ભાવનગર : ભાવનગર શહેર તેની સ્થાપનાને ચાલુ વર્ષે ૨૯૯ વર્ષ પૂરા કરી ૩૦૦ વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે તેની ઉજવણી ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા ભાવનગર કાનવલ-૨૦૨૨ના નામે આયોજીત કરવામાં આવી છે.આજે રવિવારે ગુજરાતના સ્થાપના દિવસે વોલ પેઈન્ટીંગ અને મહાઆરતીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતાં.દર વર્ષે ભાવનગરના જન્મદિવસની ઉજવણી અખાત્રીજના દિવસે કરવામાં આવે છે પરંતુ છેલ્લા બે વર્ષ કોરોનાને કારણે આ ઉજવણી સ્થગિત કરવામાં આવી હતી. અત્યારે વાતાવરણ સામાન્ય બન્યું છે ત્યારે તેની ત્રણ દિવસ સુધી એટલે કે તા. ૨ થી ૪ મે, ૨૦૨૨ દરમિયાન ભાવનાત્મક ઉજવણી કરવામાં આવનાર છે.ભાવનગરની જન્મદિવસની ઉજવણીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવતીકાલે તા. ર જી મેના રોજ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તા. ૩ જી મેને અખાત્રીજના દિવસે સહભાગી થવાનાં છે. આ ઉજવણી બોર તળાવ ખાતે આવેલ કૈલાસ વાટીકા ખાતે કરવામાં આવનાર છે. આઝાદીનાં ૭૫ વર્ષની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે ત્યારે આ ઉજવણી દરમિયાન ૭૫ વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન પણ કરવામાં આવનાર છે.
ત્રણ દિવસ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ૩૦૦ કિલોનો લાડું, તિરંગા યાત્રા, મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પુષ્પાંજલિ, વોલ પેઈન્ટિંગ, સર ટી. હોસ્પિટલ ખાતે સામૂહિક સફાઈ સહિતના વિવિધ ભાવનાત્મક કાર્યક્રમો પણ યોજાશે.અત્યારે બાળકોનું વેકેશન શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે બાળકો માટેના આનંદ-પ્રમોદના સાધનો મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાતના જાણીતા કલાકારો સાહિત્યકારો દ્વારા ભાવસભર પ્રસ્તુતિ રજૂ કરવામાં આવશે.આ ઉપરાંત રાજ્યકક્ષાની ઉજવણીમાં જે પ્રકારના લોકનૃત્યો રજૂ થાય છે તેવા લોક નૃત્યો પણ આ ઉજવણી દરમિયાન રજૂ કરવામાં આવનાર છે.જન્મદિવસની ઉજવણીને સાર્થક બનાવવાં સર ટી. હોસ્પિટલ ખાતે સામૂહિક સ્વચ્છતા અભિયાન સાથે ઉજવણી ફક્ત ભાવનગર શહેર પૂરતી મર્યાદિત ન રહેતાં ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ પોતાનું ભાવેણા હોય તે રીતે સહભાગી બને તે માટે ભાવનગર જન્મોત્સવ સમિતિએ જણાવેલ છે.
આગામી તા.૨, ૩, ૪ મે નાં કૈલાસ વાટિકા બોરતળાવ ખાતે આયોજીત ભાવનગર કાનવલ-૨૦૨૨ અંતર્ગત નાગરિકોની સુવિધા માટે સ્થળની બંને તરફ પાકગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.કુમુદવાડી વાડી થઈને આવતા બાળ વાટીકા દરવાજા સામે પાકગ જગ્યા નિશ્ચીત કરવામાં આવી છે તો કૈલાસ વાટિકા ગેઈટ તરફના રસ્તે જ્વેલર્સ સર્કલથી કાર્યક્રમ સ્થળે જતા નવા બનેલા રોડની ડાબી બાજુએ જતા મુખ્ય દરવાજા પહેલા, સોસાયટીની વાડીમા પાકગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.