By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આખરે કોરોના વાયરસ પર ચીનનું સત્ય આવી ગયું સામે, મજબૂરીમાં જણાવી હકીકત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > આખરે કોરોના વાયરસ પર ચીનનું સત્ય આવી ગયું સામે, મજબૂરીમાં જણાવી હકીકત
GeneralInternational

આખરે કોરોના વાયરસ પર ચીનનું સત્ય આવી ગયું સામે, મજબૂરીમાં જણાવી હકીકત

HM News
Last updated: 31/03/2020 2:06 PM
HM News
5 years ago
Share
SHARE

ચીન પર કોરોના વાયરસથી જોડાયલી જાણકારીઓ અને અસલી ડેટા છુપાવવાને લઇને સતત આરોપ લાગતા રહ્યા છે. ઘરેલૂ અને આંતરરાષ્ટ્રિય દબાવમાં હવે ચીને મોટો ખુલાસો કર્યો છે. ચીને કહ્યું છે કે તેને ત્યાં કોરોના વાયરસથી સંક્રમિત 1541 કેસ એવા છે જેમનામાં કોઇ લક્ષણ જોવા મળ્યા નથી. દુનિયાભરમાં ચીનનાં કોઇપણ લક્ષણ વગરનાં કોરોના વાયરસથી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે આ ચુપચાપ ફેલાય છે.

ચીનમાં અત્યાર સુધી કોરોના વાયરસનાં 81000 કેસની પુષ્ટિ

ચીનનાં રાષ્ટ્રિય સ્વાસ્થ્ય મિશનની વેબસાઇટ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે ચીનમાં કોઇપણ લક્ષણ વગરનાં કુલ 1541 કેસ છે જેમાં 205 બીજા દેશોથી આવેલા લોકો છે. જો કે નિવેદનમાં એ સ્પષ્ટ નથી કહેવામાં આવ્યું કે આમાં રિકવરી થયેલા લોકોને સામેલ કરવામાં આવ્યા છે કે નહીં. ચીનમાં અત્યાર સુધી કોરોના વાયરસનાં 81000 કેસની પુષ્ટિ થઈ છે, પરંતુ આમાંથી મોટાભાગનાં રિકવર થઇ ચુક્યા છે. 30 માર્ચ સુધી ચીનની હોસ્પિટલોમાં 2161 કેસ હતા.

લક્ષણો વગરનાં દર્દીઓને કોરોનાનાં દર્દીઓમાં સામેલ નથી કરતું

ચીનનાં આંકડાઓ પર એ માટે પણ પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે કારણ કે તે લક્ષણો વગરનાં દર્દીઓને કોરોનાનાં દર્દીઓમાં સામેલ નથી કરતું. જો કોઇમાં કોરોના સંક્રમણનું કોઇ લક્ષણ જોવા નથી મળતુ અને તે ટેસ્ટમાં પોઝિટિવ આવે છે તો ચીન તેને કન્ફર્મ કેસ નથી માનતુ. જો કે દક્ષિણ કોરિયા, જાપાન અને સિંગાપુર જેવા દેશોમાં ટેસ્ટમાં પોઝિટિવ આવેલા તમામ દર્દીઓને સત્તાવાર આંકડામાં સામેલ કરવામાં આવે છે. આ આંકડો ચીની પ્રીમિયર લી કેકિયાંગનાં સ્થાનિક અધિકારીઓ પાસેથી લક્ષણો વગરનાં કેસને ટ્રેક કરવા અને સ્ક્રીનિંગ વધારવાનાં નિર્દેશનાં એક દિવસ બાદ જાહેર કરવામાં આવ્યો છે.

02/03/2020
આવતીકાલે ફરી PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, જાણો શું છે ખાસ કાર્યક્રમ..થઇ શકે છે નવાજુની !
તલાટી કમ મંત્રીની નિમણૂંક અટકાવવાના મામલામાં હાઈકોર્ટે સરકારને નોટિસ ફટકારી
IASના ટ્રાન્સફર:રાજ્યના 7 IAS અધિકારીઓની બદલીના આદેશ, લોચન સહેરા AMCના નવા કમિશનર
ચોરી કરેલ લોખંડના સળિયાનો જથ્થો સગેવગે કરે તે પહેલા જ એલસીબી પોલીસે બે આરોપીઓને વાવ નજીકથી ઝડપી પાડ્યા
Share This Article
Facebook Email Print
Previous Article ADB NIIF ભારતીય ઇન્ફ્રાસ્ટ્રકચર સેક્ટરમાં ૧૦ કરોડ ડોલરનું રોકાણ કરશે
Next Article નાણાકીય વર્ષમાં કોઈ બદલાવ નહીઃ મુદતમાં કોઈ વધા૨ો ક૨વામાં આવ્યો નથી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up