અસમના ઓલ ઈન્ડિયા ડેમોક્રેટિક યુનાઇટેડ ફ્રન્ટ (AIUDF) ના ધારાસભ્ય, અમીનુલ ઇસ્લામની સાંપ્રદાયિક ટિપ્પણીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.તેમના ઉપર રાજદ્રોહની કલમો લગાડીને ગુનો નોંધવામાં આવ્યો છે.અમીનુલ ઇસ્લામની સોશિયલ મીડિયા પર ક્લિપિંગ વાયરલ થઈ હતી.તેમાં ઇસ્લામ એવું કહેતા જોવા મળ્યા હતા કે કોરોના માટેના બનાવેલા રાજ્યના કોરોન્ટાઈન સેન્ટરોની હાલત ડિટેન્શન સેન્ટરથી પણ ખરાબ છે અને મુસ્લિમો વિરુદ્ધ કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.
ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ
આસામના ડાયરેક્ટર જનરલ (ડીજીપી) ભાસ્કર જ્યોતિ મહંતે જણાવ્યું હતું કે,એઆઈડીયુએફના ઢીંગ મત વિસ્તારના ધારાસભ્ય અમીનુલ ઇસ્લામની પ્રાથમિક તપાસ બાદ ધરપકડ કરવામાં આવી હતી. ધારાસભ્યની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.આમાં તે કોવિડ -19 હોસ્પિટલો અને ક્વોરેન્ટાઇન સેન્ટર્સ વિશે કોમી વૈમનસ્ય ફેલાય તેવી વાત કરી રહ્યો છે. તેણે એમ પણ કહ્યું હતું કે આ કોરોન્ટિન સેન્ટર ડિટેંન્શન (અટકાયતી) કેન્દ્રો કરતા પણ ખરાબ છે.અસમના આ અટકાયત કેન્દ્રોમાં સેંકડો શંકાસ્પદ ગેરકાયદેસર વસાહતીઓ (વિદેશી નાગરિકો) છે.
ક્વોરેન્ટાઇન સેન્ટરોમાં કોઈપણ વ્યક્તિની હત્યા
ઓડિઓ ક્લિપમાં ધારાસભ્ય ઇસ્લામ કહી રહ્યા છે કે સરકાર મુસ્લિમો વિરુદ્ધ કાવતરું ઘડી રહી છે અને તબલીગી જમાત સાથે જોડાયેલા લોકોને એકલતામાં ક્વોરેન્ટાઇન સેન્ટરોમાં મોકલવામાં આવી રહ્યા છે. ક્લિપમાં ઇસ્લામએ કથિત રીતે કહ્યું હતું કે,સરકાર ક્વોરેન્ટાઇન સેન્ટરોમાં કોઈપણ વ્યક્તિની હત્યા કરાવી શકે છે અને પછી તે કહેશે કે કોરોનાને કારણે તેનું મૃત્યુ થયું હતું.
14 દિવસની ન્યાયિક કસ્ટડી
ડીજીપી મહંતે કહ્યું,’અમે તેમની સામે IPC ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. તેમણે કહ્યું કે આસામ વિધાનસભાના અધ્યક્ષને આ વિશે જાણ કરવામાં આવી છે. ઇસ્લામને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ગૌતમ ડીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાંથી તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી દેવાયો હતો.
ક્લિપ તેમના મોબાઇલ ફોનમાં પણ હતી
નૌગાંવના પોલીસ અધિક્ષક ગૌરવ અભિજિત દિલીપે મીડિયાને કહ્યું, પૂછપરછ દરમિયાન ઇસ્લામે કબૂલાત કરી કે ક્લિપમાં સંભળાયેલ અવાજ એક જ હતો અને તેણે સ્વીકાર્યું કે તેણે આ ક્લિપ બનાવી હતી. ક્લિપ તેના મોબાઇલ ફોનમાં પણ હતી તેથી અમે તેનો ફોન કબજે કર્યો છે. તેણે કહ્યું કે તેણે ક્લિપ કેટલાક લોકોને પણ મોકલી દીધી છે. ધારાસભ્યને નોગાંવ સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. બદરૂદ્દીન અજમલની આગેવાનીવાળી પાર્ટીએ ધારાસભ્યના નિવેદનથી પોતાને દૂર રાખ્યા છે. પાર્ટીનું કહેવું છે કે આ ધારાસભ્યના પોતાના વિચારો છે.પાર્ટી તેમનું સમર્થન કરતી નથી.
વિશ્વમાં પણ હિન્દુ-મુસ્લિમ જેવું કંઈ નથી
સાથે જ ભાજપે આ મુદ્દે એઆઈયુડીએફ પર નિશાન સાધ્યું છે.આ સમગ્ર ઘટના અંગે ભાજપના ધારાસભ્ય રૂપક શર્માએ કહ્યું કે ધારાસભ્યો પહેલાથી જ અનેક પ્રસંગો પર ભડકાઉ સાંપ્રદાયિક નિવેદનો આપી ચૂક્યા છે અને અમને તેમની પર શરમ છે.આ સમયે દેશ શું વિશ્વમાં પણ હિન્દુ-મુસ્લિમ જેવું કંઈ નથી.અત્યારે આપણી સૌની લડત કોવિડ -19 ની છે.આપણે લોકોને બચાવવાની જરૂર છે.

