અમારૂં હિન્દુત્વ વેરઝેર અને બદલો લેવાની તરફેણમાં નથી: ઉધ્ધવ ઠાકરે

HM News
2 Min Read

– તેલંગણાના સીએમ ચંદ્રશેખર રાવ સાથે દેશમાં સત્તાપરિવર્તન મુદ્દે ચર્ચા થઈ : શરદ પવાર
મુંબઈ : ત્રીજા મોરચો બનાવવા માટે મુંબઈ આવેલા તેલંગણાના મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવે યોજેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ ભાજપના નામ લીધા વિના જણાવ્યું હતું કે અમારૂં હિંદુત્વ વેરઝેરની ભાવના કે બદલો લેવાની તરફેણમાં નથી.કેટલાંક લોકો દેશની કિંમતના ભોગે માત્ર એજન્ડા માટે કામ કરે છે.એમ કહીને ભાજપ પર પ્રહાર કર્યા હતા.

ઉધ્ધવ ઠાકરેએ વધુમાં જણાવ્યું હતું કે આપણે આપણા દેશને સાચા રસ્તે લઈ જવાનો છે.મુખ્યપ્રધાન અને વડાપ્રધાન આવતાં અને જતાં હોય છે.પરંતુ રાષ્ટ્ર રહેશે.આવી પરિસ્થિતિમાં રાષ્ટ્રનું ભવિષ્ય શું હોય. કોઈને પણ પહેલ કરવાની જરૂર છે અને અમે કરી છે.અમે લાંબા સમયથી મળવા ઈચ્છતા હતા અને ફાઈનલ અમે મળીએ છીએ.આજે મુલાકાત સારી રહી છે.

ઠાકરેએ વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય એજન્સીનો દુરૂપયોગ થયો છે.અમે મમતા બેનરજીને પણ મળીશું.શરદ પવારે જણાવ્યું હતું કે જ્યારે અમે રાજકીય લોકો એકબીજાને મળીએ છીએ ત્યારે રાજકીય મુદ્દા પર વધારે ચર્ચા કરીએ છીએ.પણ આજની બેઠક અલગ હતી.

બીજી બાજુ એનસીપીના વડા શરદ પવારને મળ્યા બાદ તેલંગણાના મુખ્ય પ્રધાન કે.ચંદ્રશેખરે કહ્યું હતું કે દેશમાં અનુભવી નેતા શરદ પવાર છે.સમ વિચારધારા ધરાવતા પક્ષોને ભાજપ વિરૂદ્ધ એકત્રિત થવાની ગરજ છે.તેનું નેતૃત્વ શરદ પવારે કરવું એમ કહીને કે.ચંદ્રશેખરે ઉમેર્યું હતું કે દેશના બિન-ભાજપ શાસિત રાજ્યના મુખ્ય પ્રધાનો બેઠક ટૂંક સમયમાં બારામતીમાં યોજાશે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *