By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આદિત્ય ઠાકરેએ અડધી રાત્રે માતોશ્રીની બહાર આવીને પૂછયું કે…..
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > આદિત્ય ઠાકરેએ અડધી રાત્રે માતોશ્રીની બહાર આવીને પૂછયું કે…..
GeneralMumbai

આદિત્ય ઠાકરેએ અડધી રાત્રે માતોશ્રીની બહાર આવીને પૂછયું કે…..

HM News
Last updated: 24/06/2022 10:37 AM
HM News
3 years ago
Share
SHARE

નવી મુંબઇ, તા. 24 જૂન 2022, શુક્રવાર : મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે સીએમ ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને મંત્રી આદિત્ય ઠાકરે અડધી રાત્રે તેમના ઘર માતોશ્રીની બહાર આવીને મીડિયા સાથે વાતચીત કરી હતી. કારણ કે મંત્રી એકનાથ શિંદે આસામમાં પડાવ નાખીને પક્ષ સામે બળવો કરી રહ્યા છે અને પક્ષને વિભાજિત કરવાની ધમકી આપી રહ્યા છે.ઠાકરે પરિવાર બુધવારે મુખ્યમંત્રીના નિવાસસ્થાન ‘વર્ષા’ થી તેમના ઘર ‘માતોશ્રી’માં શિફ્ટ થયો હતો.

આદિત્ય અડધી રાત્રે ઘરની બહાર આવીને પત્રકારોને પુછતા જોવા મળ્યા કે, તમે જમ્યા છો? પત્રકારોને તેમના કેમેરા બંધ કરવાનું કહેતા અવાજો સાંભળી શકાય છે, કારણ કે મંત્રીએ તેમને કહ્યું હતુ કે, તે કોઇપણ નિવેદન આપવા માટે બહાર નથી આવ્યા.જ્યારે ઉદ્વવ ઠાકરેની તબિયતને લઇને પત્રકારે સવાલ કર્યો તેના જવાબમાં તેમણે કહ્યું કે, કોરોનાથી પીડિત ઉદ્વવ ઠાકરેની તબિયત હાલ સારી છે.

આદિત્ય ઠાકરેની પત્રકારો સાથેની આ વાતચીત ત્યારે થઇ જ્યારે શિવસેના, કોંગ્રેસ અને શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસની ગઠબંધન સરકારને પડકારી રહ્યા છે અને સરકારને તોડી પાડવાની ધમકી આપી રહ્યા છે.એકનાથ શિંદેએ આગ્રહ કરીને કહ્યું કે, એનસીપી અને કોંગ્રેસ સાથે શિવસેનાનું જોડાણ “અપ્રાકૃતિક” છે અને તેણે ભાજપ સાથેનું જોડાણ પુનઃસ્થાપિત કરવું જોઈએ.આ સિવાય તેમણે કહ્યું કે,અમારી પાસે 50થી વધુ ધારાસભ્યોનું સમર્થન છે. જેમાંથી શિવસેના પાસે 37થી વધુ ધારાસભ્યો છે.

ઉદ્ધવ કેબિનેટના મંત્રીએ કહ્યું, “જેને અમારી ભૂમિકા પર વિશ્વાસ છે, જેઓ બાળાસાહેબની વિચારધારાને આગળ વધારવા માંગે છે, જેને તે પસંદ છે, તે અમારી સાથે આવશે.”

ACB નું ઓપરેશન, મામલતદાર અને એક્ઝીકયુટીવ મેજીસ્ટ્રેટ મંગુ વસાવા રૂ.25 હજારની લાંચમાં ઝડપાયા
500 કરોડના ઠગાઈ કેસમાં મુંબઈના બિલ્ડર મહેશ ઓઝાની ધરપકડ
સુરત જિ.પંના વિવિધ સમિતિઓના પદાધિકારીઓની કરાઈ નિયુક્તિ
દેશના ૧૫ રાજ્યોની ૫૭ બેઠક પર ૧૦મી જૂને રાજ્યસભાની ચૂંટણી : ચૂંટણી પંચની જાહેરાત
નાલંદામાં 15 અને સાસારામમાં 3 FIR નોંધાઈ, અત્યાર સુધીમાં 173ની ધરપકડ
Share This Article
Facebook Email Print
Previous Article હૉસ્પિટલમાં દાખલ પત્નીની ઉપરવટ જઈને સંજય રાઠોડ જોડાયા શિંદે ગુપ સાથે
Next Article શિવસેનાના બળવાખોર વિધાનસભ્યો ગુવાહાટીની હોટેલમાં માણી રહ્યા છે મોજ ! 56 લાખ રૂપિયા રૂમ ભાડુ, 56 લાખ રૂપિયાનું ભોજન બિલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up