By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આજે અગ્નિપથ યોજના પરત લેવાની માંગ સાથે કોંગ્રેસના ધરણા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > આજે અગ્નિપથ યોજના પરત લેવાની માંગ સાથે કોંગ્રેસના ધરણા
AhmedabadGeneral

આજે અગ્નિપથ યોજના પરત લેવાની માંગ સાથે કોંગ્રેસના ધરણા

HM News
Last updated: 27/06/2022 6:37 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ : ‘અગ્નિપથ’યોજનાની વાત,યુવાનો સાથે વિશ્વાસઘાત સમાન છે.કેન્દ્રની સરકારે વિચાર્યા વિના અડધી રાત્રે તઘલખી ફરમાન જાહેર કર્યા,જેનો ભોગ દેશની જનતા બની રહી છે,કૃષિ કાયદા, નોટબંધી,જીએસટી,લોકડાઉન અને જમીન અધિગ્રહણ જેવા ફરમાનનો ભોગ જનતા બની,હવે સરકાર અગ્નિપથ યોજના દેશના યુવાનો પર થોપી રહી છે.એમ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અલકા લાંબાએ આજે પત્રકાર પરિષદને સંબોધી જણાવ્યુ હતુ.

તેમણે વધુમાં કહ્યું,પ્રિયંકા ગાંધીએ સંરક્ષણ મંત્રીને પત્ર લખી સેનામાં ભરતી અંગે માંગ કરી હતી.ત્રણ વર્ષ થયાં હોવા છતાં કોઇ કાયમી ભરતી થઇ નથી.સરકાર હવે અગ્નિપથ યોજનાના નામે ભરતીને હંગામી બનાવી કોન્ટ્રાકટ પર લઇ જઇ રહી છે.ભારતીય સેનામાં 2 લાખ 55 હજાર પદ માટે પરીક્ષા અને ફીઝીકલ ટેસ્ટ થઇ ગયા છે.જે ભરતીના સ્થાને હવે અગ્નિપથના આધારે સરકાર ભરતી કરવા જઇ રહી છે,કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી જ્યારે હોસ્પિટલમાં હતા ત્યારે તેમણે પત્ર લખી યુવાનોને શાંતિ રાખવા અપીલ કરી,કોંગ્રેસ પક્ષ કોન્ટ્રાક્ટના આધારે સેનામાં ભરતીનો વિરોધ કરે છે,તાત્કાલિક કાયમી ભરતી કરવા માંગ કરે છે.

તેમણે વધુમાં કહ્યું,સેનામાં ભરતી થવા ઇચ્છતા યુવાનો માટે આ અપમાન છે.દેશના યુવાનોના કૌશલ્યનો યોગ્ય ઉપયોગ નહીં થાય તો દેશ યોગ્ય દિશમાં આગળ નહીં વધે.જ્યારે કોઇ અગ્નિવિર ચાર વર્ષ બાદ સેનામાંથી નિવૃત થશે ત્યારે તેણે માત્ર 11 લાખ મળશે,11 લાખમાં તેને પોતાનું બાકીનું જીવન ગુજારવું પડશે,સેનામાં જવા ઇચ્છુક યુવાને આ યોજનાને પગલે આત્મહત્યા કરી,તે આત્મહત્યા નહી હત્યા છે તેની જવાબદાર સરકાર છે.

પત્રકાર પરિષદમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે,દેશની સુરક્ષા અને યુવાનોના હિતમાં અગ્નિપથ યોજના પરત લેવાની માંગ સાથે ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પર આવતીકાલે કોંગ્રેસના ધરણા-વિરોધ પ્રદર્શન યોજાશે.તેમણે જણાવ્યું હતું કે,ભારત સરકારને વિનંતી કરું છું કે જ્યાં લશ્કરની ભરતી થાય છે,ત્યાં ઉમેદવારોને રહેવાની,કુદરતી પ્રક્રિયા કરવાની કોઈ વ્યવસ્થા નથી હોતી આવા ઉમેદવારો રેલવે સ્ટેશન,દુકાનના ઓટલા કે ધર્મશાળામાં રોકાય છે.ગુજરાતના યુવાનોને કુપોષિત આ ભાજપ સરકાર કરી રહી છે,ભાજપના નેતાઓ પાછળ કરોડો રૂપિયાના તાયફાના બદલે સેના પર ખર્ચ કર્યા હોત તો આજે દેશની સરહદો સુરક્ષિત હોત.

શાહીનબાગ હુલ્લડ ભાજપના ભેજાની ઉપજ : ભાજપે જ સ્ક્રિપ્ટ લખી
આઇસક્રીમ ઉદ્યોગને એપ્રિલમાં ૧૨૦૦ તો મે મહિનામાં ૧૬૦૦ કરોડનું જંગી નુકસાન
પતિ જબરદસ્તી CAA વિરુદ્ધ ધરણા પર મોકલે છે, પત્નીએ ખોલી પોલ
“ઇસ્લામ ખતરે મેં હૈ” આવા લોકો જ મુસ્લિમોનું “અહીત” કરી રહ્યા છે! : ભાગવત
લઠ્ઠાકાંડમાં રાજકારણ : IPS અધિકારી સામે પગલા ભરો : કોંગ્રેસ
Share This Article
Facebook Email Print
Previous Article કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે
Next Article શહેરના પશ્ચિમ વિસ્તારમાં કલાકમાં તોફાની બે ઇંચ જેટલો વરસાદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up