By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આઠ મુસાફરોને ફ્લાઇટમાં નહીં બેસવા દેવાતાં હોબાળો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > આઠ મુસાફરોને ફ્લાઇટમાં નહીં બેસવા દેવાતાં હોબાળો
AhmedabadGeneral

આઠ મુસાફરોને ફ્લાઇટમાં નહીં બેસવા દેવાતાં હોબાળો

HM News
Last updated: 10/06/2022 7:21 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ : ગુરુવાર : અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ડોમેસ્ટિક એરપોર્ટ ખાતે આજે સવારે ગોવા જનાર મુસાફરો સમયસર પહોંચ્યા હોવા છતાં ઓફલોડ થતા હોબાળો મચી ગયો હતો.એટલું જ નહી એરલાઇનના સ્ટાફે મુસાફરોને કોઇ મદદ કે અન્ય વ્યવસ્થા સુદ્ધા કરી ન આપતા ભારે રોષ વ્યક્ત કર્યો હતો.મુસાફરો બીજી ફલાઇટમાં ઉંચા ફેરમાં ટિકિટ લઇ ગોવા પહોંચવું પડયું હતું.

પ્રાપ્ત થતી વિગતો મુજબ અમદાવાદ એરપોર્ટ પરથી ગોવા જતી સ્પાઇસજેટની ફલાઇટ સવારે ૫ઃ ૪૦ કલાકે ટેકઓફ થવાની હતી.ફલાઇટમાં ઓનબોર્ડ ૧૭૭ મુસાફરો સવાર હતા.પરિવાર સાથે ગોવા ફરવા જનારા મુસાફર દિલિપ ભાઇએ જણાવ્યુ કે’અમે એરપોર્ટ પર કલાક પહેલા ચેકઇન કાઉન્ટર પર પહોંચી ગયા હતા પરંતુ સ્પાઇસજેટની એક સાથે ત્રણ ફલાઇટો હોવાથી ભારે ભીડ હતી જેથી અમે સ્ટાફને વિનંતી કરી અમારુ પહેલા ચેકઇન કરવા જણાવ્યુ પણ તેઓ ટસનામસ થયા નહીં.આખરે ૪૫ મિનિટ પહેલા કાઉન્ટર બંધ કરી દેતા અમને ઓફલોડ કરી દીધા હતા.અમારી સાથે આવા અન્ય આઠ જેટલા મુસાફરોને કડવો અનુભવ થયો હતો તેમની ભુલ હોવા છતાં ટિકિટનું રિફંડ પણ આપ્યું નહી અને ટિકિટના પૈસા પાણીમાં પડી ગયા.ગોવામાં એડવાન્સ હોટલ બુકીંગ કરેલ હોવાથી બીજી ફલાઇટ ઉંચા ફેરમાં ટિકિટ લઇને બમણો ખર્ચ કરી ગોવા પહોંચ્યા હતા. ‘

મહત્વનુ એ પણ છે કે હાલમાં વેકેશન સિઝનનો લાભ લો કોસ્ટ એરલાઇન કંપનીઓ ઉઠાવી રહી છે,તેઓ રેવન્યુ જનરેટ કરવા નવી સ્ટ્રેટેજી અપનાવી રહી છે જે સામાન્ય મુસાફરને ખબર હોતી નથી,એરલાઇન કંપનીઓ ઘણી વખત ફલાઇટની સીટની ક્ષમતા કરતા ઓવરબુકીંગ કરી દેતી હોય છે.૧૮૯ સીટના એરક્રાફ્ટ સામે ૨૦૦ જેટલી સીટો બુક કરે ત્યારે આવા સંજોગોમાં મુસાફરોને યેનકેન પ્રકારે ઓફલોડ કરવામાં આવે છે.

દિલ્હીમાં 12 વર્ષના છોકરા સાથે નિર્ભયા જેવી ક્રૂરતા, ICUમાં દાખલ
‘અલ-તકિયા’ અને હિંસાની એક સમાન પેટર્ન : કન્હૈયાલાલની હત્યા કરવા ઇસ્લામીઓ ‘ગ્રાહકો’ બન્યા, કમલેશ તિવારીની મિત્ર બનીને હત્યા કરાઈ હતી
પેટ્રોલ રૂ. 40એ લિટર હોવું જોઈએઃ સુબ્રમણ્યમ સ્વામીની સરકારને સલાહ
મૈસૂરના રાજા ટીપુ સુલતાનની પૌત્રી કેવી રીતે બની અંગ્રેજોની સૌથી મોટી જાસૂસ? જાણો ઈતિહાસના પન્નાઓમાં છુપાયેલી રોચક કહાની
એનસીબી દ્વારા ક્લિનચિટ અપાયા બાદ આર્યન ખાન સામે કયા વિકલ્પ બચ્યા?
Share This Article
Facebook Email Print
Previous Article અમદાવાદ એરપોર્ટ ખાતે દક્ષિણ આફ્રિકાથી ૪૦ ચિત્તાઓનું આગમન
Next Article વ્યંઢળો રસ્તો ભુલીને કઠવાડા પહોંચી જતા અન્ય વ્યંઢળોએ બેફામ માર માર્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up