By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આદિવાસી વર્ષોથી હિન્દુ છે અને રહેવાનો છે,કોઈની તાકાત નથી કે હિંદુ ધર્મથી આદિવાસીઓને અલગ કરી શકે : મનસુખ વસાવા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Bharuch-Ankleshwar-Narmada > આદિવાસી વર્ષોથી હિન્દુ છે અને રહેવાનો છે,કોઈની તાકાત નથી કે હિંદુ ધર્મથી આદિવાસીઓને અલગ કરી શકે : મનસુખ વસાવા
Bharuch-Ankleshwar-NarmadaGeneralGujarat Now

આદિવાસી વર્ષોથી હિન્દુ છે અને રહેવાનો છે,કોઈની તાકાત નથી કે હિંદુ ધર્મથી આદિવાસીઓને અલગ કરી શકે : મનસુખ વસાવા

HM News
Last updated: 24/08/2020 7:10 AM
HM News
5 years ago
Share
SHARE

રાજપીપળા : આદિવાસીઓ હિન્દૂ નથી એવો પ્રચાર કરનારા તત્વોને ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ સાવધાન રહેવાની ખુલ્લી ચીમકી આપી છે.નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના જાનકી આશ્રમ ખાતે રાષ્ટ્રીય આદિવાસી મંચના એક કાર્યક્રમમાં ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ આદિવાસીઓને હિન્દૂ-દેવી દેવતાઓ પર પોતાની આસ્થા રાખવા અપીલ પણ કરી હતી.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના જાનકી આશ્રમ ખાતે રાષ્ટ્રીય આદિવાસી મંચ દ્વારા મુખ્ય કાર્યકર્તાઓનું સંમેલન રાખવામાં આવ્યું હતું.જેમાં રાષ્ટ્રીય આદિવાસી મંચના અધ્યક્ષ નિતીનજી પારગી,ડો.વિશાલ વલવી,ડો.પંકજ પટેલ,જાનકી આશ્રમના સંચાલક સોનજીભાઈ ભાઇ વસાવા,રાષ્ટ્રીય આદિવાસી મંચ મહામંત્રી દિનેશભાઈ દાદા,રાષ્ટ્રીય આદિવાસી મંચ મંત્રી સુધીરભાઈ,રાષ્ટ્રીય આદિવાસી મંચ કોષાધ્યક્ષ દિલીપભાઈ,રાજુભાઈ દાદા,માજી જિલ્લા પંચાયત પ્રમુખ શંકરભાઈ વસાવા,પૂર્વ વનમંત્રી મોતીભાઈ વસાવા તથા ડો.વિનોદ ભાઈ કૌશિક સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ સંમેલનમાં ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ આદિવાસી સમાજમાં આદિવાસી હિન્દુ નથી,આદિવાસીઓની આસ્થા અને શ્રદ્ધામાં,દેવી દેવતાઓની નિમ્ન કક્ષાની ટિપ્પણીઓ કરવામાં આવે છે.આદિવાસીઓને હિંદુ ધર્મથી અલગ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.એવા લોકોને સાવધાન રહેવા ખુલ્લી ચેતવણી આપી હતી.સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આપણા આસ્થાના કેન્દ્રો દેવમોગરા માતાજી,ગામે-ગામે ભાથીજી મહારાજ મંદિર,હનુમાન મંદિર,મહાદેવના મંદિર,માતાજીના મંદિરો વગેરેમાં પૂર્ણ શ્રદ્ધા રાખવી,પરમાત્માના અવતાર શ્રી રામચંદ્રમાં પૂર્ણ શ્રદ્ધા અને આસ્થા રાખવી,આદિવાસી વર્ષોથી હિન્દુ છે અને રહેવાનો છે.કોઈની તાકાત નથી કે હિંદુ ધર્મથી આદિવાસીઓને અલગ કરી શકે.

ભૂતકાળ વાગોળીએ તો BTP MLA છોટુભાઈ વસાવા અને એમના કાર્યકરોએ ઘણા જાહેર કાર્યક્રમોમાં આદિવાસીઓ હિન્દૂ નથી, હિન્દૂ ધર્મ તો એક પરંપરા છે જીવન જીવવાની એક શૈલી છે એવા નિવેદનો આપ્યા હતા.દરમિયાન વિવાદ થયો હતો.સાથે સાથે એ જ દિવસોમાં આદીવાસીઓના એક જૂથ દ્વારા હિન્દૂ દેવી દેવતાઓ પર વિવાદિત ટિપ્પણીઓ થતા વિવાદ વધ્યો હતો.ત્યારે ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાનો ઈશારો BTP MLA છોટુભાઈ વસાવા તરફ હોવો જોઈએ એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચાર : બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવી હિન્દુ યુવતીના પહેલેથી જ પરિણીત મુસ્લિમ યુવક સાથે કરાવ્યા લગ્ન
ગુજરાતમાં લોકડાઉન-5માં સવારે 7થી રાત્રીના 9 સુધી ધંધા-વ્યાપારની છૂટ્ટ સંભવ
અંગ્રેજી મિડિયાએ પ્રગટ કરેલો ખાસ લેખ : મનમોહન સિંઘ મૌનીબાબા હતા તો તમે કેમ બોલતા નથી ?, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને કરાયેલો સવાલ
રાજકોટના બે પૂર્વ કલેકટર સહિત 46 IAS અધિકારીઓને જોઈન્ટ સેક્રેટરીનું પ્રમોશન!!
કરીના ખાન બાદ આમિરનો વિડીયો વાયરલ : ફિલ્મ ન પસંદ ન હોય તો ન જુઓ, લોકોએ કહ્યું -જેવી આપની ઈચ્છા..
Share This Article
Facebook Email Print
Previous Article પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચાર : બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવી હિન્દુ યુવતીના પહેલેથી જ પરિણીત મુસ્લિમ યુવક સાથે કરાવ્યા લગ્ન
Next Article Rafale ઉડાવી શકે તેવા પાયલટની દેશમાં અછત, 10 વર્ષમાં 798 પાયલટોએ છોડ્યું એરફોર્સ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up