કોરોના મહામારીને કારણે માર્ચ 2020થી લોકડાઉન કરાયેલી ટ્રેનો પૈકી અનેક ટ્રેનો ચાલુ થઈ હતી,પરંતુ દ્વારકા અને સોમનાથ તીર્થને જોડતી રોજિંદી તેમજ અજમેર શરીફની જિયારત તેમજ ગુલાબી શહેર જયપુરના પ્રવાસ માટેની સાપ્તાહિક ખૂબ જ લોકપ્રિય ટ્રેનો દોઢ વર્ષે તારીખ ૧૨ મી જુલાઇ અષાઢી બીજના તહેવારથી શરૂ થઈ રહી છે.
મુસાફરોની સુવિધા માટે રેલવે પ્રશાસન દ્વારા રાજકોટ વિભાગમાંથી પસાર થતી ઓખા-સોમનાથ અને ઓખા-જયપુર સ્પેશિયલ ટ્રેનો અંગે સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ નંબર 09252 /09251 ઓખા – સોમનાથ – ઓખા દૈનિક ટ્રેન નંબર 09252 ઓખા – સોમનાથ સ્પેશિયલ દૈનિક 12 મી જુલાઈ, 2021થી આગળની સૂચના સુધી દોડશે.આ ટ્રેન દરરોજ 20.15 કલાકે ઓખાથી ઉપડશે અને બીજા દિવસે 05.25 કલાકે સોમનાથ પહોંચશે.તેવી જ રીતે,ટ્રેન નંબર 09251 સોમનાથ-ઓખા સ્પેશિયલ દૈનિક 12 મી જુલાઈ, 2021 થી આગળની સૂચના સુધી દોડશે.આ ટ્રેન સોમનાથથી દરરોજ 22.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.15 કલાકે ઓખા પહોંચશે.
નંબર 09537 / 09538 ઓખા – જયપુર – ઓખા સાપ્તાહિક વિશેષ ટ્રેન નંબર 09537 ઓખા – જયપુર સ્પેશિયલ અઠવાડિયામાં એકવાર 12મી જુલાઈ, 2021થી આગળની સૂચના સુધી ચાલશે.આ ટ્રેન દર સોમવારે 21.00 વાગ્યે ઓખાથી ઉપડશે અને બીજા દિવસે 15.50 કલાકે જયપુર પહોંચશે. આવી જ રીતે ટ્રેન નંબર 09538 જયપુર-ઓખા સ્પેશિયલ અઠવાડિયામાં એકવાર 13 મી જુલાઈ, 2021થી આગળની સૂચના સુધી ચાલશે.આ ટ્રેન દર મંગળવારે 17.15 કલાકે જયપુરથી ઉપડશે અને બીજા દિવસે 13.20 કલાકે ઓખા પહોંચશે.
ટ્રેન નંબર 09252, 09251 અને 09537 માં ટિકિટ બુકિંગ 10 જુલાઇ, 2021 થી નિયુક્ત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.