By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અહેમદનગરમાં કન્ટેનરે રિક્ષા અને બાઇકને અડફેટમાં લેતા 2 વિદ્યાર્થિની સહિત 7નાં મોત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અહેમદનગરમાં કન્ટેનરે રિક્ષા અને બાઇકને અડફેટમાં લેતા 2 વિદ્યાર્થિની સહિત 7નાં મોત
GeneralMumbai

અહેમદનગરમાં કન્ટેનરે રિક્ષા અને બાઇકને અડફેટમાં લેતા 2 વિદ્યાર્થિની સહિત 7નાં મોત

HM News
Last updated: 07/05/2022 6:46 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઇ : મહારાષ્ટ્રમાં હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં અનેક વ્યક્તિના જીવ ગુમાવવાની ઘટના સતત વધી રહી છે.મુંબઇ- નાગપુર હાઇવે પર અહમદનગરમાં આજે સવારે કન્ટેનરના ચાલકે રિક્ષા અને બાઇકને અડફેટમાં લેતા ૭ જણ કાળનો કોળીયો બની ગયા હતા.જ્યારે છ જણને ઇજા થઇ હતી.તમામ મૃતક રિક્ષામાં પ્રવાસ કરી રહ્યા હતા. મૃતકમાં કોલેજની બે વિદ્યાર્થિની, ત્રણ મહિલા અને બે પુરુષનો સમાવેશ છે.આ બનાવમાં બાઇક પર જઇ રહેલા યુવાન તેના પુત્ર અને બહેન તથા રિક્ષામાં ત્રણ જણને ઇજા થઇ હતી.તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત બાદ ઇજાગ્રસ્તને મદદ કરવાને બદલે કન્ટેનરનો ડ્રાઇવર નાસી ગયો હતો.જો કે લોકોએ પીછો કરીને તેને ઝડપી લીધો હતો.અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

કોપરગાવ શહેર પોલીસે જણાવ્યું હતું કે મુંબઇ-નાગપુર હાઇવે પર ચાંદેકસારે નજીક આજે સવારે અંદાજે ૮.૦૦ વાગ્યે ઓવરટેક કરવાના પ્રયાસમાં કન્ટેનર ચાલકે રિક્ષા અને બાઇકને ટક્કર મારી હતી.અકસ્માતમાં રિક્ષાને ભારે નુકસાન થયું હતું.રિક્ષામાં પ્રવાસ કરતા છ જણનું જગ્યા પર જ મોત નિપજ્યું હતું. જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક જણનું મૃત્યુ થયું હતું.આ કમકમાટી ભરી ઘટનામાં કોલેજની બે વિદ્યાર્થિની પૂજા ગાયકવાડ (ઉં.વ.૨૦), પ્રગતિ હોન (ઉં.વ.૨૦), તથા શિવાજી ખરાત (ઉં.વ.૫૨), શૈલા શિવાજી ખરાત, રાજાબાઇ સાહેબરાવ ખરાત (ઉં.વ.૬૦), આત્મારામ નાકાડે (ઉં.વ.૬૫), રૃપાલી સાગર રાઠોડ (ઉં.વ.૪૦)ને કાળભરખી ગયો હતો.

આ ઉપરાંત રિક્ષાના ત્રણ પ્રવાસી વિલાસ ખરાત (ઉં.વ.૩૪), પાંચ વર્ષીય કાવેરી ખરાત, ધુ્રવ સાગર રાઠોડ (ઉં.વ.૧૭) તથા બાઇક પર જઇ રહેલા દિગંબર ચૌધરી તેનો પુત્ર સર્વેશ (ઉં.વ.૧૨), બહેન કૃષ્ણાબાઇને ઇજા થઇ હતી.રાયપુરથી મુંબઇ તરફ આવી રહેલા કન્ટેનરમાં લોખંડના સળીયા હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત પછી પોલીસે લોકોની મદદથી ઘટનાસ્થળેથી નાસી ગયેલા કન્ટેનર ચાલકને પકડયો હતો આ બનાવને કારણે કોપરગાવ તાલુકામાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

કંગના સેલિબ્રિટી હશે પણ તે આ કેસની આરોપી છે એ ભુલવું જોઈએ નહીં : કોર્ટ
શૃંગાર ગૌરી-જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષના વકીલ અભયનાથ યાદવનું હાર્ટ અટેક આવતા થયું નિધન
હિના ખાનની બોલ્ડ તસવીરો જોઈને કટ્ટરપંથીઓ ગુસ્સે થયા, કહ્યું- ભિખારીઓ પણ તમારાથી વધુ અમીર લાગે છે; ‘કુ%$#એ જ ઈસ્લામને બરબાદ કર્યો’
દમણ-દાનહની શાળાઓ 18મી થી શરુ થશે
16 વર્ષ બાદ હમાસે ગાઝા પર નિયંત્રણ ગુમાવી દીધું : ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ગેલન્ટનો દાવો
Share This Article
Facebook Email Print
Previous Article બાંદરામાં પશુ-પક્ષીઓ માટે આગવી હૉસ્પિટલ બંધાશે
Next Article કાંચનજંગા શિખર સર કરવા ગયેલા મહારાષ્ટ્રના પર્વતારોહકનું મૃત્યુ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up