By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આને કહેવાય સન્માન : ઈઝરાયેલનો જાસૂસ 35 વર્ષે જેલમાંથી છૂટતા પીએમ પહોંચ્યા સ્વાગતમાં, આપ્યું દેશનું નાગરિકત્વ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > આને કહેવાય સન્માન : ઈઝરાયેલનો જાસૂસ 35 વર્ષે જેલમાંથી છૂટતા પીએમ પહોંચ્યા સ્વાગતમાં, આપ્યું દેશનું નાગરિકત્વ
GeneralInternational

આને કહેવાય સન્માન : ઈઝરાયેલનો જાસૂસ 35 વર્ષે જેલમાંથી છૂટતા પીએમ પહોંચ્યા સ્વાગતમાં, આપ્યું દેશનું નાગરિકત્વ

HM News
Last updated: 31/12/2020 6:46 AM
HM News
4 years ago
Share
SHARE

ઈઝરાયેલ માટે જાસૂસી કરનારા અમેરિકી અધિકારી જોનાથન પોલાર્ડને ૩૫ વર્ષની કેદ પછી અમેરિકાએ મુક્ત કર્યા હતા.ઇઝરાયેલ માટે જાસૂસી કરતા હોવાથી પોલાર્ડ પોતાના પત્ની સાથે અમેરિકા છોડી ઇઝરાયેલ પહોંચ્યા હતા.અમેરિકામાં ઝિરો સાબિત થયેલા પોલાર્ડ ઈઝરાયેલ માટે હિરો છે,કેમ કે અમેરિકી નૌકાદળના અનેક ગુપ્ત દસ્તાવેજો તેમણે ઈઝરાયેલને પુરા પાડયા હતા.માટે ઈઝરાયેલના એરપોર્ટ પર સ્વાગત કરવા ખુદ વડાપ્રધાન નેતન્યાહુ હાજર રહ્યા હતા અને ઈઝરાયેલી આઈકાર્ડ આપ્યું હતું.

૧૯૮૫માં જોનાથન માહિતીની હેરાફેરી કરતા ઝડપાયા હતાં

૧૯૮૫માં જોનાથન માહિતીની હેરાફેરી કરતા પકડાઈ ગયા હતા.અમેરિકાએ ત્યારે તેમને ૩૫ વર્ષની સજા ફટકારી હતી.એ સજા હવે પુરી થઈ હતી.શરૃઆતમાં ઇઝરાયેલે જોનાથન પોતાના જાસૂસ હોવાનો ઈન્કાર કર્યો હતો.પણ ૧૯૯૫માં તેમને ઇઝરાયેલની નાગરિકતા આપી હતી અને એજન્ટ હોવાનો પણ એકરાર કર્યો હતો. ૨૦૧૫માં નેતન્યાહુએ તેમને માફી આપવા અમેરિકાને વિનંતી કરી હતી,જે અમેરિકાએે સ્વીકારી ન હતી.ગયા મહિને અમેરિકાએ તેમને પેરોલ પર મુક્ત કર્યા હતા.

ઈઝરાયેલ માટે અતિ મહત્ત્વના જાસૂસ હતા જોનાથન

તેમને અમેરિકાથી ઈઝરાયેલ લાવવા માટે અમેરિકી ઉદ્યોગપતિ શેલ્ડોનનું ખાનગી વિમાન વાપરવામાં આવ્યું હતું.કોરોનાકાળ હોવાથી આ દંપતિ નિયમ પ્રમાણે જેરુસલેમમાં ક્વૉરન્ટાઈન રહેશે. સજા થયા પછી જોનાથને એક ઈન્ટર્વ્યુમાં કહ્યું હતું કે હું એક સાથે બે દેશની સેવા કરવા ગયો,પણ નિષ્ફળતા મળી.જોનાથન અમેરિકી નાગરિક છે,પરંતુ ઈઝરાયેલ માટે જાસૂસી કરતા હતા.ઈઝરાયેલ માટે એ અતિ મહત્ત્વના જાસૂસ હતા,એ તેમને અપાતી મહેમાનગતી પરથી સ્પષ્ટ થાય છે.

વારિસ પઠાણનું માથું કાપી લાવનારને 11 લાખનું ઈનામ આપવાની મુસ્લિમ સંગઠને કરી જાહેરાત
ભાગેડુ Zakir Naik પર સકંજો કસાશે, સરકાર મોટી કાર્યવાહી કરશે
પાકિસ્તાનના સિંધ પ્રાંતના સીએમે દિવાળીની જગ્યાએ હોળીની શુભેચ્છા પાઠવી ફજેતો કર્યો
હવે લડાઈ મોદી કરતાં મોટા હિન્દુ બનવાની : મુસ્લિમો કોંગ્રેસ સાથે રોમાન્સ કરવાનું બંધ કરો, અમે પ્રેમ કરીશું : ઓવૈસી
દશેરા પર ફાફડા-જલેબી કેમ ખાવામાં આવે છે? ભગવાન રામથી લઈ સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે કારણ
Share This Article
Facebook Email Print
Previous Article પાકિસ્તાનમાં ઐતિહાસિક હિન્દુ મંદિરને હિંસક બનેલા ટોળાએ તોડી પાડ્યું ,બાદમાં લગાવી આગ
Next Article વર્ક ફ્રોમ હોમને કારણે ઓફિસની માંગ 2020માં 44 ટકા ઘટી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up