By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આજે અનલોક-5ની ગાઇડલાઇન થઇ શકે જાહેર પબ્લિક પેલેસને શરતી છૂટ મળે તેવી શકયતા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > આજે અનલોક-5ની ગાઇડલાઇન થઇ શકે જાહેર પબ્લિક પેલેસને શરતી છૂટ મળે તેવી શકયતા
GeneralNational

આજે અનલોક-5ની ગાઇડલાઇન થઇ શકે જાહેર પબ્લિક પેલેસને શરતી છૂટ મળે તેવી શકયતા

HM News
Last updated: 28/09/2020 6:54 AM
HM News
5 years ago
Share
SHARE

– સિનેમા હોલ અને પર્યટન સ્થળોને ખોલવાની છૂટ આપવામાં આવે તેવી અટકળો: તહેવારોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાશે

કોરોના મહામારીની વચ્ચે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને અલગ-અલગ ચરણોમાં ખોલવામાં આવી રહ્યું છે.અત્યાર સુધી 4 અનલોકમાં અનેક પ્રકારની છૂટ આપી ચૂકી છે અને અર્થવ્યવસ્થાને ખોલી છે. તેની કડીમાં આજે અનલોક-5 માં 31 ઓક્ટોબર સુધી માટે નવી ગાઇડલાઇનની જાહેરાત કરવામાં આવી શકે છે.ઓક્ટોબરથી ભારતમાં લાંબા સમય સુધી ચાલનારા તહેવારોની મોસમ શરૂ થઈ રહી છે.એવામાં જોવાનું રહેશે કે કોરોનાના વધતા કેસોની વચ્ચે સરકાર હવે કઈ છૂટ આપે છે અને કઈ બાબબતો પર પ્રતિબંધ લગાવે છે.

ગત મહિને ગૃહ મંત્રાલય એ કેટલીક વધુ છૂટ આપવાની વાત કહી હતી અને ધીમે-ધીમે ક્ધટેનમેન્ટ ઝોનની બહાર વધુ ગતિવિધિઓ માટે છૂટ આપી હવી.હવે જ્યાં ઉદ્યોગ આવનારા તહેવારોના દિવસોમાં ગ્રાહકો તરફથી માંગના વધારાની આશા રાખી રહ્યા છે,વધુ છૂટ આપવામાં આવી શકે છે.

જાહેર સ્થળો જેવા કે મોલ, સલૂન, રેસ્ટોરાં, જિમને પહેલા જ કેટલાક નિયમો સાથે છૂટ આપવામાં આવી ચૂકી છે પરંતુ હજુ પણ સિનેમા હોલ, સ્વિમિંગ પૂલ, એન્ટરટેનમેન્ટ પાર્ક નથી ખુલ્યા.એવામાં જોવાનું રહેશે કે તેને ઓક્ટોબરમાં ખોલવાની મંજૂરી મળે છે કે નહીં. જ્યારે તેના માટે મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા તરફથી અનેકવાર વિનંતી કરવામાં આવી ચૂકી છે.જોકે અગાઉની ગાઇડલાઇનમાં 21 સપ્ટેમ્બરથી ઓપ્ન એર થિએટર ખોલવાના નિર્દેશ આપવામાં આવી ચૂક્યા છે.

જેની સામે પશ્ચિમ બંગાળમાં 1 ઓક્ટોબરથી સીમિત સંખ્યામાં લોકોના પ્રવેશની સાથે સિનેમા હોલ ખોલવાની મંજૂરી આપી દીધી છે.બંગાળની મુખ્યમંત્રી મમતા બેનજીર્એ કહ્યું કે,સામાન્ય સ્થિતિ તરફ પરત ફરવા માટે જાત્રા,નાટક,ઓપ્ન એર થિએટર,સિનેમા અને તમામ મ્યૂઝીકલ,ડાન્સ,ગાયકી અને જાદૂના શોની 50 લોકો કે તેનાથી ઓછાની સાથે 1 ઓક્ટોબરથી ખોલવાની મંજૂરી આપવામાં આવી રહી છે.જોકે આ દરમિયાન સામાજિક અંતરના નિયમ,માસ્ક પહેરવા અને બચાવના આવશ્યક ઉપાયોનું પાલન કરવું પડશે.આ પણ વાંચો, શાહિદ આફ્રિદીએ કહ્યું- મોદી સરકાર છે ત્યાં સુધી ભારત-પાકિસ્તાન વચ્ચે સીરીઝ નહીં યોજાય
મહામારી અને લોકડાઉન દરમિયાન પર્યટન ક્ષેત્ર ગંભીર અને માઠી અસર જોવા મળી રહી છે.એવામાં અનલોક-5ની પ્રક્રિયા દરમિયાન વધુ પર્યટન સ્થળો અને ટૂરિસ્ટ સેન્ટરોને પર્યટકો માટે ખોલવામાં આવી શકે છે.આવા જ એક પ્રયાસમાં સિક્કિમ સરકારે 10 ઓક્ટોબરથી હોટલો, હોમ-સ્ટે અને અન્ય ટૂરિમઝમથી જોડાયેલી સેવાઓને શરૂ કરવાનો નિર્ણય લીધો છે.બીજી તરફ,રવિવારે ઓડિશા સરકારે જાહેરાત કરી છે કે ઓક્ટોબરથી તમામ પર્યટન સ્થળોને ખોલી દેવામાં આવશે.

કોરોના મહામારી વચ્ચે લાગૂ કરવામાં આવેલા લૉકડાઉનને તબક્કાવાર ખોલવામાં આવી રહ્યું છે.અત્યાર સુધી સરકાર અનલૉકના 4 તબક્કામાં વિવિધ છૂટ આપી ચૂકી છે અને અર્થતંત્રને પાટા પર લાવવાની કોશિશ કરી રહી છે.

આજ પ્રમાણે હવે આજે અનલૉક-5માં 31-ઓક્ટોબર સુધી નવી ગાઈડલાઈનની જાહેરાત કરવામાં આવી શકે છે.ઑક્ટોબરથી જ ભારતમાં લાંબી તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે.એવામાં જોવાનું રહેશે કે,કોરોનાના વધતા જતાં કેસો વચ્ચે સરકાર હવે કંઈ છૂટ આપે છે અને કંઈ બાબતો પર પ્રતિબંધ યથાવત રાખે છે?

ગત મહિને જ ગૃહ મંત્રાલયે કેટલીક વધુ છૂટ આપવાની વાત કહી હતી.જે પ્રમાણે ધીમે-ધીમે કન્ટેનમેન્ટ ઝોનના બહાર ગતિવિધિઓને છૂટ આપવામાં પણ આવી હતી.હવે આગામી તહેવારોની સિઝનમાં જ્યાં ઈન્ડસ્ટ્રી સેક્ટર કસ્ટમર તરફથી માંગમાં વધારાની આશા રાખીને બેઠું છે,ત્યારે કેટલીક વધુ છૂટ આપવામાં આવી શકે છે.

પબ્લિક પ્લેસ જેમ કે, મૉલ, સલૂન, રેસ્ટોરન્ટ અને જિમને અગાઉની શરતો સાથે ખોલવાની છૂટ આપવામાં આવી શકે છે. જો કે હજુ પણ થિયેટર, સિનેમા હૉલ, સ્વિમિંગ પુલ અને એન્ટરટેનમેન્ટ પાર્ક નથી ખુલ્યાં. એવામાં જોવાનું રસપ્રદ રહેશે કે, શું આ બધુ ઓક્ટોબરમાં ખોલવાની મંજૂરી મળે છે કે કેમ?

આ માટે મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઑફ ઈન્ડિયા તરફથી અનેક વખત ભલામણ કરવામાં આવી ચૂકી છે. જો કે પહેલાની ગાઈડલાઈનમાં 21 સપ્ટેમ્બરથી ઓપન એર થિયેટર ખોલવાનો આદેશ આપવામાં આવી ચૂક્યો છે.

તાજેતરમાં એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે,આકરા નિયમો સાથે 1 ઓક્ટોબરથી થિયેટરોને ખોલવાની મંજૂરી ગૃહમંત્રાલય તરફથી આપવામાં આવી છે. જો કે PIBએ પોતાના ફેક્ટ ચેકમાં આ દાવાને રદિયો આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે,મહામારી બાદ કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે લાગુ કરવામાં આવેલા લૉકાડાઉનના પગલે પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે.એવામાં અનલૉક-5ની પ્રક્રિયા દરમિયાન વધુ પ્રવાસન સ્થળો અને ટૂરિસ્ટ સેન્ટર્સને પ્રવાસીઓ માટે ખોલવામાં આવી શકે છે.આવા જ એક પ્રયત્ન અંતર્ગત સિક્કિમ સરકારે 10 ઓક્ટોબરથી હોટલો, હોમ-સ્ટે સહિત અન્ય ટૂરિઝમ સાથે સંકળાયેલી સેવાઓને પુન: શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા પંડાળોમાં કટ્ટરવાદીઓએ કરી તોડફોડ, પીએમ મોદીને હસ્તક્ષેપ કરવા અપીલ
માલ્યાની મિલ્કતો બેન્કો પાસે જ રહેવા દેવા PMLA કોર્ટનો આદેશ
લોકડાઉનની : એપ્રિલથી બેન્કોની મર્જર પ્રક્રિયા લાગુ પડશે
શાહરૂખ ખાનના ઘરે NCBનું સર્ચ ઓપરેશન ચાલુ, અભિનેત્રી અનન્યા પાંડેને પણ સમન
લોકડાઉન પાર્ટ 2 :કડોદરાના ઔદ્યોગિક વિસ્તારમાં તમામ જવાબદારી પોલીસના માથે
Share This Article
Facebook Email Print
Previous Article હવે પહેલી ઓકટોબરથી આપને ડ્રાઈવીંગ લાયસન્સ સહિત વાહનના દસ્તાવેજ સાથે નહીં રાખવા પડે!
Next Article RBI, સરકારી બેન્કો- વિમા નિગમના કર્મચારીનાં પગાર કપાત પણ PM કેર ફંડમાં થયા જમા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up