By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આજે જલારામ જયંતી : બાપાનું વીરપુર કૌભાંડ નગરીમાંથી કેવી રીતે બન્યું ધાર્મિક આસ્થાનું કેન્દ્ર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > આજે જલારામ જયંતી : બાપાનું વીરપુર કૌભાંડ નગરીમાંથી કેવી રીતે બન્યું ધાર્મિક આસ્થાનું કેન્દ્ર
GeneralSaurashtra

આજે જલારામ જયંતી : બાપાનું વીરપુર કૌભાંડ નગરીમાંથી કેવી રીતે બન્યું ધાર્મિક આસ્થાનું કેન્દ્ર

HM News
Last updated: 11/11/2021 8:09 AM
HM News
4 years ago
Share
SHARE

વીરપુર : વીરપુરનું નામ આવે એટલે તરત જ જલારામ બાપાનું નામ યાદ આવે.સંત શિરોમણી જલારામ બાપાના વીરપુરનો ઈતિહાસ, સંત જલ્રરામ બાપા અને અહીં ચાલતા આવરિત અન્ન ક્ષેત્ર બાપા જેટાલ જ પ્રખ્યાત છે.સંત શિરોમણી જલારામબાપાની આજે 222 મી જન્મ જ્યંતીની ઉજવણી થઈ રહી છે,ત્યારે વીરપુર સાથે જોડાયેલી આ માહિતી પણ જાણી લો.

રાજકોટથી 50 કિમીના અંતરે આવેલ વીરપુર સંત શિરોમણી જલારામ બાપાના નામથી ઓળખાય છે. આમ તો વીરપુર એ એક પ્રાચીન નગરી છે, કાળ સમયે તે કૌભાંડની નગરીથી ઓળખાતું હતું અને નામ મુજબ જ તેના ગુણ હતા,આ નગરીમાં ત્યારે ખુબ જ પ્રભાવશાળી એવા સંત વીરપરાનાથનું આગમન થયું અને ધીમે ધીમે નગરીમાં ધર્મ અને ભક્તિનો પ્રભાવ વધવા લાગ્યો.લોકો પ્રભુમય અને સતગુણી બનવા લાગ્યા.અહીં આવેલા સંત વિપરાનાથના નામ ઉપરથી અને તેમના ગુણના પ્રભાવથી તે કૌભાંડ નગરીમાંથી વીરપુર બન્યું.

કૌભાંડ નગરીમાંથી વીરપુર બનેલા આ નાના નગર પર હવે ભક્તિ અને સંતોની કૃપા અવરિત વરસવા લાગી હતી.આવામાં અહીં પ્રેમ કૃપાળુ સંત શ્રી ભોજલરામ બાપાએ પધરામણી કરી.સંવત 1856 માં કારતક સુદ 7 ના રોજ વીરપુરના શ્રેષ્ઠી શ્રી પ્રધાન ઠક્કર અને રાજબાઇ માંની કૂખે જલારામ બાપાનો જન્મ થયો.નાનપણથી જ બાળક જલારામનું મન કામ ધંધામાં લાગતું ન હતું.તેઓ સદાય પ્રભુ ભજન અને લોકોની સેવામાં વ્યસ્ત રહેતા હતા. સેવાકાર્ય કરતા તેઓ યુવાન વયે પહોંચી ગયા એન તેમના લગ્ન વીરબાઈ માં સાથે કરવામાં આવ્યા.લગ્ન પછી પણ તેમનો સેવા યજ્ઞ આમ જ ચાલુ રહ્યો અને આ સેવા યજ્ઞમાં હવે બાપાના પત્ની વીરબાઈ માં પણ જોડાયા અને શરૂ થયો એક અનોખો સેવા યજ્ઞ.જેમાં વીરપુરમાંથી પસાર થતા વટેમાર્ગુઓ અને સંતોને બંને ભોજન કરાવતા હતા.જલારામ બાપા સવારથી આખો દિવસ મજૂરી કરતા અને સાંજે જે પૈસા મળે તેમાંથી ભૂખ્યાને અને સંતોને ભોજન કરાવતા હતા. સંવત 1876 મહાસુદ બીજના દિવસે સદાવ્રતનો પ્રારંભ કરવામાં આવ્યો, જે આજે પણ અવિરતપણે ચાલે છે.બાપાની 222 મી જન્મ જ્યંતી નિમિતે વીરપુરમાં દેશ વિદેશમાંથી બાપાના દર્શન કરવા ભક્તો આવ્યા છે.

બાપાના મંદિરમાં નથી સ્વીકારાતુ દાન, છતાં ચાલે છે સદાવ્રત ‘દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ’ આ મંત્ર હતો પૂજ્ય જલારામ બાપાનો, જે આજ પણ એટલો જ સાર્થક અને સચોટ છે.કારણ કે વીરપુરમાં આવેલ જલારામ બાપાના અન્નક્ષેત્રમાં કોઈ પણ જાતની ભેટ સોગાદ કે દાન લીધા સિવાય અહીં અવરિત પણ અન્નક્ષેત્ર ચાલે છે.દુનિયાભરમાં ધાર્મિક સંસ્થાનોમાં દાન અને ભેટ સોગાદો આવતી હોય છે અને તેને ધાર્મિક સંસ્થાઓ સપ્રેમ સ્વીકારતી હોય છે.પણ વીરપુરનું જલારામ બાપાનું દુનિયામાં આ એક માત્ર મંદિર છે કે જ્યાં કોઈ પણ જાતની ભેટ સોગાદ કે દાન સ્વીકારવામાં આવતી નથી.

દુનિયાભરમાં ચાલતા સદાવ્રતો ઘણા છે, પરંતુ વીરપુરનું સદાવ્રત ખાસ અને અલગ છે.જલારામબાપા અને વીરબાઈ માંએ સંવત 1876 ના મહાસુદ બીજના દિવસે શરૂ કર્યું હતું.બાપા અને માં મજૂરી કરીને જે પૈસા કમાય તેમાંથી સેવા સાથે સાથે ભૂખ્યા અને સંતોના પેટની ભૂખ સંતોષતા હતા અને ભોજન કરાવતા હતા. તેમના વંશજોએ બાપા જલારામ અને માં વીરબાઈ માંના આ યજ્ઞને તેનાથી પણ આગળ વધાર્યું.હરિરામ બાપાના પુત્ર શ્રી જેયશુંખરામ બાપા અને વીરપુરના પૂર્વ ગાદીપતિએ નક્કી કર્યું કે અહીં ભેટ સોગાદ કે દાન લેવું નહિ.જેથી આજે પણ અહીં કોઈ પણ જાતનું દાન કે ભેટ સોગાદ લેવાતા નથી.છતા આજે પણ આ સદાવ્રત અવરિતપણ ચાલુ છે.

જલારામ બાપાને સંતાનમાં માત્ર એક દીકરી હતી. દીકરી જમનાબાઈ અને તેના પતિ ભક્ત રામભાઈ હતા.આ બંનેના પુત્ર એટલે હરિરામ બાપા, જયારે બાપા જીવનના અંતિમ ક્ષણે હતા ત્યારે જલારામ બાપાએ હરિરામ બાપાને બોલાવીને પોતાના મોઢામાંથી પ્રસાદ કાઢીને હરિરામ બાપાના મોઢામાં આપ્યો હતો અને કહ્યુ હતું કે, આ સદાવ્રતની જ્યોત સદા ચાલુ રાખજે. તે દિવસથી આજ દિવસ સુધી આ સદાવ્રત અવરિત ચાલુ છે.

ધો-12 સાયન્સનું 65.58 ટકા પરિણામ જાહેર
સુરત જિલ્લા ભાજપ દ્વારા ગુજરાત ભારતનું ગ્રોથ એન્જીન વિષય પર પરિચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
વાપીના ચંડોર ગામે મહિલા સરપંચે 2.50 લાખની લાંચ માંગી, ACBથી બચી શક્યા નહીં
UP : મુરાદાબાદમાં હિન્દુ કોલેજમાં બુરખો પહેરીને આવેલી વિદ્યાર્થીનીઓને પ્રવેશતા અટકાવાઈ
નાના ધંધાર્થીઓનું અસ્તિત્વ જોખમમાં, આત્મનિર્ભર પેકેજ છતાં MSME સેક્ટર પર ખતરો
Share This Article
Facebook Email Print
Previous Article દ્વારકા ડ્રગ્સ કેસ : મુંબઈના કારા ભાઈઓએ મંગાવ્યુ હતુ ડ્રગ્સ, બીજા 47 પેકેટ ડ્રગ્સથી આંકડો વધી શકે છે
Next Article કોંગ્રેસમાં પણ નેતાઓનુ એક જૂથ હિન્દુત્વનુ અને જનોઈધારી ઈમેજનુ સમર્થક : સલમાન ખુરશીદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up