નવી દિલ્હી : નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોએ આજે ભારત બંધનું આહ્વાન કર્યું છે.ખેડૂતોના ભારત બંધને કોંગ્રેસ સહિત દેશના 10થી વધુ રાજકીય પક્ષોએ સમર્થન આપ્યું છે.ભારત બંધને લઈને વિભિન્ન રાજકીય પક્ષોના સમર્થનનું ખેડૂતોએ સ્વાગત કર્યું છે.જો કે તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમનો મંચ રાજકીય પાર્ટીઓ માટે નહીં હોય.આ બાજુ કેન્દ્ર સરકારે ભારત બંધને લઈને રાજ્ય સરકારોને કાયદો વ્યવસ્થા જાળવી રાખવાના દિશા નિર્દેશ આપ્યા છે.ભારત બંધ આજે સવારે 8 વાગ્યાથી શરૂ થયું છે.ખેડૂતો સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી દેશ ભરમાં ચક્કાજામ કરશે.જો કે એમ્બ્યુલન્સ સહિત અનેક ઈમરજન્સી સેવાઓને બંધમાં રાહત આપવામાં આવી છે.
– હરિયાણા પોલીસે ભારત બંધને ધ્યાનમાં રાખીને એડવાઈઝરી બહાર પાડી છે.આંદોલનકારી ગ્રુપ હરિયાણામાં વિભિન્ન સ્થળોએ અને રાજમાર્ગો પર ધરણા પર બેસીને થોડા સમય માટે વિધ્ન નાખી શકે છે.નૂંહ અને નારનૌલને બાદ કરતા રાજ્યના તમામ જિલ્લા મોટા અને નાના રસ્તા જામ થવાથી પરેશાન થઈ શકે છે. મુખ્ય રાજમાર્ગ દિલ્હી-અંબાલા (NH-44), દિલ્હી-હિસાર (એનએચ-9), દિલ્હી-પલવલ (એનએચ-19), અને દિલ્હી-રેવાડી (એનએચ-48) ઉપર પણ ચક્કાજામ થઈ શકે છે.
West Bengal: Left political parties protest on the railway tracks at Jadabpur Railway Station in Kolkata & stop a train, in support of today’s #BharatBandh by farmer unions. pic..com/7Kn6avKGGM
– ANI (@ANI) December 8, 2020
– પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષોએ ભારત બંધના સમર્થનમાં ટ્રેન રોકી.
– પંજાબ, હરિયાણા, બિહાર, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશમાં બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે. જહાનાબાદમાં પલામૂ એક્સપ્રેસ ટ્રેનને રોકવામાં આવી.
– દેશના અનેક રાજ્યોમાં ભારત બંધની મોટી અસર જોવા મળી રહી છે. દિલ્હીની કેટલીક સરહદો એકદમ સીલ છે. કડક સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યા છે. બિહારમાં અનેક ઠેકાણે બસો અને ટ્રેનો રોકવામાં આવી છે. છત્તીસગઢના રાયપુરમાં દુકાનો બંધ કરવામાં આવી. પંજાબના મોહાલીમાં ટોલ ગેટ બંધ કરવામાં આવ્યો.
– અમૃતસરમાં બંધના સમર્થનમાં નારેબાજી કરવામાં આવી.
ભારત બંધ પહેલાં સરકારને મળ્યું 20 ખેડૂત સંગઠનનો સાથ, કૃષિ બિલ પર આપ્યું સમર્થન
ખેડૂત નેતાઓએ કહ્યું હતું કે સમગ્ર દેશમાં મંગળવારે સવારે 11 વાગ્યાથી લઈને બપોરે 3 વાગ્યા સુધી ચક્કા જામ રહેશે. જો કે આંદોલન કરી રહેલા ખેડૂતોએ એ પણ સ્પષ્ટ કર્યું કે કોઈ પણ વ્યક્તિ પર જોર જબરદસ્તી કે ધક્કા મુક્કી કરવામાં નહીં આવે.ખેડૂત નેતાઓએ અપીલ કરી છે કે ભારત બંધને દરેક જણ પોતાનું સમર્થન આપે.
અત્રે જણાવવાનું કે ભારત બંધ દરમિયાન તમામ ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. લગ્ન, એમ્બ્યુલન્સ પર કોઈ રોક નહીં હોય.દૂધ,ફળ,શાકભાજી અને અન્ય વસ્તુઓ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ રહેશે.
જરૂરી સેવાઓની આપૂર્તિ પર પડશે અસર!
ભારત બંધમાં કેબ ચાલકો તથા મંડી કારોબારીઓના અનેક સંઘો સામેલ હોવાથી દેશની રાજધાની દિલ્હીમાં વાહનવ્યવહાર સેવા અને ફળો તથા શાકભાજી જેવી જરૂરી વસ્તુઓની આપૂર્તિમાં વિધ્ન પડી શકે છે.કેટલાક ટેક્સી અને કેબ સંઘોએ એક દિવસની હડતાળમાં ભાગ લેવાનો નિર્ણય લીધો છે.વેપારીઓનો એક સમૂહ પણ ખેડૂતોની માગણીઓનું સમર્થન કરી રહ્યો છે.જેના કારણે શાકભાજી તથા ફળ બજારમાં કામમાં વિધ્ન પડી શકે છે.
આઝાદપુર મંડીના અધ્યક્ષ આદિલ અહમદ ખાને કહ્યું કે ખેડૂતો દ્વારા અપાયેલા ભારત બંધના સમર્થનમાં દિલ્હીની આઝાદપુર મંડી અને શહેરની તમામ મંડીઓ બંધ રહેશે.