પોલીસની કામગીરીથી કંટાળ્યા કે શું? આરોગ્યની કામગીરી સંભાળશે : મનોજ શશીધર-અંતરીપ સુદ બાદ ગુજરાતી કેડરના વધુ એક અધિકારી ડેપ્યુટેશન પર
રાજકોટ, તા., રપઃ ગુજરાતમાંથી ડેપ્યુટેશન પર દિલ્હી જવાની આઇપીએસ અધિકારીઓની પરંપરા આગળ વધી રહી છે. અમદાવાદના હેડ કવાર્ટરમાં જોઇન્ટ પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવતા ડો.વિપુલ અગ્રવાલ કેન્દ્રમાં નેશનલ હેલ્થ ઓથોરીટી કે જે હેલ્થ અને ફેમીલી વિભાગની અંડરમાં ફરજ બજાવે છે તેમાં પ વર્ષ માટે પસંદગી કરવામાં આવી છે. તેઓએ પોતાના નવા હોદનો ચાર્જ તાત્કાલીક સંભાળવાનો રહેશે. તબીબી ડીગ્રી ધરાવતા અને સોશ્યલ મીડીયામાં સક્રિય રસ લેતા ડોકટર વિપુલ અગ્રવાલે ગમે તે કારણોસર આઇપીએસ અધિકારી તરીકે ફરજ બજાવવાના બદલે કેન્દ્રમાં અકીલા આરોગ્ય વિભાગમાં તબીબી કામગીરીની પસંદગી કરતા અનેક તર્ક-વિતર્કો ચાલે છે. પોરબંદરમાં એસપી તરીકે ફરજ બજાવી ચુકેલા ડો.વિપુલ અગ્રવાલ એક તબક્કે એનકાઉન્ટર પ્રકરણમાં મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા અને લાંબો સમય કાયદાકીય મામલાનો સામનો કરવો પડયો હતો. તાજેતરમાં જ ગુજરાતના ગુપ્તચર વડા મનોજ શશીધરની સીબીઆઇમાં, એટીએસના અંતરીપ સુદની રોમાં પસંદગી થયા બાદ આમ વધુ એક ગુજરાત કેડરના આઇપીએસની પસંદગી થતા ગુજરાતમાં સારા અને સક્ષમ અધિકારીઓની ખોટ વર્તાઇ તેવી સમસ્યા સર્જાઇ રહી છે.