ચીન પર કોરોના વાયરસથી જોડાયલી જાણકારીઓ અને અસલી ડેટા છુપાવવાને લઇને સતત આરોપ લાગતા રહ્યા છે. ઘરેલૂ અને આંતરરાષ્ટ્રિય દબાવમાં હવે ચીને મોટો ખુલાસો કર્યો છે. ચીને કહ્યું છે કે તેને ત્યાં કોરોના વાયરસથી સંક્રમિત 1541 કેસ એવા છે જેમનામાં કોઇ લક્ષણ જોવા મળ્યા નથી. દુનિયાભરમાં ચીનનાં કોઇપણ લક્ષણ વગરનાં કોરોના વાયરસથી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે આ ચુપચાપ ફેલાય છે.
ચીનમાં અત્યાર સુધી કોરોના વાયરસનાં 81000 કેસની પુષ્ટિ
ચીનનાં રાષ્ટ્રિય સ્વાસ્થ્ય મિશનની વેબસાઇટ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે ચીનમાં કોઇપણ લક્ષણ વગરનાં કુલ 1541 કેસ છે જેમાં 205 બીજા દેશોથી આવેલા લોકો છે. જો કે નિવેદનમાં એ સ્પષ્ટ નથી કહેવામાં આવ્યું કે આમાં રિકવરી થયેલા લોકોને સામેલ કરવામાં આવ્યા છે કે નહીં. ચીનમાં અત્યાર સુધી કોરોના વાયરસનાં 81000 કેસની પુષ્ટિ થઈ છે, પરંતુ આમાંથી મોટાભાગનાં રિકવર થઇ ચુક્યા છે. 30 માર્ચ સુધી ચીનની હોસ્પિટલોમાં 2161 કેસ હતા.
લક્ષણો વગરનાં દર્દીઓને કોરોનાનાં દર્દીઓમાં સામેલ નથી કરતું
ચીનનાં આંકડાઓ પર એ માટે પણ પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે કારણ કે તે લક્ષણો વગરનાં દર્દીઓને કોરોનાનાં દર્દીઓમાં સામેલ નથી કરતું. જો કોઇમાં કોરોના સંક્રમણનું કોઇ લક્ષણ જોવા નથી મળતુ અને તે ટેસ્ટમાં પોઝિટિવ આવે છે તો ચીન તેને કન્ફર્મ કેસ નથી માનતુ. જો કે દક્ષિણ કોરિયા, જાપાન અને સિંગાપુર જેવા દેશોમાં ટેસ્ટમાં પોઝિટિવ આવેલા તમામ દર્દીઓને સત્તાવાર આંકડામાં સામેલ કરવામાં આવે છે. આ આંકડો ચીની પ્રીમિયર લી કેકિયાંગનાં સ્થાનિક અધિકારીઓ પાસેથી લક્ષણો વગરનાં કેસને ટ્રેક કરવા અને સ્ક્રીનિંગ વધારવાનાં નિર્દેશનાં એક દિવસ બાદ જાહેર કરવામાં આવ્યો છે.