By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આખા દેશમાં વસતી નિયંત્રણ કાયદો અમલી બનાવવો જોઈએ ? 52.14% લોકોએ કહ્યું ‘હા’
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > આખા દેશમાં વસતી નિયંત્રણ કાયદો અમલી બનાવવો જોઈએ ? 52.14% લોકોએ કહ્યું ‘હા’
GeneralNational

આખા દેશમાં વસતી નિયંત્રણ કાયદો અમલી બનાવવો જોઈએ ? 52.14% લોકોએ કહ્યું ‘હા’

HM News
Last updated: 13/07/2021 6:23 AM
HM News
4 years ago
Share
SHARE

નવીદિલ્હી, તા.13 : ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર રાજ્યમાં વસતી નિયંત્રણ કાયદો લાવવાની તૈયારીમાં છે. દરમિયાન મોટાભાગના લોકોનું માનવું છે કે ઉત્તરપ્રદેશ જ નહીં પરંતુ આખા દેશમાં વસતી નિયંત્રણ કાયદો અમલી બનાવવાનો સમય આવી ગયો છે.

આઈએએનએસ-સીવોટર લાઈવ ટ્રેકરમાં સામેલ મોટાભાગના લોકોએ આ પ્રતિક્રિયા જાહેર કરી છે.સર્વેમાં એવું પૂછવામાં આવ્યું હતું કે આખા દેશમાં વસતી નિયંત્રણ કાયદો લાગુ કરવાનો સમય આવી ગયો છે ? આ સવાલના જવાબમાં 52.14 ટકા લોકોએ ‘હા’માં જવાબ આપ્યો તો 38.03 ટકા લોકોએ ‘ના’ પાડી હતી.આ સર્વે 1225 લોકો ઉપર કરવામાં આવ્યો છે.કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે પેટ્રોલની વધી રહેલી કિંમતો લોકોને પરેશાન કરી રહી છે.તેમણે ઈંધણની કિંમતને 60-65 રૂપિયા પ્રતિ લીટર સુધી લાવવાની ફોર્મ્યુલા આપી છે.ગડકરીએ કહ્યું કે ઈથેનોલના વધુ ઉપયોગથી પેટ્રોલની કિંમતોમાં રાહત મલશે.ત્યારબાદ 49.6 ટકા લોકોએ કહ્યું કે ગડકરીને પેટ્રોલિયમ મંત્રાલયની જવાબદારી પણ સોંપવી જોઈએ તો 34.5 ટકા લોકોએ કહ્યું કે નવા પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી મંત્રશલયના મામલાઓને કુશળતાપૂર્વક અને વ્યવસ્થિત રીતે સંભાળશે.

અલગ-અલગ રાજ્યોમાં 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉત્તરાખંડમાં મફત વીજળી આપવાનું એલાન કર્યું છે તો સમાજવાદી પાર્ટી નેતા અખિલેશ યાદવે ઉત્તરપ્રદેશમાં મફત વીજળી આપવાનો વાયદો કર્યો છે.આ અંગેના સર્વેમાં 50.29 ટકા લોકોએ કહ્યું કે મફત વીજળીનો વાયદો ચૂંટણી માટે જીતની ફોર્મ્યુલા બની રહ્યો છે જ્યારે 35.28 ટકા લોકોએ કહ્યું કે એક પાર્ટી મફત વીજળીના વાયદાથી ચૂંટણી જીતી શકે નહીં.

મહાઠગ કિરણ પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ, જમીનનો બાનાખત કરાવી 80 લાખ પડાવી લીધા
BOBની સુરત રીજનલ ઓફિસમાં સફાઇ, હાઉસકિપીંગ માટે આઉટસોર્સિંગનો વિરોધ
મહારાષ્ટ્રમાં છેલ્લા બે વર્ષમાં 200 હિંદુ યુવતીઓનું ધર્માંતરણ : મુસ્લિમ યુવાનોને મળે છે 5 લાખ ઇનામ : અનેક હિંદુઓને કરાવાઈ સુન્નત
ઓલપાડમાં 1 ઇંચ, સુરત સિટીમાં છુટોછવાયો અડધો ઇંચ વરસાદ
રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 53 પર સર્વિસ રોડ બનાવવા અધિકારીઓને સૂચના
Share This Article
Facebook Email Print
Previous Article ઈરાકની કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા ૫૦ લોકોના મોત, અનેક ઘાયલ
Next Article સુરતના ગાંધી પરિવાર દ્વારા બિલ્ડરને જમીન બતાવી કરવામાં આવ્યું 2.74 કરોડનું ફ્રોડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up