આદિપુરુષ વિવાદ : કુરાનને ખોટી રીતે રજૂ કરતી ડોક્યુમેન્ટ્રી બનાવો, પછી જૂઓ શું થાય છે : અલ્હાબાદ હાઈકોર્ટ

HM News
2 Min Read

આદિપુરુષ ફિલ્મના બતાવવાના વિરોધમાં અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર કોર્ટે બુધવારે યુનિયન મિનિસ્ટ્રી ઓફ ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને વ્યક્તિગત સોગાંદનામું દાખલ કરવા નિર્દેશ કર્યો છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણ અને શ્રી પ્રકાશ સિંહે ફિલ્મમેકર્સને ટકોર કરતા કહ્યું કે ધાર્મિક ટેક્સ્ટ પર ફિલ્મો ન બનાવવી જોઈએ.

ધાર્મિક પુસ્તકો પર ફિલ્મ ન બનાવવી જોઈએ : કોર્ટ

કોર્ટે વધુમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું કે તમારે કોઈ પણ ધર્મના ધાર્મિક પુસ્તકો જેમ કે બાઈબલ કે કુરાન પર પણ ફિલ્મ ન બનાવવી જોઈએ.કોર્ટનો કોઈ જ ધર્મ નથી.કોર્ટે કહ્યું કે કુરાનને ખોટી રીતે રજૂ કરતી શોર્ટ ડોક્યુમેન્ટ્રી બનાવો અને પછી જુઓ શું થાય છે. 27 જૂનના રોજ કોર્ટે ડેપ્યુટી સોલિસિટર જનરલને આઈએન્ડબી મિનિસ્ટ્રી અને સીબીએફસી પાસેથી આ અંગે પૂર્ણ માહિતી લેવા જણાવ્યું હતું.

મનોજ મુંતશીર શુકલાને પક્ષકાર તરીકે જોડવાની અરજી માન્ય

કોર્ટે આ કેસમાં ફિલ્મના ડાયલોગ લખનાર મનોજ મુંતશીર શુકલાને પક્ષકાર તરીકે જોડવાની અરજીને પણ ગ્રાહ્ય રાખી હતી અને તેને પણ નોટીસ પાઠવી છે.આજે ડેપ્યુટી સોલિસીટર જનરલ ઓફ ઈન્ડિયા એસ બી પાંડેએ કોર્ટને જણાવ્યું હતું કે ફિલ્મને પાંચ સભ્યોની એક્સપર્ટ ટીમ દ્વારા સર્ટિફાઈડ કરવામાં આવી હતી.જોકે અરજદારે આ સર્ટિફિકેટને કોર્ટમાં પડકાર્યું નથી.

રામાયણની વાસ્તવિકતાને ફિલ્મમાં ખોટી રીતે રજૂ કરાઈ

કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું હતું કે રામાયણ ખરેખર છે, તેના કરતા ફિલ્મમાં અલગ બતાવવામાં આવ્યું છે,આવા સંજોગોમાં આ ફિલ્મને સર્ટિફાઈડ કરનારને પણ ધન્યવાદ છે.અલ્હાબાદ હાઈકોર્ટમાં એક્ટિવિસ્ટ કુલદીપ તિવારી અને બંદના કુમારે ફિલ્મને બતાવવા સામે અરજી કરી છે.અરજદાર વતી વકીલ રંજના અગ્નિહોત્રી અને સુધા શર્મા કોર્ટમાં વિવિધ રજૂઆત કરે છે.

ફિલ્મે હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી

અરજદારનો દાવો છે કે આદિપુરુષ ફિલ્મમાં રામાયણના સાર્વભોમત્વને પણ શંકાસ્પદ રીતે રજૂ કરવામાં આવ્યું છે.આ સિવાય ફિલ્મમાં અયોધ્યાની પરંપરા અને હિન્દુ ધર્મને પણ બદનામ કરવાની કોશિશ કરવામાં આવી છે.ફિલ્મનું ટ્રેલર પણ ખૂબ જ અભદ્ર અને આડેધડ બનાવવામાં આવ્યું છે.તેના પગલે હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે.અરજદારે અરજીમાં જણાવ્યું છે કે જાન્યુઆરી 2023માં સુનાવણી દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટે સીબીએફસીને નોટિસ ફાટવી હોવા છતા બોર્ડે હજી સુધી તેનો જવાબ આપ્યો નથી.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *