નવી દિલ્હી તા.26 : વાદગ્રસ્ત અયોધ્યા જમીનની માલિકી મેળવવામાં રામલલ્લા બિરાજમાન સફળ થયા એનાથી પ્રેરણા લઈ શ્રીકૃષ્ણ બિરાજમાને પણ મથુરાની કોર્ટમાં શુક્રવારે દીવાની દાવો નોંધાવી કૃષ્ણ જન્મભૂમિની આવી 13.37 એકર જગ્યાની માલિકી અને શાહી ઈદગાહ મસ્જીદ દૂર કરવા માંગણી કરી છે.
નોંધપાત્ર છે કે,રામલલ્લા બિરાજમાને 1989માં દીવાની દાવો કર્યો હતો અને 2019માં તેની તરફેણમાં ચૂકાદો આવ્યો હતો.ભગવાન શ્રીકૃષ્ણ બિરાજમાન,કાટ્રા કેશવદેવ ખેવાત,મોજે મથુરા બાઝાર સીટી તરીકે વર્ણવાયેલા અરજદારે નજીકના મિત્ર રંજના અગ્નીહોત્રી અને અન્ય છ ભાવિકો દ્વારા દીવાની દાવો કર્યો છે.
મથુરાની આ યાદગ્રસ્ત જગ્યા પણ ઘણાં હિંદુઓના મતે ભગવાન કૃષ્ણની જન્મભૂમિ છે.અયોધ્યા અને મથુરા ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદે વારાણસી વિશ્વનાથ મંદિરની અડીને આવેલી જ્ઞાનવાળી મસ્જીદની જમીન પર હિંદુઓને પાછી આપવા માંગણી કરી હતી.
જો કે આ દાવામાં મોટી અડચણ પ્લેસીસ ઓફ વર્શીય (સ્પેશ્યલ પ્રોવિઝન્સ) એકટ, 1991 છે,રામ જન્મભૂમિ- બાબરી મસ્જીદ મીનની માલિકી મેળવવાના દાવાને બાકાત રાખી આ કાયદા હેઠળ 1947માં અસ્તિત્વમાં હોય તેવા વાર્ષિક સ્થાનોની યથાસ્થિતિ બદલી શકે તે ફરિયાદો-દાવાઓ હાથ ધરવા અદાલતો પર પ્રતિબંધ ફરમાવાયો છે.
વળી, ગત વર્ષે 9 નવેમ્બરે અયોધ્યાનો ચૂકાદો આપતાં સુપ્રીમ કોર્ટે કાશી અને મથુરા જેવા ધર્મસ્થાનોની યથાસ્થિતિ બદલવા માટેની હવે પછીની કોઈપણ કાનૂની કાર્યવાહની દ્વાર બંધ કરી દીધા હતા.જો કે મથુરા સાઈટ માટેના હિંદુ દાવેદારે વિષ્ણુ શંકર જૈન મારફત 1991ના કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.