અમિત શાહ દિલ્હીને કોમી રમખાણોથી બચાવવામાં નિષ્ફળ રહ્યા : શરદ પવાર

HM News
3 Min Read

નવી દિલ્હી, તા. 24 એપ્રિલ 2022 રવિવાર : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ચીફ શરદ પવારએ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યુ કે રાજકારણમાં હાર-જીત થતી રહે છે પરંતુ સત્તાને દિમાગમાં લેવી જોઈએ નહીં.તેમણે કહ્યુ કે ભાજપ કાર્યકર્તાઓને સંકુચિત વિચાર દેશહિતના નથી.પવારએ ગૃહ મંત્રી અમિત શાહ પર પણ નિશાન સાધ્યુ.તેમણે કહ્યુ કે કેન્દ્રની તપાસ એજન્સી સીબીઆઈ અને ઈડીની કાર્યવાહીનો ડર બતાવીને જનપ્રતિનિધિઓને ધમકાવે છે પરંતુ એનસીપી પાર્ટીના નેતા અને કાર્યકર્તા આ કાર્યવાહીઓનો આકરો જવાબ આપશે.શરદ પવારએ કહ્યુ કે મે ઈન્દિરા, રાજીવ, નરસિમ્હા રાવ, મનમોહનનુ કાર્યાલય જોયુ છે જ્યારે અન્ય દેશના નેતા ભારત આવતા હતા તો તેઓ દિલ્હી, હૈદરાબાદ, કલકત્તા જતા હતા પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે.હવે કોઈ અન્ય દેશના નેતા આવે છે તો તેઓ ભારત આવે છે પરંતુ ગુજરાત જાય છે.પવારએ કહ્યુ, મને ખુશી છેકે આંતરરાષ્ટ્રીય નેતા ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે પરંતુ તે ભલે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હોય, ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ હોય કે યુકેના વડાપ્રધાન બોરિસ જોનસન હોય, તમામને ગુજરાત લઈ જવાય છે.કોઈ અન્ય સ્થળે નહીં.આ દર્શાવે છે કે દિલ્હીના શાસક અન્ય રાજ્ય વિશે શુ વિચારે છે.શનિવારે કોલ્હાપુરના તપોવન મેદાનમાં એનસીપી પરિવાર સંવાદ સંકલ્પ સભાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.કાર્યક્રમમાં હાજર શરદ પવારએ આ વાત કહી.

શરદ પવારએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પર પણ નિશાન સાધ્યુ અને કહ્યુ કે દેશની રાજધાની દિલ્હીને સાંપ્રદાયિક હુલ્લડથી બચાવવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે.આ મહિનાની શરૂઆતમાં હનુમાન જયંતીના જુલૂસ દરમિયાન દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં થયેલી હિંસાનો ઉલ્લેખ કરતા પવારએ કહ્યુ કે દિલ્હી સાંપ્રદાયિક તણાવના કારણે સળગી રહી હતી.દિલ્હી રાજ્ય અરવિંદ કેજરીવાલ દ્વારા નિયંત્રિત છે, પરંતુ આની પોલીસ અમિત શાહ દ્વારા નિયંત્રિત કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આધીન આવે છે.

પવારએ કહ્યુ, દિલ્હીમાં કંઈ થાય તો વિશ્વમાં સંદેશ જશે. દુનિયા વિચારશે કે દિલ્હીમાં અશાંતિ છે.તેમણે કહ્યુ, દિલ્હી અમારી રાષ્ટ્રીય રાજધાની છે અને આના કેટલાક ભાગમાં હિંસા થઈ.લોકોએ એકબીજા પર હુમલો કર્યો અને આગજની થઈ.પવારએ કહ્યુ, અમિત શાહે દિલ્હીને એકીકૃત અને અવિભાજિત રાખવા માટે પગલા લેવા જોઈએ પરંતુ તે આવુ કરવામાં નિષ્ફળ રહ્યા.આપની પાસે શક્તિ છે પરંતુ તમે દિલ્હી જેવા શહેરને સંભાળી પણ શકતા નથી.પવારએ રાકાંપા કાર્યકર્તાઓને કહ્યુ કે આપણે આ દેશમાં સત્તામાં હાજર સાંપ્રદાયિક તાકાતોને ઉખાડી ફેંકવી પડશે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *