આઝમ ખાનને ફસાવવા અધિકારીઓને મળે છે UPમાં સારી પોસ્ટિંગ : અખિલેશ યાદવ

HM News
2 Min Read

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે યુપીની યોગી સરકાર પર બદલો લેવાના ઈરાદાથી આઝમ ખાન વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આરોપ લગાવ્યો છે. અખિલેશે કહ્યું છે કે યુપીમાં ટ્રાન્સફર પોસ્ટિંગ માટે પૈસા લેવામાં આવે છે અને કહેવામાં આવે છે કે જો આઝમ ખાનને ફસાવી શકો તો અધિકારીઓને સારી પોસ્ટિંગ આપવામાં આવશે.અખિલેશે કહ્યું કે જ્યારે તેઓ સીએમ હતા ત્યારે યોગી આદિત્યનાથની ફાઇલ પણ તેમની પાસે આવી હતી.

લખનઉમાં એક ટીવી ચેનલના કાર્યક્રમ દરમિયાન અખિલેશ યાદવે કહ્યું કે તાજેતરની સરકારે અમને પણ તેના જેવા બનાવી દીધા છે.હવે વ્યવસ્થા છે ડીએમ અને એસપીને લગાવી દો અને તેમની પાસે જે મનમાં આવે તેમ કરાવો.અધિકારીઓ પણ ભાજપનું કામ કરી રહ્યા છે.શું આવા અધિકારીઓને પાઠ મળ્યો છે કે તેઓએ સરકારની ગુલામી કરે?

યોગીની ફાઇલ અમારી પાસે પણ આવી હતી

અખિલેશ યાદવે કહ્યું કે જ્યારે સપા સરકાર સત્તામાં હતી,ત્યારે તેમને યોગી આદિત્યનાથના તે કેસની ફાઈલ પણ મળી હતી,જે યોગીએ સીએમ બન્યા બાદ પાછી ખેચાવી લીધી. અમે એવું કોઈ કામ કર્યું નથી.

આઝમ ખાનને ફસાવવવા સારી પોસ્ટિંગ મળે છે: અખિલેશ

અખિલેશ યાદવે આરોપ લગાવ્યો કે યુપીમાં ટ્રાન્સફર પોસ્ટિંગ માટે પૈસા લેવામાં આવી રહ્યા છે.અધિકારીઓને કહેવામાં આવે છે કે જો તેઓ આઝમ ખાનને ફસાવે તો તેમને સારી પોસ્ટિંગ આપવામાં આવશે.અખિલેશ યાદવે એમ પણ કહ્યું કે જેઓ એમ કહે છે કે સીએમ સવારે 4 વાગ્યે ઉઠે છે અને રાતે 11 વાગ્યા સુધી કામ કરે છે,તેઓએ એ પણ જણાવવું જોઈએ કે તેઓ આવા સમયમાં શું કરે છે?

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *