રાજકોટ,તા.૨૩
આગામી ૨૯ માર્ચથી મુંબઇ રૂટની જ બીજી ફલાઇટ શરૂ થવા જઇ રહી છે. જેનું બુકીંગ સ્પાઇસ જેટ દ્વારા શરૂ કરી દીધું છે. ૨૯ માર્ચથી શરૂ થનારી સ્પાઇસ જેટની નવી બીજી ફલાઇટ રાજકોટથી દરરોજ સાંજે ૬.૧૫ કલાકે મુંબઇથી ઉડાન ભરશે. અને ૭.૪૬ કલાકે મુંબઇ એરપોર્ટ પર લેન્ડ થશે. સ્પાઇસ જેટની જૂની ફલાઇટ તેના નિર્ધારીત સમય બપોરે ૧.૪૦ કલાકે ઉડાન ભરશે અને ૨.૪૫ કલાકે મુંબઇ પહોંચે છે.
નવી ફલાઇટ શરૂ થયા બાદ રાજકોટથી મુંબઇ હવાઇ મુસાફરી કરતા યાત્રિકોને દરરોજ બે સ્પાઇસ જેટની ફલાઇટ અને એક એર ઇન્ડિયાની ફલાઇટ એમ કુલ ત્રણ ફલાઇટનો લાભ મળશે. ૨૯ માર્ચની પ્રથમ ફલાઇટની ટિકિટનો દર સ્પેશિયલ ફેર કેટેગરીમાં ૩૬૮૫ રૂપિયા, સ્પાઇસ સેવર કેટેગરીમાં ૩૭૧૬ રૂપિયા, સ્પેશિયલ ફેર કેટેગરીમાં ૩૭૧૬ રૂપિયા અને સ્પાઇસ મેકસ કેટેગરીની ટિકિટ ૫૦૧૨ રૂપિયા જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છેકે અત્યાર સુધી રાજકોટ અને મુંબઈ વચ્ચે વિમાન સેવાને લઈને અનેક વખત ગ્રહણ સામે આવ્યું હતું. અગાવ રાજકોટ મુંબઈ વચ્ચે કોઈ વખત એક તો અમુક સમયે બે ફ્લાઈટ ની સેવા માલ્તિઓ હતી. જોકે હવે અનેક રજુવાતો બાદ રાજકોટ મુંબઈ વચ્ચે દિવસમાં ત્રણ વખત ફ્લાઈટની સેવા મળશે.
આનંદો! રાજકોટ-મુંબઈ વચ્ચે હવે ત્રણ ફ્લાઈટ ઉડશે
Leave a Comment