ્પિટલમાં 4 વેક્સિનેશન સેન્ટર છે.જ્યાં રસી લેનારને રસી અપાયા બાદ 30 મિનિટ સુધી ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવશે.રસી આવી ગઈ છે તેનો મતલબ એવો નથી કે આપણે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ન પહેરીએ.હજી સામાન્ય લોકો સુધી વેક્સિન પહોંચતાં વાર લાગશે. જેથી કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. વેક્સિન આવવાથી ડોક્ટરોના આત્મવિશ્વાસમાં વધારો થશે.
SVPમાં પેરામેડીકલ સ્ટાફને લિસ્ટ મુજબ પ્રવેશ અપાયો
SVP હોસ્પિટલમાં વેકસીનેશન રજિસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.પેરામેડીકલ સ્ટાફને લિસ્ટ મુજબ વેક્સિન રૂમમાં પ્રવેશ આપવામાં આવ્યો છે.એક ચિઠ્ઠીમાં નંબર, નામ, પ્રવેશનો સમય,રજિસ્ટ્રેશન વેરિફિકેશન સમય, વેક્સીન આપ્યાનો સમય, ઓબ્ઝર્વેશન પૂરો થયાનો સમય લખી અને ચિઠ્ઠી જે પણ વ્યક્તિ અંદર જાય છે તેને આપવામા આવે છે.