By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આજે રાત્રે 12 વાગયાથી સુરતના પાંચ વિસ્તારમાં કરફ્યૂ લાગુ પડશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > આજે રાત્રે 12 વાગયાથી સુરતના પાંચ વિસ્તારમાં કરફ્યૂ લાગુ પડશે
GeneralSurat

આજે રાત્રે 12 વાગયાથી સુરતના પાંચ વિસ્તારમાં કરફ્યૂ લાગુ પડશે

HM News
Last updated: 16/04/2020 9:35 AM
HM News
5 years ago
Share
SHARE

– શાકભાજી, દવાઓ, કરિયાણુ વગેરેની ખરીદી માટે બપોરે ૧ થી ૪ ના સમયમાં માત્ર મહિલાઓને કરફયુમુકિત આપવામાં આવશે.

સુરતઃ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને અમદાવાદ બાદ સુરતમાં પણ કેટલાક વિસ્તારમાં કરફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે.જેનો અમલ આજ મધ્યરાત્રીથી કરવામાં આવશે.સુરતમાં સલાબતપુર,મહિધરપુરા,લાલગેટ,અઠવાલાઇન્સ અને લિબાયત પોલીસ સ્ટેશનના 5 વિસ્તારોમાં 22 એપ્રિલ સુધી કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે.

સીએમઓ સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદ સંબોધીને જણાવ્યું હતું કે,સુરતમાં કરફયુના આ દિવસો દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુઓ જેવી કે દૂધ,શાકભાજી,દવાઓ,કરિયાણુ વગેરેની ખરીદી માટે બપોરે ૧ થી ૪ ના સમયમાં માત્ર મહિલાઓને કરફયુમુકિત આપવામાં આવશે.આ અગાઉ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરતમાં કોવિડ19 કેસોના વધતા કેસોને અટકાવવા માટે સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

સુરતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે,આજે નવા 34 કેસ ઉમેરાતા કુલ 86 લોકો કોરોના પોઝિટવ બન્યાં છે,જેના પર મુખ્યપ્રધાનના સચિવ અશ્વિની કુમારે જાહેરાત કરી છે કે સુરતના 5 વિસ્તારોમાં 22 એપ્રિલ સુધી કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે,જેનો અમલ આજે મધરાત 12 વાગ્યેથી લાગુ કરી દેવામાં આવશે,શહેરના અઠવા પોલીસ સ્ટેશન વિસ્તાર,સલાબધપુરા,મહિધરપુરા,લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તાર અને લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યૂ લાદી દેવાયો છે,માત્ર બપોરના સમયે 1થી 4 વાગ્યાના વચ્ચે મહિલાઓ જ જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા બહાર નીકળી શકશે. જો કે કોઇ વ્યક્તિ સરકારી જાહેરનામાનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

અશ્વિની કુમારે એવી પણ જાહેરાત કરી છે કે જે રાજ્યમાં જે વિસ્તારોમાં હોટસ્પોટ નહીં હોય તેવા વિસ્તારોમાં 20 એપ્રિલથી કેટલીક છૂટછાટ આપવામાં આવશે,નાના ઉદ્યોગો ચાલુ કરી શકાશે,ખેતીવાડી માર્કેટ ચાલુ રહેશે સાથે જ કેટલીક સેવાઓ શરૂ કરાશે,જો કે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે અને માસ્કનો ઉપયોગ કરવાનો રહેશે.

નોકરાણી રાખતા ઘર માલિકો સાવધાન ! ડૉલમાં પેશાબ કરી નોકરાણી પોતું કરતી !
સુરત : ધારાસભ્ય ઝંખનાબેન પટેલનો સંસ્થાઓના સંકલનથી જરૂરીયાતમંદોને દરરોજ ૨૦ હજાર ફુડ પેકેટ્સનો સેવાયજ્ઞ
ઊર્જા પ્રધાન કનુ દેસાઈની મોટી જાહેરાત, ખેડૂતોને મળશે 6 કલાકથી વધુ વીજળી
RTEના પ્રથમ રાઉન્ડ બાદ બાકી રહેલી સીટો માટે બીજા રાઉન્ડની તૈયારી
અમરેલી જિલ્લામાં 24 કલાકમાં ભૂંકપના ત્રણ આંચકા, એક મહિનામાં 12 વાર ધરતી ધ્રૂજી
Share This Article
Facebook Email Print
Previous Article ઈન્ક્મટેક્સ વિભાગે અઠવાડીયામાં 10.2 લાખ કરદાતાઓને 4250 કરોડનું ટેક્સ રિફંડ ચૂકવ્યું
Next Article વુહાનમાં કોરોનાનું અસલ ચિત્ર બતાવવાનો પ્રયાસ કરનાર ત્રણ પત્રકારો બે મહિનાથી ગાયબ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up