By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આજે સાંજથી યસ બૅન્કની અગ્નિપરીક્ષા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > આજે સાંજથી યસ બૅન્કની અગ્નિપરીક્ષા
BusinessGeneralNational

આજે સાંજથી યસ બૅન્કની અગ્નિપરીક્ષા

HM News
Last updated: 18/03/2020 11:00 AM
HM News
5 years ago
Share
SHARE

પ્રશ્ન એ છે કે કોરોનાના ડર વચ્ચે ખાતાધારકોને પૈસા ઉપાડવા માટે મોટી સંખ્યામાં બૅન્ક પાસે ભેગા થવા દેવાશે ?

કૉર્પોરેટમાં આડેધડ ધિરાણ આપ્યા બાદ નબળી પડેલી યસ બૅન્ક માટે બુધવારે સાંજે ૬ વાગ્યા પછી અગ્નિપરીક્ષાનો સમય શરૂ થશે. ‘બૅન્ક કાચી પડી છે, નબળી પડી છે’ એવી વાત એક વર્ષથી ચાલતી હતી, પણ બે અઠવાડિયાંમાં જ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા અને કેન્દ્ર સરકારે નિયંત્રણ મૂકીને, બૅન્કમાં નવા રોકાણકારો લાવીને નવી ૧૨,૦૦૦ કરોડ રૂપિયાની મૂડી ઉમેરી દીધી છે. આ મૂડી ઉમેરી દેવાતાં બૅન્કની નવું ધિરાણ કરવાની અને નવું દેવું કરવાની ક્ષમતા વધી છે, પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું બૅન્કના વર્તમાન ડિપોઝિટર આ બૅન્કમાં ફરી વિશ્વાસ મૂકશે ખરા? બુધવારે સાંજે રિઝર્વ બૅન્કે મૂકેલા ૫૦,૦૦૦ રૂપિયાથી વધુના નિયંત્રણ હટી જશે પછી ઉપાડ માટે ધસારો થશે કે નહીં?

સવાલ એ પણ છે કે જો બૅંકમાંથી ઉપાડ માટે ધસારો થાય તો એટલી મોટી સંખ્યામાં લોકોને બૅંકની આસપાસ કોરોનાના ભય વચ્ચે ભેગા થવા દેવાશે કે નહીં?

બૅન્કનું મૅનેજમેન્ટ જોકે સ્પષ્ટ છે કે બૅન્કની હાલત હવે સુધરી ગઈ છે અને બૅન્ક પર ભરોસો પણ વધશે, કારણ કે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, એચડીએફસી બૅન્ક, ઍક્સિસ બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક અને બંધન બૅન્ક જેવા રોકાણકારો આવ્યા છે. બૅન્કનું બોર્ડ નવું બન્યું છે એટલે વાંધો આવશે નહીં.

બૅન્કમાં જમા રકમ સંપૂર્ણપણે સલામત હોવાનું કેન્દ્ર સરકાર, નાણાપ્રધાન નિર્મલા સીતારમણ અને રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાન્ત દાસ ૬ માર્ચથી આજ સુધીમાં અનેક વખત કહી ચૂક્યા છે અને વિશ્વાસ પણ આપી ચૂક્યા છે.

જ્યારે મોરેટોરિયમ અમલમાં હતું ત્યારથી ૫૦,૦૦૦ રૂપિયા સુધીની રકમ ઉપાડવા માટે છૂટ હતી. જે લોકો આ ઉપાડ માટે લાયક હતા તેમના ત્રીજા ભાગના લોકોએ જ ઉપાડ કર્યો છે એમ બૅન્કના નવા નિમાયેલા સીઈઓ પ્રશાંત કુમારે આજે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બૅન્ક પાસે અત્યારે પૂરતો રોકડ પ્રવાહ છે. બ્રાન્ચમાં અને એટીએમમાં પણ પૂરતી રકમ છે એટલે આવતી કાલે નિયંત્રણ હટે પછી પણ કોઈ વાંધો આવે એવી સ્થિતિ નથી. અહીં નોંધવું ઘટે કે માર્ચ ૨૦૧૯ પછી બૅન્કમાંથી નાણાંનો ઉપાડ સતત ચાલુ થઈ ગયો છે.

જોકે રાજ્ય સરકારોએ પોતાના વિભાગને પ્રાઇવેટ બૅન્કોમાં રકમ નહીં રાખવાનો આદેશ કર્યો છે અને એને કારણે સ્થિતિ બગડી શકે છે. અલબત્ત, રિઝર્વ બૅન્કે રાજ્ય સરકારોને આ રીતે ઉપાડ નહીં કરવાનો પણ આગ્રહ કર્યો છે એટલે બૅન્કની કામગીરી કેવી રહેશે એ તો આવનારો સમય જ કહેશે.

વાતાવરણના કારણે ચોમાસાનો વરસાદ વહેલો આવે તેવી વકી
ગોધાવી-ઘુમામાં જમીન કેસ : હાઈકોર્ટે પોપ્યુલર ગૃપના બિલ્ડર દથરથ પટેલની કન્સેન્ટ ક્વોશિંગ પિટીશન ફગાવી
૪૪૭ લોકોને થઈ વૅક્સિનની સાઇડ ઇફેક્ટ, ૩ હૉસ્પિટલમાં
યુક્રેન અને રશિયા વચ્ચે જંગના ભણકારા, ભારત અને યુક્રેન વચ્ચેનો અબજો ડોલરનો વેપાર ખતરામાં પડી શકે છે
અમે ચીનની ધમકીઓથી ડરવાના નથી : ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન
Share This Article
Facebook Email Print
Previous Article સુરતમાં નાકર સમિતિ દ્વારા ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા પ્રદર્શન
Next Article ભાજપનું પણ ટેન્શન વધ્યુંઃ એમએલએ ઇનામદારની ધાનાણી સાથે બંધ બારણે મુલાકાત થઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up