By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અયોધ્યામાં રામજન્મભૂમિમાં ખોદકામમાં પ્રાચીન મંદિરના અવશેષો મળ્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અયોધ્યામાં રામજન્મભૂમિમાં ખોદકામમાં પ્રાચીન મંદિરના અવશેષો મળ્યા
GeneralNational

અયોધ્યામાં રામજન્મભૂમિમાં ખોદકામમાં પ્રાચીન મંદિરના અવશેષો મળ્યા

HM News
Last updated: 13/09/2023 10:01 AM
HM News
2 years ago
Share
SHARE

– જાન્યુઆરી 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે
– અવશેષોને રામલલાના ભવ્ય મંદિરમાં શ્રધ્ધાળુઓના દર્શન માટે રાખવામાં આવશે

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કામ ચાલી રહ્યું છે.આ દરમિયાન ખોદકામમાં પ્રાચીન મંદિરના કેટલાંક અવશેષો મળી આવ્યા છે.જેમાં અનેક મૂર્તિઓ અને સ્તંભો સામેલ છે.આ અંગે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સોશ્યલ મીડિયા પર માહિતી આપી હતી.તેમણે એક ફોટો શેર કરી છે જેમાં મળી આવેલા અવશેષો દેખાઈ રહ્યા છે.

શ્રધ્ધાળુઓના દર્શન માટે રાખવામાં આવશે અવશેષો

આ પ્રથમ વખત છે જયારે મંદિરના નિર્માણ સમયે ખોદકામ દરમિયાન મળી આવેલી વસ્તુઓની ફોટો સામે આવી છે,જેમાં એક ડઝનથી વધુ પ્રતિમાઓ,સ્તંભો અને શિલાઓ વગેરે સામેલ છે.આ શિલાઓમાં પર દેવી-દેવતાઓના શિલ્પો કોતરેલા છે. ફોટોમાં મંદિરમાં લાગનાર સ્તંભો પણ જોઈ શકાય છે.કહેવામાં આવી રહ્યું છે કે ખોદકામ દરમિયાન મળેલા આ અવશેષોને રામલલાના ભવ્ય મંદિરમાં શ્રધ્ધાળુઓના દર્શન માટે રાખવામાં આવશે.

श्री रामजन्मभूमि पर खुदाई में मिले प्राचीन मंदिर के अवशेष। इसमें अनेकों मूर्तियाँ और स्तंभ शामिल हैं। pic.twitter.com/eCBPOtqE1W

— Champat Rai (@ChampatRaiVHP) September 12, 2023

ASIના સર્વેમાં પણ ઘણી વસ્તુઓ મળી હતી

અયોધ્યામાં જયારે મંદિરનું નિર્માણ શરુ થયું હતું ત્યારે 40થી 50 ફૂટ ખોદકામ કરવામાં આવ્યું હતું.મંદિર પરિસરના ખોદકામ દરમિયાન આ તમામ વસ્તુઓ મળી આવી હતી,જે હિન્દુ પક્ષના દાવાને વધુ મજબૂત બનાવે છે. ASIના સર્વેમાં પણ ઘણી વસ્તુઓ મળી હતી.મંદિર-મસ્જિદ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે આ અંગે સંજ્ઞાન પણ લીધું હતું.જણાવી દઈએ કે રામ મંદિરનું નિર્માણ કાર્ય ખુબ ઝડપથી ચાલી રહ્યું છે.જાન્યુઆરી 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનું ઉદ્ઘાટન થવાનું છે. જાન્યુઆરી સુધી મૂર્તિ સ્થાપિત થઇ જશે જે પછી ભક્તો દર્શન કરી શકશે.

કોરોના વિકરાળ બની રહ્યો છે : દેશનો મૃત્યુઆંક ૧૦૮૦ : સંક્રમિતો ૩૩૦૦૦ ઉપર : ૮૦૦૦થી વધુ સાજા થયા
4 ઇન્સ્યોરન્સ કંપની પર IRDA એ ફટકાર્યો 51 લાખ રૂપિયાનો દંડ
અભિનેત્રી મહેક ચહલ સાથે ઓનલાઈન છેતરપિંડીઃ 49 હજાર રૃપિયા ગુમાવતા પોલીસમાં ફરિયાદ
લો મસ્જિદના ઈમામને લાધ્યું જ્ઞાન !! કહ્યું કે માંસની વધતી કિંમતો માટે મહિલાઓની સુંવાળી જાંઘ જવાબદાર : નગ્ન રહેવાથી મહિલાઓનું માંસ સસ્તું થાય છે…
સુપ્રીમે કહ્યું- શું અમે મૂર્ખ છીએ? ટેલીકોમ કંપનીઓના MDને જેલની ચેતવણી
Share This Article
Facebook Email Print
Previous Article ઈઝરાયેલીઓ પરના 27 હુમલા અમે નિષ્ફળ બનાવ્યા છે, ઈરાનને તેની કિંમત ચુકવવી પડશે : મોસાદ
Next Article વાહ શાબાશ સરકાર! ગુજરાતમાં પ્રથમવાર એક શહિદના પરિવારને એક કરોડ રૂપિયા અપાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up