By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આજે રાજકોટમાં ટી20 જંગ, ભારતની સ્થિતિ યથાવત, જીતવું ફરજિયાત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > આજે રાજકોટમાં ટી20 જંગ, ભારતની સ્થિતિ યથાવત, જીતવું ફરજિયાત
AhmedabadGeneral

આજે રાજકોટમાં ટી20 જંગ, ભારતની સ્થિતિ યથાવત, જીતવું ફરજિયાત

HM News
Last updated: 17/06/2022 6:35 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ : સિરીઝમાં બે પરાજય બાદ દબાણમાં આવી ગયેલો કેપ્ટન રિશભ પંત ભારતીય ટીમના પ્રદર્શન અને તેના કંગાળ બેટિંગ ફોર્મનો સામનો કરીને શુક્રવારે અહીં રમાનારી પ્રવાસી સાઉથ આફ્રિકન ટીમ સામેની ચોથી ટી20 ક્રિકેટ મેચમાં ભારતને વિજય અપાવવાનો પ્રયાસ કરશે.ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે શુક્રવારે સાંજે 7.00 કલાકે અહીંના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશને સ્ટેડિયમ ખાતે ચોથી ટી20 ઇન્ટરનેશનલ મેચ રમાશે.ભારતે બે દિવસ અગાઉ વિશાખાપટનમમાં ત્રીજી મેચ જીતી હતી પરંતુ તેનાથી તેની પરિસ્થિતિમાં ખાસ ફરક પડ્યો નથી કેમ કે તેણે આ મેચમાં પણ જીતવું ફરજિયાત છે અને તો જ સિરીઝ જીવંત રહી શકશે.ભૂતકાળમાં રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે ભારતનો વિક્રમ ઉજળો રહ્યો છે તે બાબત કદાચ ભારતને આ મેચમાં મદદ કરી શકે પરંતુ તેમ છતાં ટીમે આકરી મહેનત કરવી પડશે તે નક્કી છે.

રિશભ પંત એક કેપ્ટન અને બેટ્સમેન તરીકે આ સિરીઝમાં અત્યાર સુધી નિષ્ફળ રહ્યો છે પરંતુ ત્રીજી ટી20માં ભારતે શાનદાર દેખાવ કર્યો હતો.ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ઇશાન કિશને ટીમને મજબૂત પ્રારંભ અપાવ્યો હતો જેને પગલે ભારતે જંગી સ્કોર ખડકવામાં સફળતા હાંસલ કરી હતી અને અંતે મેચ જીતી લીધી હતી.જોકે ટીમની સફળતામાં હર્ષલ પટેલ અને યુઝવેન્દ્રસિંહ ચહલની વેધક બોલિંગનું પણ એટલું જ યોગદાન હતું.આ સાથે ભારતે પાંચ મેચની સિરીઝનો સ્કોર 1-2 કરી દીધો હતો પરંતુ હવે શુક્રવારની મેચ તે જીતે તો સ્કોર સરભર થઈ જાય અને એ સંજોગોમાં બેંગલોર ખાતેની અંતિમ ટી20 નિર્ણાયક બની રહેશે.ભારત માટે પરિસ્થિતિ ફરજિયાત જીતવાની છે ત્યારે પંતે તેની મૂળ શૈલીમાં પરત ફરવું પડશે.રિશભ પંત અગાઉ પણ તેની કારકિર્દીમાં ઘણી વાર વળતો પ્રહાર કરી ચૂક્યો છે અને જ્યારે તેની કઈ ગણતરી થતી ન હોય તેવા સંજોગોમાં તે ફરીથી ખીલી ઉઠ્યો છે.આ વખતે પણ તેની પાસેથી એવા જ વળતા પ્રહારની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

આખરે પ્રશ્ન પુછાયો! પેટ્રોલ-ડીઝલ પર વારંવાર ટેક્ષ વધારો શા માટે! GSTમાં સમાવેશ કેમ નહી? હાઈકોર્ટ
સુરતના ચકચારી આપઘાત પ્રકરણ : PSI અમીતા જોશી ને અપાયું ગાર્ડ ઓફ ઓનર, પિતા ધ્રૂસકે ધ્રુસકે રોઈ પડ્યા
સોનિયા ગાંધી કોરોના પોઝિટિવ, ઘણા નેતાઓ અને કાર્યકરો પણ સંક્રમિત
9માગુરૂ તેગ બહાદૂરનાં પ્રકાશ-પર્વના દિવસે અમૃતસરમાં નગરકીર્તન સાથે, તલવારબાજી યોજાઈ
શહેરમાં આગ લગાવી દઈશ, મુસ્લિમો રસ્તા પર ઉતરે : તેલંગાણા કોંગ્રેસ નેતા રાશિદ ખાન
Share This Article
Facebook Email Print
Previous Article શ્રીલંકા સામે 414 રન કર્યા બાદ પણ ભારતને નાકે દમ આવી ગયો હતો
Next Article જિયોના એપ્રિલમાં 16.8 લાખ સબસ્ક્રાઈબર્સ વધ્યા, એરટેલના 8.1 લાખ વધ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up