વડોદરા,તા.૨૦
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વડોદરાની મુલાકાતે આવવાના છે. જેને લઈને શહેર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. તેઓ સુરસાગરના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપવાના છે.
મળતી માહિતી મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડોદરાની મુલાકાતે આવવાના છે. શહેર પોલીસે સુરસાગર ફરતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. ડોગસ્કવોર્ડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયુ છે. શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવના લોકાર્પણ કાર્યકર્મમાં અમિત શાહ હાજરી આપશે. ૩૦ હજાર દીવડાની મહા આરતીમાં પણ તેઓ ભાગ લેશે.
અત્રે જણાવવાનું કે ૩૫ કરોડના ખર્ચે સુરસાગર તળવાનું નવીનિકરણ કરાયું છે. ન્યાય મંદિર, દાંડિયા બજાર અને ગાંધીનગર ગૃહની આસપાસના વિસ્તારોનું પણ ચેકિંગ હાથ ધરાયું છે. સુરક્ષામાં કોઈ ખામી ન રહે તે માટે આજથી જ સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
અમિત શાહ આજે વડોદરાની મુલાકાતે… સુરસાગર તળાવનું લોકાર્પણ કરશે
Leave a Comment