– સંજય રાઉતે શનિવારે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દબાણનું રાજકારણ ચૂંટણી પંચ જેવી સ્વતંત્ર સત્તાને પ્રભાવિત નહીં કરે
– દિવંગત સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેની જન્મજયંતીના દિવસે જ પ્રમુખપદની મુદત પૂરી
મુંબઈ, 23 જાન્યુઆરી સોમવાર 2023 : ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા સંજય રાઉતે રવિવારે જણાવ્યું હતું કે પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે સેનાના સ્થાપક બાળ ઠાકરેની ૯૭મી જન્મજયંતી નિમિત્તે સોમવારે પક્ષના કાર્યકરોને સંબોધશે.પત્રકારો સાથે વાત કરતાં સંજય રાઉતે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે સોમવારે ગેટવે ઑફ ઇન્ડિયા નજીક પક્ષના સ્થાપકની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પશે અને પછી સાંજે ષણ્મુખાનંદ હૉલમાં પક્ષના કાર્યકરોને સંબોધન કરશે.અમારા સૌ માટે આ દિવસ ઘણો મહત્ત્વનો છે એમ તેમણે જણાવ્યું હતું.
ભારતનું ચૂંટણી પંચ હાલમાં શિવસેનાના ચૂંટણીના નિશાન તીર અને કમાન મામલે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેનાં જૂથો વચ્ચે ચાલી રહેલા વિવાદની સુનાવણી કરી રહ્યું છે.સંજય રાઉતે શનિવારે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દબાણનું રાજકારણ ચૂંટણી પંચ જેવી સ્વતંત્ર સત્તાને પ્રભાવિત નહીં કરે.કૉન્ગ્રેસની ભારત જોડો યાત્રા માટે સંજય રાઉતે જમ્મુની મુલાકાત લીધી હતી.એ વિશે તેમણે જણાવ્યું હતું કે એ બિનરાજકીય ચળવળ છે અને એને સમર્થન મળી રહ્યું છે.
ઉદ્ધવ ઠાકરેનો આજે શિવસેના પ્રમુખ તરીકે છેલ્લો દિવસ
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની શિવસેના પક્ષ પ્રમુખ પદની મુદત આવતીકાલ ૨૩ જાન્યુઆરીના રોજ બાળાસાહેબ ઠાકરેની જયંતિ દિવસે પૂરી થાય છે. મુદત વધારી આપવા માટે તેમજ પક્ષાંતર્ગત ચૂંટણી પ્રક્રિયા કરવા માટે ચૂંટણી પંચને કરેલી અરજી પર કોઇપણ નિર્ણય આવ્યો નથી. આથી ઠાકરે ગુ્રપ સામે ચેલેન્જ ઊભી થઇ છે કે હવે આગળનું પગલું શું લેવું આ બાબતે હિલચાલ શરૂ થઇ છે.
શિવસેનાના બંધારણ મુજબ વર્ષ ૨૦૧૮માં થયેલી પક્ષાંતર્ગત ચૂંટણી પ્રક્રિયા અનુસાર ઉદ્ધવ ઠાકરેની એકમતે પક્ષ પ્રમુખ પદ આપવામાં આવ્યું હતું.
હવે શિવસેનામાં ઊભી તિરાડ પડી છે શિવસેના અને ચૂંટણી ચિન્હ કોનું આ મામલે વિવાદ શરૂ છે.ચૂંટણી પંચે બંને પક્ષોની દલીલ સાંભળી હતી.અને ૩૦ જાન્યુઆરી ૨૦૨૩ લેખિત સ્વરૂપમાં માહિતી આપવા જણાવ્યું છે.હવે તે પહેલા પક્ષ પ્રમુખ પદની મુદત પૂરી થતી હોવાથી ટેકનીકલ દ્રષ્ટિએ ઉદ્ધવ ઠાકરેના પક્ષ પ્રમુખ પદ પર રહી શકશે કે નહી એ પ્રશ્ન ઉભો થયો છે.શિવસેના વિધાનસભાના ધારાસભ્યો,સાંસદની સંખ્યા મોટા પ્રમાણમાં અમારી સાથે હોવાનો દાવો કર્યો છે.આથી અમારી શિવસેના અસલી છે.પક્ષના અમારી શિવસેના અસલી છે.પક્ષના કારોબારીએ મુખ્યમંત્રી એકનાથ શિંદે પ્રમુખ નેતા પદ આપ્યું હોવાનો શિંદે ગુ્રપ દ્વારા કરાય છે.
૨૩ જાન્યુઆરી વિધાનભવનમાં શિવસેના પ્રમુખનું પોટ્રેટનું અનાવરણ છે.આ કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેને આમંત્રણ આપ્યું છે.પણ તેઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહેશે નહિ તે જોવાનું રહ્યું.