અલ્લાહબાદ તા.૯ : અત્રેની હાઇકોર્ટ એક મહત્વનો ચુકાદો આપીને ઠરાવ્યું હતું કે,રોજમદાર કર્મચારી પાસેથી લાંબા સમય સુધી ડ્રાઇવરનું કામ લીધા પછી તેની પાસે કાયદેસરનું લાયસન્સ નથી તેવા માત્ર કારણથી તેમની નિમણુંક અયોગ્ય હતી તેમ કહી શકાય નહિ.
આ કેસની વિગત મુજબ ૧૯૮૯માં રામનારાયણની વનવિભાગમાં ડ્રાઇવર તરીકે નિમણુંક થયેલ.ર૦૦૬ સુધી તે દૈનિક કર્મચારી તરીકે કામ કર્યા બાદ તેમણે કાયમી કર્મચારી ગણવા અરજી કરી તો તેને નોકરીમાંથી હટાવી લેવાયા અને એવું કહેવામાં આવ્યું હતું.અરજદાર પાસે કાયદેસરનું લાયસન્સ હતુ નહિ.
આ મામલે અરજદારે હાઇકોર્ટમાં અરજી કરતા હાઇકોર્ટ માત્ર લાયસન્સ કે યોગ્ય કે,અયોગ્ય હોવાના કારણે અરજદારની નિમણુંક ગેરકાયદે છે. તેમ માની શકાય નહી તેવો આદેશ કર્યો હતો.