By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અષાઢી બીજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવાની સરકારની ઈચ્છા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > અષાઢી બીજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવાની સરકારની ઈચ્છા
AhmedabadGeneral

અષાઢી બીજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવાની સરકારની ઈચ્છા

HM News
Last updated: 28/06/2021 7:53 AM
HM News
4 years ago
Share
SHARE

કોરોના અને લોકડાઉનને કારણે ગત વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી શકી નહોતી.આ વર્ષે બીજા તબક્કા બાદ હવે કેસ ઘટયા હોવા પણ ૧૨મી જુલાઈના અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળશે કે નહીં તેની કોઈને ખબર નથી.આ અગાઉ જમાલપુરના જગન્નાથજીના મંદિરમાં અખાત્રીજે ભગવાનના ત્રણેય રથોનું પૂજન કરાયું હતું.ઉપરાંત ૨૪મી જૂને જળયાત્રા કાઢવાની મંજૂરી પણ આપી દેવાઈ હતી.

જો કે તેમાં કેટલીક શરતો રાખવામાં આવી હતી. હવે ૧૨મી જુલાઈએ ભગવાનની મુખ્ય રથયાત્રા કાઢવા દેવાની છૂટ અપાશે કે કેમ તેના પર સૌની નજર છે.બીજી બાજુ ગુજરાતના સિનિયર IAS અધિકારીઓ રથયાત્રાને મંજૂરી મળે તેવું ઈચ્છતા નથી. તેઓ માને છે કે કોરોનાના બીજા તબક્કામાં લોકોની અને સરકારની તેમજ સમગ્ર વહીવટી તંત્રની ખૂબ જ કફોડી હાલત થઈ હતી.હજુ ત્રીજી લહેરનું જોખમ છે.આ સ્થિતિમાં રથયાત્રામાં એક જ સમયે લાખો લોકોના ભેગા થવાથી સંક્રમણનો ખતરો વધશે.બાબુઓ માને છે કે રથયાત્રાને મંજૂરી એટલે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપવા જેવું ગણાશે.

સચિવાલયમાં થઈ રહેલી ચર્ચા મુજબ કોરોનાની સારવાર અંગે લોકોમાં સરકારની નીતિરીતિ સામે લોકોમાં જબરજસ્ત આક્રોશ છે.ઉપરાંત જો રથયાત્રાને મંજૂરી નહીં મળે તો લોકોની ધાર્મિક લાગણી દુભાશે.જેની વિપરીત અસર નવેમ્બર ૨૦૨૨માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પડી શકે છે.આ ભયને ધ્યાનમાં રાખીને તેમજ હિન્દુવાદી સરકારની ઈમેજને બનાવી રાખવા માટે કેટલાક રાજકીય નેતાઓ પણ રથયાત્રા કાઢવાને મંજૂરી આપવાની તરફેણમાં છે.જેને પગલે સરકારે પણ કેટલાક અંકુશો રાખીને રથયાત્રાને મંજૂરી આપવાનું મન બનાવી લીધું છે એટલું જ નહીં તે માટેની તૈયારીઓ શરૂ થઈ છે.

કોરોના સામેની લડતમાંં આ અઠવાડિયું સૌથી મહત્વનું
ગુજરાતમાં પાટીલ-મોઢવડિયા વચ્ચે જુબાની જંગ તેજ, 10 કરોડના માનહાનિ દાવાની ચીમકી
વડોદરામાં માતા લટકતી હતી ને અઢી વર્ષનો પુત્ર રડતો હતો, પરિણીતાના આપઘાત કેસમાં પતિ સહિત સાસરિયા સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો
H.L કોમર્સ ૮૫ વર્ષ બાદ હવે મોર્નિંગ શિફ્ટમાં ચાલશે :વિદ્યાર્થીઓને મોટો ફાયદો
હચમચાવી નાખતો કિસ્સો : જમાઈની હેવાનિયત, સાસુના પ્રાઈવેટ પાર્ટમાં નાખી દીધો ડંડો
Share This Article
Facebook Email Print
Previous Article ONLINE CLASS દરમ્યાન અચાનક ચાલવા લાગ્યો એક એવો પોર્ન વીડિયો અને પછી…
Next Article આ તે કેવું! શિક્ષણ ખાતામાંથી IAS અંજુ શર્માની બદલી થઈ છતાં ગુજરાત યુનિ.માં કાયમ રહેશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up