– શાકભાજી, દવાઓ, કરિયાણુ વગેરેની ખરીદી માટે બપોરે ૧ થી ૪ ના સમયમાં માત્ર મહિલાઓને કરફયુમુકિત આપવામાં આવશે.
સુરતઃ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને અમદાવાદ બાદ સુરતમાં પણ કેટલાક વિસ્તારમાં કરફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે.જેનો અમલ આજ મધ્યરાત્રીથી કરવામાં આવશે.સુરતમાં સલાબતપુર,મહિધરપુરા,લાલગેટ,અઠવાલાઇન્સ અને લિબાયત પોલીસ સ્ટેશનના 5 વિસ્તારોમાં 22 એપ્રિલ સુધી કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે.
સીએમઓ સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદ સંબોધીને જણાવ્યું હતું કે,સુરતમાં કરફયુના આ દિવસો દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુઓ જેવી કે દૂધ,શાકભાજી,દવાઓ,કરિયાણુ વગેરેની ખરીદી માટે બપોરે ૧ થી ૪ ના સમયમાં માત્ર મહિલાઓને કરફયુમુકિત આપવામાં આવશે.આ અગાઉ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરતમાં કોવિડ19 કેસોના વધતા કેસોને અટકાવવા માટે સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
સુરતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે,આજે નવા 34 કેસ ઉમેરાતા કુલ 86 લોકો કોરોના પોઝિટવ બન્યાં છે,જેના પર મુખ્યપ્રધાનના સચિવ અશ્વિની કુમારે જાહેરાત કરી છે કે સુરતના 5 વિસ્તારોમાં 22 એપ્રિલ સુધી કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે,જેનો અમલ આજે મધરાત 12 વાગ્યેથી લાગુ કરી દેવામાં આવશે,શહેરના અઠવા પોલીસ સ્ટેશન વિસ્તાર,સલાબધપુરા,મહિધરપુરા,લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તાર અને લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યૂ લાદી દેવાયો છે,માત્ર બપોરના સમયે 1થી 4 વાગ્યાના વચ્ચે મહિલાઓ જ જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા બહાર નીકળી શકશે. જો કે કોઇ વ્યક્તિ સરકારી જાહેરનામાનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
અશ્વિની કુમારે એવી પણ જાહેરાત કરી છે કે જે રાજ્યમાં જે વિસ્તારોમાં હોટસ્પોટ નહીં હોય તેવા વિસ્તારોમાં 20 એપ્રિલથી કેટલીક છૂટછાટ આપવામાં આવશે,નાના ઉદ્યોગો ચાલુ કરી શકાશે,ખેતીવાડી માર્કેટ ચાલુ રહેશે સાથે જ કેટલીક સેવાઓ શરૂ કરાશે,જો કે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે અને માસ્કનો ઉપયોગ કરવાનો રહેશે.