કોરોના વાયરસ મહામારીને ફેલાતી રોકવા માટે સરકાર દ્વારા કરાયેલા દેશવ્યાપી લોકડાઉન બાદની પરિસ્થિતિનો સામનો કરવા માટે કેન્દ્રએ કામ શરૃ કરી દીધું છે. સાથે જ કેન્દ્રમાં લોકડાઉનની અસર ઓછી કરવા માટે અને અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકવા માટે એક વધારે બૂસ્ટર ડોઝ પર સરકાર વિચારી રહી છે. કેન્દ્ર સરકારે વરિષ્ઠ અધિકારીઓને આ જાણકારી આપી દીધી હતી.
હજી સુધી કોઈ અંતિમ નિર્ણય પર પહોંચ્યા નથી
અધિકારીએ કહ્યું કે સરકારનું લક્ય 15 એપ્રિલ સુધી લોકડાઉન સમાપ્ત થયા પછી ઊભા થનારી મુશ્કેલીઓ પર ચર્ચા કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે પેકેજને લઈને ચર્ચા થઈ હતી. પરંતુ હજી સુધી કોઈ અંતિમ નિર્ણય પર પહોંચ્યા નથી. તેમણે કહ્યું હતું કે સરકારનો વિચાર જરૃ-રિયાતમાં પ્રાણ ફૂંકવાની છે. એટલા માટે કોઈ ઉપાય કરવાની જરૃર હતી. જો પેકેજની ઘોષણા કરવામાં આવે તો કોરોના મહામારીથી પેદા થયેલી મુશ્કેલીઓનો સામનો કરવા માટેનો આ ત્રીજો મહત્ત્વનો પ્રયાસ હશે.
1.7 લાખ કરોડ રૃપિયાના રાહત પેકેજની ઘોષણા કરી હતી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગત 24 માર્ચે દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી. તેના થોડા સમય પહેલા નાણામંત્રી નિર્મલા સિતારમને ટેક્સપેયર્સ તથા કારોબારીઓ માટે રાહતની ઘોષણા કરી હતી. એના બે દિવસ પછી સીતારમણે કોરોના વાયરસના પ્રકોપથી સૌથી વધુ પ્રભાવિત થનારાઓ માટે 1.7 લાખ કરોડ રૃપિયાના રાહત પેકેજની ઘોષણા કરી હતી. અધિકારીઓએ કહ્યું કે સરકાર પાસે કેટલાય વિકલ્પ છે. જેવા મંત્રાલયો દ્વારા સ્કોલરશિપ અને ફેલોશિપ, રવી પાકની કાપણી અને સરકારે એક એક કરીને તેનું સમાધાન કરવાનું નક્કી કર્યું છે.