ગુજરાતમાં જયારથી કોરોના સંક્રમણ ચાલુ થયુ છે ત્યારથી સીનીયર આઈએએસ અધિકારીની એક ટીમ ગાંધીનગર,અમદાવાદ,રાજકોટ સહિતના મહાનગરોમાં સતત એકશનમાં છે.જયારે સચીવાલયમાં કેટલાક અધિકારીઓ એવા છે કે પોતાને આ સંક્રમણ કરનારી કામગીરીથી દૂર રાખવામાં સફળ રહ્યા છે અને તેથી આઈએએસ લોબીમાં ચર્ચા છે કે શા માટે ડયુટીમાં રોટેશન થતુ નથી અથવા તો વધુ અધિકારીને કામગીરી સોંપાતી નથી.હાલ ઈન્ચાર્જ અધિકારીઓ એકથી વધારે પોર્ટફોલીયો હેન્ડલ કરે છે અને તેઓને રજાની પણ તક મળતી નથી.


