દેશમાં એક તરફ કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે તેવામાં કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહના નામે ફેક એકાઉન્ટ એક્ટિવ કરવામાં આવ્યું છે.ગૃહમંત્રી અમિત શાહના ફેક એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે ગૃહમંત્રી અમિત શાહને કેન્સર છે.પરંતુ આ અકાઉન્ટ ફેક છે અને અમિત શાહને ગંભીર બીમારી હોવાની વાતથી અને આ અકાઉન્ટથી તેમનો ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો હતો.આ અકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલી પોસ્ટ બાદ ગૃહમંત્રી અમિત શાહે એક ટ્વીટ કરી છે.
તેમણે લખ્યું છે કે હાલ તેઓ કોરોના મહામારીના કારણે વ્યસ્ત છે તેવામાં આવી વાતો પણ તેઓ ધ્યાન આપતા નથી.તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને કોઈ બીમારી નથી.જે લોકોએ તેમની ચિંતા આ ફેક મેસેજના કારણે કરી તેમનો આભાર પણ તેમણે માન્યો હતો.જો કે ટ્વીટર પર ગૃહમંત્રી અમિત શાહનું ફેક અકાઉન્ટ બનાવી અફવા ફેલાવનાર 4 લોકોની પોલીસે ધરપકડ પણ કરી લીધી છે.
સોશિયલ મીડિયા પર અમિત શાહનું ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે.આ ટ્વિટમાં લખ્યું છે કે તેમને ગળાના પાછળના ભાગમાં બોન કેન્સર થયું છે.સાથે અપીલ કરવામાં આવી છે કે રમઝાનના આ મહિનામાં મુસ્લિમ સમાજના લોકો અમિત શાહના સારા સ્વાસ્થ્ય માટે દુવા કરે.હકિકતમાં આવી કોઈ ટ્વિટ અમિત શાહે કરી નથી.કોઈએ ખોટા મેસેજ વાયરસ કર્યા હતા જેને લઈને આજે ગૃહ પ્રધાને એક ટ્વિટ કરી આ જાણકારી આપી છે કે તેઓ પુરી રીતે સ્વસ્થ છે અને તેમને કોઈ પણ પ્રકારની બીમારી નથી.તો સોશિયલ મીડિયામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના સ્વાસ્થ્યને લઇને ખોટી અફવાઓ ચાલી રહી હતી. ત્યારે ખુદ અમિત શાહે ટ્વિટ કરીને જણાવ્યું કે તેઓ સંપૂર્ણ પણ સ્વસ્થ છે અને તેમને કોઇ બિમારી નથી.તેમણે પોતાના સંદેશમાં લખ્યું કે છેલ્લા ઘણા દિવસોથી કેટલાક મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી મારા સ્વાસ્થ્ય અંગે ઘણી કાલ્પનિક અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. કેટલાક લોકોએ તો મારા મૃત્યુ માટે પણ ટ્વિટ કરીને દુઆ માંગી છે.જ્યારે આ વાત મારા ધ્યાનમાં આવી તો મને વિચાર આવ્યો કે આ બધા લોકો પોતાના કાલ્પનિક વિચારથી આનંદ લઇ રહ્યા છે. એટલે મે કોઇ પણ જાતની સ્પષ્ટતા કરી નહીં.પરંતુ પાર્ટીના લાખો કાર્યકરો અને શુભચિંતકોને ચિંતા થતા હું આ વાતને નજર અંદાજ ન કરી શક્યો. તેથી હું સ્પષ્ટ કરૂ છું કે મને કોઇ પણ જાતની બિમારી નથી.તેમણે લખ્યું કે જે કોઇ પણ લોકોએ આ અફવા ફેલાવી છે તેમના પ્રત્યે મારા મનમાં કોઇ પણ જાતની દુર્ભાવના કે દ્વેષ નથી.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અંગે સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ ફેલાવનાર 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ગણતરીના કલાકોમાં ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા છે.4 પૈકી 2 આરોપીઓ અમદાવાદના છે.જ્યારે કે અન્ય બે આરોપીઓ ભાવનગરના છે.

