અમે જ જીતીશું : અમારી પાર્ટી 320થી વધુ બેઠકો પર જીતનો ભગવો લહેરાવશે, ચૂંટણી પહેલાં જ ભાજપનો અતિ વિશ્વાસ

HM News
2 Min Read

દેશમાં વિવિધ રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે,અને તેનો આગાઝ પણ થઈ ગયો છે.આગામી યુપી વિધાનસભા ચૂંટણીને લોકસભાની સેમી ફાઈનલ તરીકે જોવામાં આવી રહી છે ત્યારે યુપીના સીએમ યોગી આદિત્યનાથે મોટો દાવો કર્યો છે કે, યુપીમાં ભાજપ 320 થી 350 બેઠકો જીતશે.

યોગી આદિત્યનાથે એક અહેવાલમાં કહ્યુ હતુ કે, 2022માં ભાજપ પોતાનો જ રેકોર્ડ તોડશે અને ગયા વખતે મળેલી 312 બેઠકો કરતા વધારે બેઠકો મેળવશે.યુપીની ચૂંટણીમાં ખેડૂત આંદોલનની કોઈ અસર જોવા નહીં મળે.

સરકાર વિરોધી લહેર કામ નહીં કરે

યોગીએ કહ્યુ હતુ કે, રાજ્ય સરકાર આર્થિક વિકાસ અને કાયદો અને વ્યવસ્થાના મોરચે ઘણુ સારૂ કામ કરી રહી છે.મને ભરોસો છે કે, રાજ્યમાં અમારો જે પ્રકારનો કામ કરવાનો રેકોર્ડ રહ્યો છે તેના કારણે સરકાર વિરોધી લહેર કામ નહીં કરે.ભાજપ ફરી સત્તા મેળવશે તે વાતમાં મને કોઈ સંદેહ નથી.

તેમણે આગળ કહ્યુ હતુ કે, રાજ્યના રાજકારણને હું સારી રીતે સમજુ છું. કારણકે 23 વર્ષથી હું રાજકારણમાં છું. મતદારોની રાજકીય સમજ અને પરિપક્વતા પર મને પૂરો ભરોસો છે. ખેડૂત આંદોલન વિપક્ષની ઉપજ છે અને તેનો પ્રભાવ એ રાજ્યોમાં વધારે છે જ્યાં વચેટિયાઓ કામ કરે છે. યુપીમાં સરકાર ખેતપેદાશો ખરીદવા માટે ખેડૂતો સાથે સીધા સંપર્કમાં છે.

વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી

તેમણે કહ્યુ હતુ કે, વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી એટલે તેઓ ખેડૂત આંદોલનને ઉત્તેજન આપી રહ્યા છે.ખેડૂત આંદોલનની અસર યુપીમાં જોવા નહીં મળે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *